Ahmedabadમાં સર્જાયો અકસ્માત, મનપાના સ્વિપર મશીને ફૂટપાથ પર રહેતા પરિવારને અડફેટે લીધો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-11 09:57:04

થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક લોકોના મોત થઈ ગયા. આ કેસની તપાસ ચાલી રહી છે ત્યાં તો વધુ એક આવો બનાવ અમદાવાદના વાસણા વિસ્તારમાં બન્યો છે. આ ઘટના કોઈ ગાડીથી નહીં પરંતુ સ્વીપર મશીનને કારણે બની છે. વહેલી સવારે જી.બી.શાહ કોલેજ પાસે સ્વીપર મશીન ફૂટપાથ પર ચઢી ગયું જેને કારણે આ અકસ્માત સર્જાયો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Ahmedabad Accident: Municipal sweeper machine crushes family on footpath in vasana, Ahmedabad, woman dies, one injured અમદાવાદના વાસણામાં મનપાના સ્વિપર મશીને ફૂટપાથ પર પરિવારને કચડ્યો, મહિલાનું મોત, એક ઈજાગ્રસ્ત

ફૂટપાટ પર રહેતા પરિવાર પર ચાલ્યું સ્વીપર મશીન!

અમદાવાદમાં અકસ્માતોની વણઝાર થઈ રહી હોય તેવી રીતે કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. અનેક લોકોએ પોતાનો જીવ અકસ્માતને કારણે ગુમાવ્યો હશે, કોઈએ પોતાની નજરોની સામે પોતાના પરિવારજનને મૃત્યુ પામતા જોયા હશે. અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક વખત એસટીબસ અથવા તો એએમટીએસ બસ દ્વારા અકસ્માત સર્જાયો હોય તેવા સમાચાર સામે આવતા હોય છે ત્યારે અમદાવાદના વાસણામાં અકસ્માત સ્વીપર મશીનને કારણે સર્જાયો છે. ફૂટપાથ પર રહેતા પરિવાર પર સ્વીપર મશીન વહેલી સવારે ફરી વળ્યું અને આ ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. જ્યારે બીજા વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને  કરી આ અપીલ | World News in Gujarati

ચાલકની કરવામાં આવી અટકાયત!

અનેક કિસ્સાઓમાં અકસ્માત સર્જી ઘટનાસ્થળ પરથી ડ્રાઈવરો ફરાર થઈ જાય છે. ત્યારે આ ઘટનામાં ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે સ્વિપર મશીન ચાલકની અટકાયત કરી છે. મહત્વનું છે અકસ્માતની  ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે