અમદાવાદની ઓળખસમી AMTSનું પણ હવે ખાનગીકરણ થશે, 71 બસ કોન્ટ્રાક્ટરોને હવાલે કરવાની દરખાસ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 15:31:51

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) હવે અમદાવાદ પ્રાઈવેટ ઓપરેટર સર્વિસ બની જશે. AMTSદ્વારા લેવામાં આવેલી 71 આઈસર બસ આઠ વર્ષના સમય માટે ભાજપના મળતીયા કોન્ટ્રાકટરોને હવાલે કરી દેવાની દરખાસ્ત એ.એમ.ટી.એસ.ની મળનારી કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામા આવી છે. 


AMTS કમિટીની બેઠકમાં દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી


AMTSકમિટીની મળનારી બેઠકમાં 71 આઈસર બસ માટે પ્રથમ લોએસ્ટ પાર્ટી તરીકે ટાંક બસ ઓપરેશન પ્રા.લી.ને 36 બસ રુપિયા 37.26 પૈસા પ્રતિ કિલોમીટરના દરથી, મેસર્સ આદિનાથ બ્લક પ્રા.લી.ને ૩૫ બસ તથા ટાટાની 47 બસ ટાંક બસ ઓપરેશન પ્રા.લી.ને પ્રતિ કિલોમીટર 38.50 પૈસાના દરથી આઠ વર્ષ માટે કામ કરવા સહમત હોય તો અને પ્રથમ લોએસ્ટ સહમત ના હોય તો બીજી લોએસ્ટ પાર્ટી અહર્મ ટ્રાન્સપોર્ટેશન પ્રા.લી.ને પ્રથમ લો એસ્ટના ભાવે આઠ વર્ષ માટે પ્રથમ લોએસ્ટ પાર્ટી તરીકે આપવા દરખાસ્ત મંજુરી માટે મુકવામા આવી છે. ટાંકના ટેન્ડરમાં કંડકટરના પગાર તરીકે છ વર્ષ માટે પ્રતિ કિલોમીટર 4.50 પૈસા તથા આઠ વર્ષ માટે પ્રતિ કિલોમીટર 4.80 પૈસા દર્શાવેલ છે. જે પ્રાઈવેટ ઓપરેટરોને ઓછું પેમેન્ટ કરવાનુ રહેશે તથા કંડકટરની પેનલ્ટી વસૂલ ન કરવા મ્યુનિસિપલ બોર્ડની મંજુરી પણ મેળવવામા આવશે.


અમદાવાદ મ્યુનિ પર 3550 કરોડનું જંગી દેવું 


કોરોના કાળમાં 80 દિવસ સુધી શહેરના રોડ ઉપર એક પણ મ્યુનિ.બસ દોડી નહોતી. આમ છતાં કોન્ટ્રાકટરોને ત્રીસ ટકા લેખે આઠ થી દસ કરોડ જેટલી માતબર રકમ સત્તાધીશોની મંજુરીથી આપવામા આવી હતી. હાલમાં એએમટીએસને માથે અમદાવાદ મ્યુનિ.ની લોનનું 3550 કરોડનું જંગી દેવું છે એ ભરપાઈ થઈ શકતું નથી ત્યારે આ સેવા ખાનગી ઓપરેટરોના હાથમાં ચાલી જશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે