Ahmedabadમાં સર્જાયો અકસ્માત, મનપાના સ્વિપર મશીને ફૂટપાથ પર રહેતા પરિવારને અડફેટે લીધો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-11 09:57:04

થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક લોકોના મોત થઈ ગયા. આ કેસની તપાસ ચાલી રહી છે ત્યાં તો વધુ એક આવો બનાવ અમદાવાદના વાસણા વિસ્તારમાં બન્યો છે. આ ઘટના કોઈ ગાડીથી નહીં પરંતુ સ્વીપર મશીનને કારણે બની છે. વહેલી સવારે જી.બી.શાહ કોલેજ પાસે સ્વીપર મશીન ફૂટપાથ પર ચઢી ગયું જેને કારણે આ અકસ્માત સર્જાયો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Ahmedabad Accident: Municipal sweeper machine crushes family on footpath in vasana, Ahmedabad, woman dies, one injured અમદાવાદના વાસણામાં મનપાના સ્વિપર મશીને ફૂટપાથ પર પરિવારને કચડ્યો, મહિલાનું મોત, એક ઈજાગ્રસ્ત

ફૂટપાટ પર રહેતા પરિવાર પર ચાલ્યું સ્વીપર મશીન!

અમદાવાદમાં અકસ્માતોની વણઝાર થઈ રહી હોય તેવી રીતે કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. અનેક લોકોએ પોતાનો જીવ અકસ્માતને કારણે ગુમાવ્યો હશે, કોઈએ પોતાની નજરોની સામે પોતાના પરિવારજનને મૃત્યુ પામતા જોયા હશે. અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક વખત એસટીબસ અથવા તો એએમટીએસ બસ દ્વારા અકસ્માત સર્જાયો હોય તેવા સમાચાર સામે આવતા હોય છે ત્યારે અમદાવાદના વાસણામાં અકસ્માત સ્વીપર મશીનને કારણે સર્જાયો છે. ફૂટપાથ પર રહેતા પરિવાર પર સ્વીપર મશીન વહેલી સવારે ફરી વળ્યું અને આ ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. જ્યારે બીજા વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને  કરી આ અપીલ | World News in Gujarati

ચાલકની કરવામાં આવી અટકાયત!

અનેક કિસ્સાઓમાં અકસ્માત સર્જી ઘટનાસ્થળ પરથી ડ્રાઈવરો ફરાર થઈ જાય છે. ત્યારે આ ઘટનામાં ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે સ્વિપર મશીન ચાલકની અટકાયત કરી છે. મહત્વનું છે અકસ્માતની  ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.