અમદાવાદની ઓળખસમી AMTSનું પણ હવે ખાનગીકરણ થશે, 71 બસ કોન્ટ્રાક્ટરોને હવાલે કરવાની દરખાસ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 15:31:51

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) હવે અમદાવાદ પ્રાઈવેટ ઓપરેટર સર્વિસ બની જશે. AMTSદ્વારા લેવામાં આવેલી 71 આઈસર બસ આઠ વર્ષના સમય માટે ભાજપના મળતીયા કોન્ટ્રાકટરોને હવાલે કરી દેવાની દરખાસ્ત એ.એમ.ટી.એસ.ની મળનારી કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામા આવી છે. 


AMTS કમિટીની બેઠકમાં દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી


AMTSકમિટીની મળનારી બેઠકમાં 71 આઈસર બસ માટે પ્રથમ લોએસ્ટ પાર્ટી તરીકે ટાંક બસ ઓપરેશન પ્રા.લી.ને 36 બસ રુપિયા 37.26 પૈસા પ્રતિ કિલોમીટરના દરથી, મેસર્સ આદિનાથ બ્લક પ્રા.લી.ને ૩૫ બસ તથા ટાટાની 47 બસ ટાંક બસ ઓપરેશન પ્રા.લી.ને પ્રતિ કિલોમીટર 38.50 પૈસાના દરથી આઠ વર્ષ માટે કામ કરવા સહમત હોય તો અને પ્રથમ લોએસ્ટ સહમત ના હોય તો બીજી લોએસ્ટ પાર્ટી અહર્મ ટ્રાન્સપોર્ટેશન પ્રા.લી.ને પ્રથમ લો એસ્ટના ભાવે આઠ વર્ષ માટે પ્રથમ લોએસ્ટ પાર્ટી તરીકે આપવા દરખાસ્ત મંજુરી માટે મુકવામા આવી છે. ટાંકના ટેન્ડરમાં કંડકટરના પગાર તરીકે છ વર્ષ માટે પ્રતિ કિલોમીટર 4.50 પૈસા તથા આઠ વર્ષ માટે પ્રતિ કિલોમીટર 4.80 પૈસા દર્શાવેલ છે. જે પ્રાઈવેટ ઓપરેટરોને ઓછું પેમેન્ટ કરવાનુ રહેશે તથા કંડકટરની પેનલ્ટી વસૂલ ન કરવા મ્યુનિસિપલ બોર્ડની મંજુરી પણ મેળવવામા આવશે.


અમદાવાદ મ્યુનિ પર 3550 કરોડનું જંગી દેવું 


કોરોના કાળમાં 80 દિવસ સુધી શહેરના રોડ ઉપર એક પણ મ્યુનિ.બસ દોડી નહોતી. આમ છતાં કોન્ટ્રાકટરોને ત્રીસ ટકા લેખે આઠ થી દસ કરોડ જેટલી માતબર રકમ સત્તાધીશોની મંજુરીથી આપવામા આવી હતી. હાલમાં એએમટીએસને માથે અમદાવાદ મ્યુનિ.ની લોનનું 3550 કરોડનું જંગી દેવું છે એ ભરપાઈ થઈ શકતું નથી ત્યારે આ સેવા ખાનગી ઓપરેટરોના હાથમાં ચાલી જશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.