Ahmedabad-Rajkot હાઈવે પર બે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, ઘટનાસ્થળ પર થયા આટલા લોકોના કમકમાટીભર્યા મોત!


  • Published By :
  • Published Date : 2023-12-14 15:51:56

છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વણજાર જોવા મળી રહી છે. અલગ અલગ અકસ્માતોને કારણે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હશે. ગઈકાલે જ પાટણમાં એક અકસ્માત થયો જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. પ્રસંગમાં પરિવાર જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર અચાનક જાનવર આવી ગયો જેને કારણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને પાણી ભરેલા ખાડામાં પડી ગઈ અને આ દુર્ઘટના સર્જાઈ. ત્યારે આજે પણ એક અકસ્માત રાજકોટ અમદાવાદ હાઈવે પર સર્જાયો છે જેમાં બે ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે અને ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા છે. 

rajkot-ahmedabad-highway-accident-3-people-died-and-other-injured-in-truck-and-two-cars-accident-249073

બે ગાડી અને ટ્રક વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર 

હાઈ-વે અનેક વખત આપણે લોકોને બેફામ રીતે વાહન ચલાવતા જોયા હશે. રસ્તા પર લોકો સ્ટંટ કરતા પણ દેખાય છે. સ્ટંટ કરતા લોકો ન માત્ર પોતાના જીવનને જોખમમાં નાખે છે પરંતુ બીજાના જીવ પર પણ સંકટ ઉભું કરે છે. અનેક એવા વીડિયો આપણી સામે છે જેમાં સ્ટંટ કરતા લોકો દેખાય છે. અકસ્માતો આને કારણે પણ સર્જાય છે પરંતુ બીજા અનેક કારણો હોય છે જેને કારણે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બે કાર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં 3 લોકોના મોત ઘટનાસ્થળ પર થયા છે. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારના કૂરચે કૂરચા ઉડી ગયા હતા. મળતી માહિતી અનુસાર માલિસણા ગામ પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. 


ઘટનાસ્થળ પર થયાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત!

જે ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો છે તેમાની એક ગાડી સુરેન્દ્રનગર પાસિંગની હતી જ્યારે બીજી ગાડી રાજકોટ પાસિંગની હતી તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. આ ભયંકર અકસ્માત વહેલી સવારે થયો હતો. આ એટલો ભયંકર અકસ્માત હતો કે દરવાજા તોડીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. મળતી માહિતી અનુસાર ટ્રકે પહેલા બ્રેક મારી અને પછી બે કાર પાછળ ઘૂસી ગઈ. પાછળથી ડમ્પર અથડાયું અને બંને ગાડીનું પડીકું વળી ગયું. આ ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણથી ચાર લોકોના મોત થઈ ગયા છે.

       



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."