આણંદ નજીક ટ્રક અને લકઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, ગોઝારા અકસ્માતે લીધો ત્રણ લોકોના જીવ,


  • Published By :
  • Published Date : 2024-11-28 11:54:48

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.. અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે... અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે જ્યારે અનેક લોકો એવા હોય છે જેમને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે જેને કારણે તેમની જીંદગી ખરાબ થઈ જતી હોય છે... કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત ઓવરટેક કરવાના કારણે દુર્ઘટનાઓ સર્જાતી હોય છે.. ત્યારે એક ગંભીર અકસ્માત આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર નોંધાયો છે... ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત થતા ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થયા છે... અનેક લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે... 

ત્રણ લોકોના ઘટના સ્થળ પર થયા મોત

રસ્તા પર જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે એક પ્રકારનો ડર રહેતો હોય છે.. ક્યાંક અકસ્માત ના સર્જાઈ જાય કારણ કે અનેક લોકો એવી રીતે ગાડી ચલાવતા હોય છે જેને કારણે ડર લાગે... અનેક લોકો પોતાના બાપનો રસ્તો હોય તેવી રીતે વાહન ચલાવે છે... અથવા તો એવી રીતે ઓવરટેક કરવાની કોશિશ કરે છે જેને કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે... ત્યારે એક ગોઝારો અકસ્માત આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર થયો છે... જેમાં ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે અને ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થયા છે... 

મળતી માહિતી અનુસાર રાજકોટથી સુરત થઈ રહ્યા હતા... 



રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.