Surendranagar પાસે સર્જાયો અકસ્માત, ગાડી અને ટ્રક વચ્ચે ટક્કર થતા એક જ ગામના ચાર લોકોના થયા મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-07 11:50:07

ગુજરાતમાં પ્રતિદિન એવી અકસ્માતની ઘટના બને છે જેમાં લોકોના મોત થતા હોય છે. અકસ્માતો તો બને છે પરંતુ અનેક વખત તેમાં જાનહાની થઈ હોય તેવા સમાચાર નથી આવતા. પરંતુ છેલ્લા થોડા સમયથી એવા અકસ્માતો બની રહ્યા છે જેમાં લોકો મોતને ભેટી રહ્યા છે. બેફામ રીતે ગાડી ચલાવવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને કારણે એક્સિડન્ટ થાય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં એક ગંભીર અકસ્માત થયો છે જેમાં ચાર જેટલા લોકોના મોત થયા છે જ્યારે બે જેટલા લોકો ઘાયલ છે.

In Surendranagar, driver lost control, car collided with eicher, four killed, two injured સુરેન્દ્રનગરમાં ચાલેક કાબુ ગુમાવતા કાર આઈસર સાથે અથડાઈ, ચારના મોત, બે ઘાયલ


સુરેન્દ્રનગરમાં બની અકસ્માતની ઘટના 

રાજ્યમાં અનેક પરિવારો એવા હશે જેમણે અકસ્માતમાં પોતાના સ્વજનોને ગુમાવ્યા હશે. અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં મૃતકની કોઈ ભૂલ નથી હોતી તો પણ તે અકસ્માતનો ભોગ બને છે. કોઈ બીજાના ભૂલની સજા તેને ભોગવવી પડે છે. અકસ્માતોની સંખ્યામાં અનેક ઘણો વધારો નોંધાયો છે. રાજ્યમાં વાહનચાલકો બેફામ બની વાહનચલાવતા હોય તેવું લાગે છે. અનેક દિવસોથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે વધુ એક ભયંકર અકસ્માત સુરેન્દ્રનગર હાઈવે પાસે સર્જાયો છે તેવી માહિતી સામે આવી છે.  

 સુરેન્દ્રનગર: અમદાવાદ કરછ હાઈવે પર આઈશર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. ગાડીમાં સવાર લોકો હળવદ તાલુકાના હોવાનું સામે આવ્યુ છે. તેઓ ધ્રાંગધ્રાના એક ગામમાં પ્રસંગ પતાવીને ઘરે ફરી રહ્યા હતા. આ અકસ્માતની જાણ પરિવારને થતા શોકનો માહોલ છવાઇ ગયો છે.

 આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ધ્રાંગધ્રા બાયપાસ કુડા ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

ડિવાઈડર સાથે અથડાઈ જતા કાર પલટી અને બીજી બાજુ ફેંકાઈ

આ અકસ્માત ધ્રાંગધ્રા બાયપાસ પાસે સર્જાયો છે. અકસ્માતમાં કાર ચાલકે સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી કાર પલટી ડીવાઈડરની બીજી સાઈડ ઉપર જઈ આઇસર સાથે અથડાઈ હતી. એ અકસ્માત એટલો ભયંકર હતો કે આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર છે. એવી પણ માહિતી સામે આવી કે ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા જ્યારે એક વ્યક્તિનું મોત સારવાર દરમિયાન થયું છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર જે લોકોના મોત થયા છે તે હળવદના રહેવાસી હતા. તમામ મૃતકોની ઉંમર 20ની આસપાસ હતી.

 આ સાથે અન્ય ત્રણ લોકો સારવાર હેઠળ છે. તેમને અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. તેમની પણ હાલત હાલ ગંભીર છે તેમ જણાવવામાં આવ્યુ છે.

 ધ્રાંગધ્રાના એક ગામમાં પ્રસંગ હતો જ્યાં હળવદ તાલુકાના ગામના પરિવારના આ સભ્યો પ્રસંગ પતાવીને પરત આવી રહ્યા હતા. ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં બની હતી હિટ એન્ડ રનની ઘટના  

મહત્વનું છે કે અનેક એવા વીડિયો સામે આવતા હોય છે દિલને હચમચાવી દે તેવા હોય છે. અનેક કિસ્સાઓમાં સદનસીબે લોકોના જીવ બચે છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં થોડા દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં એક મહિલાનું મોત થઈ ગયું છે. તે બાદ તો આવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં લોકો મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. બેફામ રીતે વાહનચાલકો પર લગામ ક્યારે આવશે તે એક સવાલ છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.