અમૂલની ચૂંટણીનું પરિણામ, ચેરમેન પદે રામસિંહ પરમાર બિન હરીફ, વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનો વિજય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 19:51:15

ગુજરાતની ઓળખસમી અને દેશની શ્વેત ક્રાંતિ માટે જાણીતી અમુલ ડેરીના ચેરમેન ,વાઇસ ચેરમેનની આજે બે વર્ષ બાદ મતગણતરી યોજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમુલના ચેરમેન પદે રામસિંહ પરમારની બિન હરીફ નિયુક્તિ જ્યારે રાજેન્દ્રસિંહ પરમારને વાઇસ ચેરમેન પદે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ માટે લાંબી કાયદાકીય લડત લડવામાં આવી હતી.


શું હતો કાનુની વિવાદ?


આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 12 લાખ પશુપાલકો સાથે સંકળાયેલ વિશ્વ વિખ્યાત અમુલ ડેરીની વ્યવસ્થાયક કમિટીની ચૂંટણી વર્ષ 2020માં યોજાઈ હતી ,ચૂંટણી બાદ અમુલના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાતા ચેરમેન પદ માટે એક માત્ર રામસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી જ્યારે વાઇસ ચેરમેન પદ માટે રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશ પાઠકે ઉમેદવારી નોંધાવી હતી,ચૂંટણી પહેલા સરકાર દ્વારા અમુલમાં પોતાના ત્રણ પ્રતિનિધિની નિયુક્તિ કરતા અમુલ વ્યવસ્થાપક કમિટીમાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ યોજાયેલી ચેરમેન વાઈસ ચેરમેન પદની ચૂંટણીની મત ગણતરી પહેલા 2 ડિરેક્ટરોએ આ સમગ્ર મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સમગ્ર મામલો કોર્ટમાં જતાં મતગણતરી અટકાવી દેવામાં આવી હતી.


બે વર્ષ બાદ આજે થઈ હતી મતગણતરી


ગુજરાત હાઈકોર્ટમાં 2 વર્ષ સુધી ચાલેલી લાંબી કાયદાકીય લડત બાદ હાઈકોર્ટે  સરકાર દ્વારા નિયુક્ત કરેલા ત્રણ પ્રતિનિધિઓના મતોની ગણતરી રદ કરવાનો હુકમ કર્યો હતો. ત્યાર બાદ આજે અમૂલના સભાખંડમાં વર્ષ 2020માં યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. તો અહીં ચેરમેન પદે રામસિંહ પરમારને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. વાઈસ ચેરમેન પદે કૉંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા જ્યારે વાઈસ ચેરમેન પદે બોરસદ કૉંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને રાજેશ પાઠક કરતા 3 મત વધુ મળતા વાઈસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા વર્ષોથી રામસિંહ પરમાર અને રાજેન્દ્ર સિંહ પરમારની જોડી અમુલ ઉપર રાજ કરી રહી છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .