29 અને 30 સપ્ટેમ્બરના રોજ AMTS-BRTS બસ રહેશે પીએમ મોદીની સેવામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 14:56:57

29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીની કાર્યક્રમમાં લોકોને લાવવા -મૂકવાની જવાબદારી AMTSઅને BRTSને સોંપી દેવામાં આવી છે. 29 માટે 400 બસની ફાળવણી કરવામાં આવી છે જ્યારે 30 સપ્ટેમ્બર માટે 800 બસોની ફાળવણી કરવામાં આવી છે તેવુ સૂત્રોનું માનવું છે. નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બસો વ્યસ્ત હોવાથી AMTSઅને BRTSમાં મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવવાનો છે. 

Home | Amdavad Municipal Transport Services

Women BRTS buses on five routes from Jan 8 | Cities News,The Indian Express


પીએમ મોદીના કાર્યક્રમમાં લોકોને લાવવા અપાઈ AMTS-BRTSને જવાબદારી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાત શરૂ થઈ ગયો છે. હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. અમિત શાહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. 29 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહી તેઓ 36મા નેશનલ ગેમ્સ ઉદ્ધાટન કરવાના છે. અને 30 સપ્ટેમ્બરના રોજ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે. વડાપ્રધાન મોદીના આ 2 કાર્યક્રમોમાં લોકોને લાવવા લઈ જવા આ બસોનો ઉપયોગ કરવામાં આવશે. બસોમાં આમાં વ્યસ્ત હોવાને કારણે બસમાં મુસાફરી કરતા અનેક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે.      



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .