આણંદ નજીક ટ્રક અને લકઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, ગોઝારા અકસ્માતે લીધો ત્રણ લોકોના જીવ,


  • Published By :
  • Published Date : 2024-11-28 11:54:48

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.. અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે... અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે જ્યારે અનેક લોકો એવા હોય છે જેમને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે જેને કારણે તેમની જીંદગી ખરાબ થઈ જતી હોય છે... કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત ઓવરટેક કરવાના કારણે દુર્ઘટનાઓ સર્જાતી હોય છે.. ત્યારે એક ગંભીર અકસ્માત આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર નોંધાયો છે... ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત થતા ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થયા છે... અનેક લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે... 

ત્રણ લોકોના ઘટના સ્થળ પર થયા મોત

રસ્તા પર જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે એક પ્રકારનો ડર રહેતો હોય છે.. ક્યાંક અકસ્માત ના સર્જાઈ જાય કારણ કે અનેક લોકો એવી રીતે ગાડી ચલાવતા હોય છે જેને કારણે ડર લાગે... અનેક લોકો પોતાના બાપનો રસ્તો હોય તેવી રીતે વાહન ચલાવે છે... અથવા તો એવી રીતે ઓવરટેક કરવાની કોશિશ કરે છે જેને કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે... ત્યારે એક ગોઝારો અકસ્માત આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર થયો છે... જેમાં ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે અને ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થયા છે... 

મળતી માહિતી અનુસાર રાજકોટથી સુરત થઈ રહ્યા હતા... 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.