આણંદ નજીક ટ્રક અને લકઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, ગોઝારા અકસ્માતે લીધો ત્રણ લોકોના જીવ,


  • Published By :
  • Published Date : 2024-11-28 11:54:48

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.. અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે... અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે જ્યારે અનેક લોકો એવા હોય છે જેમને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે જેને કારણે તેમની જીંદગી ખરાબ થઈ જતી હોય છે... કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત ઓવરટેક કરવાના કારણે દુર્ઘટનાઓ સર્જાતી હોય છે.. ત્યારે એક ગંભીર અકસ્માત આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર નોંધાયો છે... ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત થતા ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થયા છે... અનેક લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે... 

ત્રણ લોકોના ઘટના સ્થળ પર થયા મોત

રસ્તા પર જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે એક પ્રકારનો ડર રહેતો હોય છે.. ક્યાંક અકસ્માત ના સર્જાઈ જાય કારણ કે અનેક લોકો એવી રીતે ગાડી ચલાવતા હોય છે જેને કારણે ડર લાગે... અનેક લોકો પોતાના બાપનો રસ્તો હોય તેવી રીતે વાહન ચલાવે છે... અથવા તો એવી રીતે ઓવરટેક કરવાની કોશિશ કરે છે જેને કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે... ત્યારે એક ગોઝારો અકસ્માત આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર થયો છે... જેમાં ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે અને ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થયા છે... 

મળતી માહિતી અનુસાર રાજકોટથી સુરત થઈ રહ્યા હતા... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.