Ahmedabadમાં સર્જાયો અકસ્માત, મનપાના સ્વિપર મશીને ફૂટપાથ પર રહેતા પરિવારને અડફેટે લીધો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-11 09:57:04

થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક લોકોના મોત થઈ ગયા. આ કેસની તપાસ ચાલી રહી છે ત્યાં તો વધુ એક આવો બનાવ અમદાવાદના વાસણા વિસ્તારમાં બન્યો છે. આ ઘટના કોઈ ગાડીથી નહીં પરંતુ સ્વીપર મશીનને કારણે બની છે. વહેલી સવારે જી.બી.શાહ કોલેજ પાસે સ્વીપર મશીન ફૂટપાથ પર ચઢી ગયું જેને કારણે આ અકસ્માત સર્જાયો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Ahmedabad Accident: Municipal sweeper machine crushes family on footpath in vasana, Ahmedabad, woman dies, one injured અમદાવાદના વાસણામાં મનપાના સ્વિપર મશીને ફૂટપાથ પર પરિવારને કચડ્યો, મહિલાનું મોત, એક ઈજાગ્રસ્ત

ફૂટપાટ પર રહેતા પરિવાર પર ચાલ્યું સ્વીપર મશીન!

અમદાવાદમાં અકસ્માતોની વણઝાર થઈ રહી હોય તેવી રીતે કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. અનેક લોકોએ પોતાનો જીવ અકસ્માતને કારણે ગુમાવ્યો હશે, કોઈએ પોતાની નજરોની સામે પોતાના પરિવારજનને મૃત્યુ પામતા જોયા હશે. અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક વખત એસટીબસ અથવા તો એએમટીએસ બસ દ્વારા અકસ્માત સર્જાયો હોય તેવા સમાચાર સામે આવતા હોય છે ત્યારે અમદાવાદના વાસણામાં અકસ્માત સ્વીપર મશીનને કારણે સર્જાયો છે. ફૂટપાથ પર રહેતા પરિવાર પર સ્વીપર મશીન વહેલી સવારે ફરી વળ્યું અને આ ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. જ્યારે બીજા વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને  કરી આ અપીલ | World News in Gujarati

ચાલકની કરવામાં આવી અટકાયત!

અનેક કિસ્સાઓમાં અકસ્માત સર્જી ઘટનાસ્થળ પરથી ડ્રાઈવરો ફરાર થઈ જાય છે. ત્યારે આ ઘટનામાં ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે સ્વિપર મશીન ચાલકની અટકાયત કરી છે. મહત્વનું છે અકસ્માતની  ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.