અમૂલની ચૂંટણીનું પરિણામ, ચેરમેન પદે રામસિંહ પરમાર બિન હરીફ, વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનો વિજય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 19:51:15

ગુજરાતની ઓળખસમી અને દેશની શ્વેત ક્રાંતિ માટે જાણીતી અમુલ ડેરીના ચેરમેન ,વાઇસ ચેરમેનની આજે બે વર્ષ બાદ મતગણતરી યોજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમુલના ચેરમેન પદે રામસિંહ પરમારની બિન હરીફ નિયુક્તિ જ્યારે રાજેન્દ્રસિંહ પરમારને વાઇસ ચેરમેન પદે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ માટે લાંબી કાયદાકીય લડત લડવામાં આવી હતી.


શું હતો કાનુની વિવાદ?


આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 12 લાખ પશુપાલકો સાથે સંકળાયેલ વિશ્વ વિખ્યાત અમુલ ડેરીની વ્યવસ્થાયક કમિટીની ચૂંટણી વર્ષ 2020માં યોજાઈ હતી ,ચૂંટણી બાદ અમુલના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાતા ચેરમેન પદ માટે એક માત્ર રામસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી જ્યારે વાઇસ ચેરમેન પદ માટે રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશ પાઠકે ઉમેદવારી નોંધાવી હતી,ચૂંટણી પહેલા સરકાર દ્વારા અમુલમાં પોતાના ત્રણ પ્રતિનિધિની નિયુક્તિ કરતા અમુલ વ્યવસ્થાપક કમિટીમાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ યોજાયેલી ચેરમેન વાઈસ ચેરમેન પદની ચૂંટણીની મત ગણતરી પહેલા 2 ડિરેક્ટરોએ આ સમગ્ર મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સમગ્ર મામલો કોર્ટમાં જતાં મતગણતરી અટકાવી દેવામાં આવી હતી.


બે વર્ષ બાદ આજે થઈ હતી મતગણતરી


ગુજરાત હાઈકોર્ટમાં 2 વર્ષ સુધી ચાલેલી લાંબી કાયદાકીય લડત બાદ હાઈકોર્ટે  સરકાર દ્વારા નિયુક્ત કરેલા ત્રણ પ્રતિનિધિઓના મતોની ગણતરી રદ કરવાનો હુકમ કર્યો હતો. ત્યાર બાદ આજે અમૂલના સભાખંડમાં વર્ષ 2020માં યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. તો અહીં ચેરમેન પદે રામસિંહ પરમારને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. વાઈસ ચેરમેન પદે કૉંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા જ્યારે વાઈસ ચેરમેન પદે બોરસદ કૉંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને રાજેશ પાઠક કરતા 3 મત વધુ મળતા વાઈસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા વર્ષોથી રામસિંહ પરમાર અને રાજેન્દ્ર સિંહ પરમારની જોડી અમુલ ઉપર રાજ કરી રહી છે.



પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે

રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર. રવિરાજભાઈએ આર્મીમાં ફરજ બજાવવાનું સપનું જોયું, વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. કેન્સર થતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નશ્વર દેહ જ્યારે વતન આવ્યો ત્યારે અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.