Ahmedabad-Rajkot હાઈવે પર બે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, ઘટનાસ્થળ પર થયા આટલા લોકોના કમકમાટીભર્યા મોત!


  • Published By :
  • Published Date : 2023-12-14 15:51:56

છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વણજાર જોવા મળી રહી છે. અલગ અલગ અકસ્માતોને કારણે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હશે. ગઈકાલે જ પાટણમાં એક અકસ્માત થયો જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. પ્રસંગમાં પરિવાર જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર અચાનક જાનવર આવી ગયો જેને કારણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને પાણી ભરેલા ખાડામાં પડી ગઈ અને આ દુર્ઘટના સર્જાઈ. ત્યારે આજે પણ એક અકસ્માત રાજકોટ અમદાવાદ હાઈવે પર સર્જાયો છે જેમાં બે ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે અને ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા છે. 

rajkot-ahmedabad-highway-accident-3-people-died-and-other-injured-in-truck-and-two-cars-accident-249073

બે ગાડી અને ટ્રક વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર 

હાઈ-વે અનેક વખત આપણે લોકોને બેફામ રીતે વાહન ચલાવતા જોયા હશે. રસ્તા પર લોકો સ્ટંટ કરતા પણ દેખાય છે. સ્ટંટ કરતા લોકો ન માત્ર પોતાના જીવનને જોખમમાં નાખે છે પરંતુ બીજાના જીવ પર પણ સંકટ ઉભું કરે છે. અનેક એવા વીડિયો આપણી સામે છે જેમાં સ્ટંટ કરતા લોકો દેખાય છે. અકસ્માતો આને કારણે પણ સર્જાય છે પરંતુ બીજા અનેક કારણો હોય છે જેને કારણે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બે કાર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં 3 લોકોના મોત ઘટનાસ્થળ પર થયા છે. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારના કૂરચે કૂરચા ઉડી ગયા હતા. મળતી માહિતી અનુસાર માલિસણા ગામ પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. 


ઘટનાસ્થળ પર થયાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત!

જે ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો છે તેમાની એક ગાડી સુરેન્દ્રનગર પાસિંગની હતી જ્યારે બીજી ગાડી રાજકોટ પાસિંગની હતી તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. આ ભયંકર અકસ્માત વહેલી સવારે થયો હતો. આ એટલો ભયંકર અકસ્માત હતો કે દરવાજા તોડીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. મળતી માહિતી અનુસાર ટ્રકે પહેલા બ્રેક મારી અને પછી બે કાર પાછળ ઘૂસી ગઈ. પાછળથી ડમ્પર અથડાયું અને બંને ગાડીનું પડીકું વળી ગયું. આ ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણથી ચાર લોકોના મોત થઈ ગયા છે.

       



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.