Ahmedabadમાં સર્જાયો અકસ્માત, મનપાના સ્વિપર મશીને ફૂટપાથ પર રહેતા પરિવારને અડફેટે લીધો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-11 09:57:04

થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક લોકોના મોત થઈ ગયા. આ કેસની તપાસ ચાલી રહી છે ત્યાં તો વધુ એક આવો બનાવ અમદાવાદના વાસણા વિસ્તારમાં બન્યો છે. આ ઘટના કોઈ ગાડીથી નહીં પરંતુ સ્વીપર મશીનને કારણે બની છે. વહેલી સવારે જી.બી.શાહ કોલેજ પાસે સ્વીપર મશીન ફૂટપાથ પર ચઢી ગયું જેને કારણે આ અકસ્માત સર્જાયો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Ahmedabad Accident: Municipal sweeper machine crushes family on footpath in vasana, Ahmedabad, woman dies, one injured અમદાવાદના વાસણામાં મનપાના સ્વિપર મશીને ફૂટપાથ પર પરિવારને કચડ્યો, મહિલાનું મોત, એક ઈજાગ્રસ્ત

ફૂટપાટ પર રહેતા પરિવાર પર ચાલ્યું સ્વીપર મશીન!

અમદાવાદમાં અકસ્માતોની વણઝાર થઈ રહી હોય તેવી રીતે કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. અનેક લોકોએ પોતાનો જીવ અકસ્માતને કારણે ગુમાવ્યો હશે, કોઈએ પોતાની નજરોની સામે પોતાના પરિવારજનને મૃત્યુ પામતા જોયા હશે. અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક વખત એસટીબસ અથવા તો એએમટીએસ બસ દ્વારા અકસ્માત સર્જાયો હોય તેવા સમાચાર સામે આવતા હોય છે ત્યારે અમદાવાદના વાસણામાં અકસ્માત સ્વીપર મશીનને કારણે સર્જાયો છે. ફૂટપાથ પર રહેતા પરિવાર પર સ્વીપર મશીન વહેલી સવારે ફરી વળ્યું અને આ ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. જ્યારે બીજા વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને  કરી આ અપીલ | World News in Gujarati

ચાલકની કરવામાં આવી અટકાયત!

અનેક કિસ્સાઓમાં અકસ્માત સર્જી ઘટનાસ્થળ પરથી ડ્રાઈવરો ફરાર થઈ જાય છે. ત્યારે આ ઘટનામાં ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે સ્વિપર મશીન ચાલકની અટકાયત કરી છે. મહત્વનું છે અકસ્માતની  ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.