અમદાવાદની ઓળખસમી AMTSનું પણ હવે ખાનગીકરણ થશે, 71 બસ કોન્ટ્રાક્ટરોને હવાલે કરવાની દરખાસ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 15:31:51

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) હવે અમદાવાદ પ્રાઈવેટ ઓપરેટર સર્વિસ બની જશે. AMTSદ્વારા લેવામાં આવેલી 71 આઈસર બસ આઠ વર્ષના સમય માટે ભાજપના મળતીયા કોન્ટ્રાકટરોને હવાલે કરી દેવાની દરખાસ્ત એ.એમ.ટી.એસ.ની મળનારી કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામા આવી છે. 


AMTS કમિટીની બેઠકમાં દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી


AMTSકમિટીની મળનારી બેઠકમાં 71 આઈસર બસ માટે પ્રથમ લોએસ્ટ પાર્ટી તરીકે ટાંક બસ ઓપરેશન પ્રા.લી.ને 36 બસ રુપિયા 37.26 પૈસા પ્રતિ કિલોમીટરના દરથી, મેસર્સ આદિનાથ બ્લક પ્રા.લી.ને ૩૫ બસ તથા ટાટાની 47 બસ ટાંક બસ ઓપરેશન પ્રા.લી.ને પ્રતિ કિલોમીટર 38.50 પૈસાના દરથી આઠ વર્ષ માટે કામ કરવા સહમત હોય તો અને પ્રથમ લોએસ્ટ સહમત ના હોય તો બીજી લોએસ્ટ પાર્ટી અહર્મ ટ્રાન્સપોર્ટેશન પ્રા.લી.ને પ્રથમ લો એસ્ટના ભાવે આઠ વર્ષ માટે પ્રથમ લોએસ્ટ પાર્ટી તરીકે આપવા દરખાસ્ત મંજુરી માટે મુકવામા આવી છે. ટાંકના ટેન્ડરમાં કંડકટરના પગાર તરીકે છ વર્ષ માટે પ્રતિ કિલોમીટર 4.50 પૈસા તથા આઠ વર્ષ માટે પ્રતિ કિલોમીટર 4.80 પૈસા દર્શાવેલ છે. જે પ્રાઈવેટ ઓપરેટરોને ઓછું પેમેન્ટ કરવાનુ રહેશે તથા કંડકટરની પેનલ્ટી વસૂલ ન કરવા મ્યુનિસિપલ બોર્ડની મંજુરી પણ મેળવવામા આવશે.


અમદાવાદ મ્યુનિ પર 3550 કરોડનું જંગી દેવું 


કોરોના કાળમાં 80 દિવસ સુધી શહેરના રોડ ઉપર એક પણ મ્યુનિ.બસ દોડી નહોતી. આમ છતાં કોન્ટ્રાકટરોને ત્રીસ ટકા લેખે આઠ થી દસ કરોડ જેટલી માતબર રકમ સત્તાધીશોની મંજુરીથી આપવામા આવી હતી. હાલમાં એએમટીએસને માથે અમદાવાદ મ્યુનિ.ની લોનનું 3550 કરોડનું જંગી દેવું છે એ ભરપાઈ થઈ શકતું નથી ત્યારે આ સેવા ખાનગી ઓપરેટરોના હાથમાં ચાલી જશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.