GCMMFના MD પદેથી આર એસ સોઢીની હકાલપટ્ટી, જયેન મહેતા બન્યા ઈન્ચાર્જ MD,સહકારી ક્ષેત્રે ખળભળાટ


  • Published By :
  • Published Date : 2023-01-09 19:20:34

ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટિંગ સંસ્થા GCMMFએ મહત્વનો નિર્ણય લેતા સંસ્થાના એમ ડી પદેથી આર એસ સોઢીની હકાલપટ્ટી કરી છે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ તેની લોકપ્રિય બ્રાન્ડ અમૂલના નેજા હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. સોઢીના રાજીનામું માગવા પાછળનું કારણ હજુ અકબંધ છે. જો કે આર.એસ. સોઢીની હકાલપટ્ટીથી સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.


ચાર દાયકાના શાસનનો અંત


GCMMFના મેનેજીંગ ડાયરેક્ટર આર એસ સોઢીને તાત્કાલીક ધોરણે પદ પરથી હટાવી દેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આજે સોમવારે ફેડરેશનની બોર્ડ મીટિંગમાં કરવામાં આવેલા એક ઠરાવ પ્રમાણે હવે સોઢીને તાત્કાલીક ધોરણે પદ પરથી હટવાની સુચના આપી છે. તેમના સ્થાને હાલ GCMMFના COO (Chief Operating Officer)જયેન મહેતાને ઈન્ચાર્જ એમડી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સોઢીની હકાલપટ્ટી સાથે જ અમૂલમાં તેમના ચાર દાયકાના શાસનનો અંત આવ્યો છે.


જયેન મહેતા કોણ છે?

 

આર એસ સોઢીના અનુગામી બનેલા જયેન મહેતા 31 વર્ષથી અમૂલ સાથે જોડાયેલા છે. હાલ GCMMFના COO જયેન મહેતાને મેનેજિંગ ડાયરેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જયેન મહેતાને ગત 2022 ના ફેબ્રુઆરી મહિનામાં GCMMFના COO પ્રમોટ કરાયા હતા. લગભગ એક વર્ષ બાદ તેમને GCMMFના એમડીનો ચાર્જ સોંપાયો છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીથી ગોલ્ડ મેડાલિસ્ટ છે. જયેન મહેતા GCMMF માં સિનિયર જનરલ મેનેજર તરીકે કાર્યરત હતા. તેમને ગત ફેબ્રુઆરી મહિનામાં ભારતની સૌથી મોટી સહકારી સંસ્થાના સીઓઓ તરીકે પ્રમોટ કરાયા હતા. તેઓ આ પહેલા પ્લાનિંગ અને માર્કેટિંગમાં કાર્યરત હતા. GCMMF બોર્ડની 31 જાન્યુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે જયેન મહેતાને COO તરીકે પ્રમોટ કરવાનો નિર્ણય લેવાયો હતો. જયેન મહેતાને આ સિનિયર જનરલ મેનેજર (પ્લાનિંગ અને માર્કેટિંગ), જીસીએમએમએફ (અમૂલ) ને ‘માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.