Uttar Pradeshમાં સર્જાઈ દુર્ઘટના,ગાડી પરથી નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાતા થયા 6 લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-05 16:42:48

દેશમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે. આ વખતે રોડ અકસ્માત ઉત્તરપ્રદેશના કાનપુરમાં સર્જાયો છે. આ અકસ્માત ગઈકાલે મોડી રાત્રે સર્જાયો છે તેવી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગાડી અનિયંત્રિત થઈ ગઈ અને અકસ્માત સર્જાયો. અનિયમિત થઈ ગયેલી ગાડી નાળામાં પટકાઈ ગઈ જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે બે લોકોની હાલત ગંભીર છે. સારવાર અર્થે ઈજાગસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી ઉપરાંત સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા.


મોડી રાત્રે સર્જાયો અકસ્માત અને થયા 6 લોકોના મોત!

ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં એક રોડ અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના મોત ગાડી પરથી કાબુ ગુમાવી દેવાને કારણે થયા છે. 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત સિકંદરા પોલીસ સ્ટેશનના જગન્નાથપુર ગામડા પાસે સર્જાયો હતો. આ અકસ્માત 4-5 ફેબ્રુઆરી દરમિયાન મોડી રાત્રે 2 વાગે બન્યો હતો. જે લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે તે ડેરાપુર તેમજ શિવરાજપુરના રહેવાસી હતા.


અનિયંત્રિત ગાડી થઈ જવાને કારણે સર્જાયો અકસ્માત 

જે લોકોને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે તે તિલક સમારોહમાં ભાગ લેવા ગયા હતા ઈટાવાના મુર્રા ગામમાં. આ સમારોહથી પરત ફરતી વખતે ગાડી અનિયંત્રિત થઈ ગઈ અને નાળામાં પલટી ખાઈ ગઈ. આ અકસ્માત સર્જાયા પાછળનું એક કારણ એ હોઈ શકે છે તે રાતના સમયે વરસાદ થઈ રહ્યો હતો અને ગાડી સ્પીડમાં હતી. આ મામલાની તપાસ કરવામાં આવશે. 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે બે બાળકોના જીવ બચી ગયા છે. 


આ ઘટનામાં કોના થયા મૃત્યુ? 

જે લોકોના મોત થઈ ગયા છે તે અંગેની માહિતી સામે આવી છે જે પ્રમાણે 42 વર્ષના વિકાસ ગાડી ચલાવી રહ્યા હતા. તે ઉપરાંત તેમની સાથે 17 વર્ષની ખુશબુ, 13 વર્ષની પ્રાચી, 55 વર્ષના સંજય ઉર્ફે સંજૂ, 16 વર્ષનો ગોલું તેમજ 10 વર્ષના પ્રતિકની મોત થઈ ગઈ છે. જે બે લોકો બચી ગયા છે તેમાંનો એક વ્યક્તિ 18 વર્ષનો છે જ્યારે બીજી વ્યક્તિ 16 વર્ષની છે. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.