અમૂલની ચૂંટણીનું પરિણામ, ચેરમેન પદે રામસિંહ પરમાર બિન હરીફ, વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનો વિજય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 19:51:15

ગુજરાતની ઓળખસમી અને દેશની શ્વેત ક્રાંતિ માટે જાણીતી અમુલ ડેરીના ચેરમેન ,વાઇસ ચેરમેનની આજે બે વર્ષ બાદ મતગણતરી યોજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમુલના ચેરમેન પદે રામસિંહ પરમારની બિન હરીફ નિયુક્તિ જ્યારે રાજેન્દ્રસિંહ પરમારને વાઇસ ચેરમેન પદે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ માટે લાંબી કાયદાકીય લડત લડવામાં આવી હતી.


શું હતો કાનુની વિવાદ?


આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 12 લાખ પશુપાલકો સાથે સંકળાયેલ વિશ્વ વિખ્યાત અમુલ ડેરીની વ્યવસ્થાયક કમિટીની ચૂંટણી વર્ષ 2020માં યોજાઈ હતી ,ચૂંટણી બાદ અમુલના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાતા ચેરમેન પદ માટે એક માત્ર રામસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી જ્યારે વાઇસ ચેરમેન પદ માટે રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશ પાઠકે ઉમેદવારી નોંધાવી હતી,ચૂંટણી પહેલા સરકાર દ્વારા અમુલમાં પોતાના ત્રણ પ્રતિનિધિની નિયુક્તિ કરતા અમુલ વ્યવસ્થાપક કમિટીમાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ યોજાયેલી ચેરમેન વાઈસ ચેરમેન પદની ચૂંટણીની મત ગણતરી પહેલા 2 ડિરેક્ટરોએ આ સમગ્ર મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સમગ્ર મામલો કોર્ટમાં જતાં મતગણતરી અટકાવી દેવામાં આવી હતી.


બે વર્ષ બાદ આજે થઈ હતી મતગણતરી


ગુજરાત હાઈકોર્ટમાં 2 વર્ષ સુધી ચાલેલી લાંબી કાયદાકીય લડત બાદ હાઈકોર્ટે  સરકાર દ્વારા નિયુક્ત કરેલા ત્રણ પ્રતિનિધિઓના મતોની ગણતરી રદ કરવાનો હુકમ કર્યો હતો. ત્યાર બાદ આજે અમૂલના સભાખંડમાં વર્ષ 2020માં યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. તો અહીં ચેરમેન પદે રામસિંહ પરમારને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. વાઈસ ચેરમેન પદે કૉંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા જ્યારે વાઈસ ચેરમેન પદે બોરસદ કૉંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને રાજેશ પાઠક કરતા 3 મત વધુ મળતા વાઈસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા વર્ષોથી રામસિંહ પરમાર અને રાજેન્દ્ર સિંહ પરમારની જોડી અમુલ ઉપર રાજ કરી રહી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.