AMTS બસચાલક બેફામ, જુહાપુરા સરખેજ રોડ પર AMTSએ મહિલાને અડફેટે લેતા મોત, લોકોમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-09-26 22:22:35

રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના મોટા શહેરોમાં શહેરીજનોની સુવિધા માટે દોડતી સીટી બસ ઘણી વખત જીવલેણ બનતી હોય છે. સીટી બસના ડ્રાઈવરો બેફામ બનીને ડ્રાઈવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે. આજે અમદાવાદમાં AMTS બસચાલકે એક રાહદારીને અડફેટે લેતા મામલો વણસ્યો હતો. અમદાવાદની લાઈફલાઈન ગણાતી એએમટીએસ બસ ડ્રાઈવરના બેફામ ડ્રાઈવિંગના કારણે જુહાપુરાના અંબર ટાવર નજીક બસની ટક્કર વાગતા મહિલા ઘાયલ થયા બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કરી કાચ તોડી નાંખ્યા હતા. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ રાજકોટમાં પણ સિટી બસે મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 


લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો


અમદાવાદની એક સમયે ખૂબ જ વખણાતી  AMTS બસ સર્વિસ તેના ડ્રાઈવરાના બેફામ ડ્રાઈવિંગના કારણે બદનામ થઈ રહી છે. જુહાપુરાથી અંબર ટાવર ત્રણ રસ્તા પાસે એએમટીએસ બસના ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. બસની બ્રેક ફેલ થઈ જતા રસ્તા પરથી પસાર થતા 3 વાહનોને અડફેટે લેતા એક મહિલાને ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અપાયેલી વિગત અનુસાર અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જુહાપુરા ચાર રસ્તાથી સરખેજ સર્કલ તરફ જવાના રસ્તામાં અંબર ટાવર ત્રણ રસ્તા પાસે એક એએમટીએસ બસ ચાલક કનુભાઈ પરમાર પોતાની બસ ચલાવીને પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ બસની બ્રેક ફેલ થઈ જતા ત્રણ રસ્તા ઉપરથી પસાર થતા એક મોટરસાયકલ તેમજ એક્ટિવા અને અન્ય એક વાહન સાથે અકસ્માત થયો હતો.  આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બસનો રૂટ 31/5 લાલ દરવાજા- માધવનગર (સાણંદ)નો હતો. આ ઘટના બાદ ગુસ્સે થયેલા લોકોએ બસ પર પથ્થરમારો કરી કાચ તોડી નાંખ્યા હતા. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી થતા મામલો થાળે પડ્યો હતો.


પોલીસે બસચાલક સામે નોંધ્યો ગુનો


AMTS બસ અકસ્માત મામલે પોલીસને જાણ થતા એએમટીએસ બસના ડ્રાઇવર અને કંડકટરને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. બસને સુરક્ષિત સ્થળે રાખી ટ્રાફિક પોલીસે ઇજા પામનાર મહિલાની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી જોકે તેમનું મોત નીપજ્યું છે.


AMTS-BRTS બસ સર્વિસ કથળી


અમદાવાદ શહેરના માર્ગો પર લાખો મુસાફરોને લઇને દોડતી જાહેર પરિવહનની બસો દ્વારા અકસ્માતોના બનાવોની તાજેતરમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લાં 5 મહિનામાં એએમટીએસ અને બીઆરટીએસ બસ દ્વારા 300થી વધુ અક્સ્માત થયા છે. જેમાં ત્યાર સુધી 13 જેટલા લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં ચાલતી એએમટીએસ બસ અને BRTS બસ દ્વારા શહેરમાં 300થી વધુ અક્સ્માત સર્જયા છે. જેમાં AMTS દ્વારા 119 જેટલા અક્સ્માત થયા છે. જયારે BRTS દ્વારા છેલ્લાં 5 મહિનામાં 212 જેટલા અકસ્માત સર્જયા છે. જેમાં BRTS થકી 9 લોકો મોત અને AMTS થકી 4 એમ કુલ મળીને 13 જેટલા લોકોના મોત થયા છે. જેમાથી માત્ર 13 જેટલી જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.