અમદાવાદની ઓળખસમી AMTSનું પણ હવે ખાનગીકરણ થશે, 71 બસ કોન્ટ્રાક્ટરોને હવાલે કરવાની દરખાસ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 15:31:51

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) હવે અમદાવાદ પ્રાઈવેટ ઓપરેટર સર્વિસ બની જશે. AMTSદ્વારા લેવામાં આવેલી 71 આઈસર બસ આઠ વર્ષના સમય માટે ભાજપના મળતીયા કોન્ટ્રાકટરોને હવાલે કરી દેવાની દરખાસ્ત એ.એમ.ટી.એસ.ની મળનારી કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામા આવી છે. 


AMTS કમિટીની બેઠકમાં દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી


AMTSકમિટીની મળનારી બેઠકમાં 71 આઈસર બસ માટે પ્રથમ લોએસ્ટ પાર્ટી તરીકે ટાંક બસ ઓપરેશન પ્રા.લી.ને 36 બસ રુપિયા 37.26 પૈસા પ્રતિ કિલોમીટરના દરથી, મેસર્સ આદિનાથ બ્લક પ્રા.લી.ને ૩૫ બસ તથા ટાટાની 47 બસ ટાંક બસ ઓપરેશન પ્રા.લી.ને પ્રતિ કિલોમીટર 38.50 પૈસાના દરથી આઠ વર્ષ માટે કામ કરવા સહમત હોય તો અને પ્રથમ લોએસ્ટ સહમત ના હોય તો બીજી લોએસ્ટ પાર્ટી અહર્મ ટ્રાન્સપોર્ટેશન પ્રા.લી.ને પ્રથમ લો એસ્ટના ભાવે આઠ વર્ષ માટે પ્રથમ લોએસ્ટ પાર્ટી તરીકે આપવા દરખાસ્ત મંજુરી માટે મુકવામા આવી છે. ટાંકના ટેન્ડરમાં કંડકટરના પગાર તરીકે છ વર્ષ માટે પ્રતિ કિલોમીટર 4.50 પૈસા તથા આઠ વર્ષ માટે પ્રતિ કિલોમીટર 4.80 પૈસા દર્શાવેલ છે. જે પ્રાઈવેટ ઓપરેટરોને ઓછું પેમેન્ટ કરવાનુ રહેશે તથા કંડકટરની પેનલ્ટી વસૂલ ન કરવા મ્યુનિસિપલ બોર્ડની મંજુરી પણ મેળવવામા આવશે.


અમદાવાદ મ્યુનિ પર 3550 કરોડનું જંગી દેવું 


કોરોના કાળમાં 80 દિવસ સુધી શહેરના રોડ ઉપર એક પણ મ્યુનિ.બસ દોડી નહોતી. આમ છતાં કોન્ટ્રાકટરોને ત્રીસ ટકા લેખે આઠ થી દસ કરોડ જેટલી માતબર રકમ સત્તાધીશોની મંજુરીથી આપવામા આવી હતી. હાલમાં એએમટીએસને માથે અમદાવાદ મ્યુનિ.ની લોનનું 3550 કરોડનું જંગી દેવું છે એ ભરપાઈ થઈ શકતું નથી ત્યારે આ સેવા ખાનગી ઓપરેટરોના હાથમાં ચાલી જશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .