29 અને 30 સપ્ટેમ્બરના રોજ AMTS-BRTS બસ રહેશે પીએમ મોદીની સેવામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 14:56:57

29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીની કાર્યક્રમમાં લોકોને લાવવા -મૂકવાની જવાબદારી AMTSઅને BRTSને સોંપી દેવામાં આવી છે. 29 માટે 400 બસની ફાળવણી કરવામાં આવી છે જ્યારે 30 સપ્ટેમ્બર માટે 800 બસોની ફાળવણી કરવામાં આવી છે તેવુ સૂત્રોનું માનવું છે. નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બસો વ્યસ્ત હોવાથી AMTSઅને BRTSમાં મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવવાનો છે. 

Home | Amdavad Municipal Transport Services

Women BRTS buses on five routes from Jan 8 | Cities News,The Indian Express


પીએમ મોદીના કાર્યક્રમમાં લોકોને લાવવા અપાઈ AMTS-BRTSને જવાબદારી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાત શરૂ થઈ ગયો છે. હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. અમિત શાહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. 29 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહી તેઓ 36મા નેશનલ ગેમ્સ ઉદ્ધાટન કરવાના છે. અને 30 સપ્ટેમ્બરના રોજ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે. વડાપ્રધાન મોદીના આ 2 કાર્યક્રમોમાં લોકોને લાવવા લઈ જવા આ બસોનો ઉપયોગ કરવામાં આવશે. બસોમાં આમાં વ્યસ્ત હોવાને કારણે બસમાં મુસાફરી કરતા અનેક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે.      



ગોધરાથી એક સમાચાર સામે આવ્યા જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે.. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે..

સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.