આણંદ નજીક ટ્રક અને લકઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, ગોઝારા અકસ્માતે લીધો ત્રણ લોકોના જીવ,


  • Published By :
  • Published Date : 2024-11-28 11:54:48

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.. અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે... અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે જ્યારે અનેક લોકો એવા હોય છે જેમને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે જેને કારણે તેમની જીંદગી ખરાબ થઈ જતી હોય છે... કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત ઓવરટેક કરવાના કારણે દુર્ઘટનાઓ સર્જાતી હોય છે.. ત્યારે એક ગંભીર અકસ્માત આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર નોંધાયો છે... ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત થતા ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થયા છે... અનેક લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે... 

ત્રણ લોકોના ઘટના સ્થળ પર થયા મોત

રસ્તા પર જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે એક પ્રકારનો ડર રહેતો હોય છે.. ક્યાંક અકસ્માત ના સર્જાઈ જાય કારણ કે અનેક લોકો એવી રીતે ગાડી ચલાવતા હોય છે જેને કારણે ડર લાગે... અનેક લોકો પોતાના બાપનો રસ્તો હોય તેવી રીતે વાહન ચલાવે છે... અથવા તો એવી રીતે ઓવરટેક કરવાની કોશિશ કરે છે જેને કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે... ત્યારે એક ગોઝારો અકસ્માત આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર થયો છે... જેમાં ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે અને ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થયા છે... 

મળતી માહિતી અનુસાર રાજકોટથી સુરત થઈ રહ્યા હતા... 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.