GCMMFના MD પદેથી આર એસ સોઢીની હકાલપટ્ટી, જયેન મહેતા બન્યા ઈન્ચાર્જ MD,સહકારી ક્ષેત્રે ખળભળાટ


  • Published By :
  • Published Date : 2023-01-09 19:20:34

ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટિંગ સંસ્થા GCMMFએ મહત્વનો નિર્ણય લેતા સંસ્થાના એમ ડી પદેથી આર એસ સોઢીની હકાલપટ્ટી કરી છે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ તેની લોકપ્રિય બ્રાન્ડ અમૂલના નેજા હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. સોઢીના રાજીનામું માગવા પાછળનું કારણ હજુ અકબંધ છે. જો કે આર.એસ. સોઢીની હકાલપટ્ટીથી સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.


ચાર દાયકાના શાસનનો અંત


GCMMFના મેનેજીંગ ડાયરેક્ટર આર એસ સોઢીને તાત્કાલીક ધોરણે પદ પરથી હટાવી દેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આજે સોમવારે ફેડરેશનની બોર્ડ મીટિંગમાં કરવામાં આવેલા એક ઠરાવ પ્રમાણે હવે સોઢીને તાત્કાલીક ધોરણે પદ પરથી હટવાની સુચના આપી છે. તેમના સ્થાને હાલ GCMMFના COO (Chief Operating Officer)જયેન મહેતાને ઈન્ચાર્જ એમડી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સોઢીની હકાલપટ્ટી સાથે જ અમૂલમાં તેમના ચાર દાયકાના શાસનનો અંત આવ્યો છે.


જયેન મહેતા કોણ છે?

 

આર એસ સોઢીના અનુગામી બનેલા જયેન મહેતા 31 વર્ષથી અમૂલ સાથે જોડાયેલા છે. હાલ GCMMFના COO જયેન મહેતાને મેનેજિંગ ડાયરેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જયેન મહેતાને ગત 2022 ના ફેબ્રુઆરી મહિનામાં GCMMFના COO પ્રમોટ કરાયા હતા. લગભગ એક વર્ષ બાદ તેમને GCMMFના એમડીનો ચાર્જ સોંપાયો છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીથી ગોલ્ડ મેડાલિસ્ટ છે. જયેન મહેતા GCMMF માં સિનિયર જનરલ મેનેજર તરીકે કાર્યરત હતા. તેમને ગત ફેબ્રુઆરી મહિનામાં ભારતની સૌથી મોટી સહકારી સંસ્થાના સીઓઓ તરીકે પ્રમોટ કરાયા હતા. તેઓ આ પહેલા પ્લાનિંગ અને માર્કેટિંગમાં કાર્યરત હતા. GCMMF બોર્ડની 31 જાન્યુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે જયેન મહેતાને COO તરીકે પ્રમોટ કરવાનો નિર્ણય લેવાયો હતો. જયેન મહેતાને આ સિનિયર જનરલ મેનેજર (પ્લાનિંગ અને માર્કેટિંગ), જીસીએમએમએફ (અમૂલ) ને ‘માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.