Surendranagar પાસે સર્જાયો અકસ્માત, ગાડી અને ટ્રક વચ્ચે ટક્કર થતા એક જ ગામના ચાર લોકોના થયા મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-07 11:50:07

ગુજરાતમાં પ્રતિદિન એવી અકસ્માતની ઘટના બને છે જેમાં લોકોના મોત થતા હોય છે. અકસ્માતો તો બને છે પરંતુ અનેક વખત તેમાં જાનહાની થઈ હોય તેવા સમાચાર નથી આવતા. પરંતુ છેલ્લા થોડા સમયથી એવા અકસ્માતો બની રહ્યા છે જેમાં લોકો મોતને ભેટી રહ્યા છે. બેફામ રીતે ગાડી ચલાવવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને કારણે એક્સિડન્ટ થાય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં એક ગંભીર અકસ્માત થયો છે જેમાં ચાર જેટલા લોકોના મોત થયા છે જ્યારે બે જેટલા લોકો ઘાયલ છે.

In Surendranagar, driver lost control, car collided with eicher, four killed, two injured સુરેન્દ્રનગરમાં ચાલેક કાબુ ગુમાવતા કાર આઈસર સાથે અથડાઈ, ચારના મોત, બે ઘાયલ


સુરેન્દ્રનગરમાં બની અકસ્માતની ઘટના 

રાજ્યમાં અનેક પરિવારો એવા હશે જેમણે અકસ્માતમાં પોતાના સ્વજનોને ગુમાવ્યા હશે. અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં મૃતકની કોઈ ભૂલ નથી હોતી તો પણ તે અકસ્માતનો ભોગ બને છે. કોઈ બીજાના ભૂલની સજા તેને ભોગવવી પડે છે. અકસ્માતોની સંખ્યામાં અનેક ઘણો વધારો નોંધાયો છે. રાજ્યમાં વાહનચાલકો બેફામ બની વાહનચલાવતા હોય તેવું લાગે છે. અનેક દિવસોથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે વધુ એક ભયંકર અકસ્માત સુરેન્દ્રનગર હાઈવે પાસે સર્જાયો છે તેવી માહિતી સામે આવી છે.  

 સુરેન્દ્રનગર: અમદાવાદ કરછ હાઈવે પર આઈશર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. ગાડીમાં સવાર લોકો હળવદ તાલુકાના હોવાનું સામે આવ્યુ છે. તેઓ ધ્રાંગધ્રાના એક ગામમાં પ્રસંગ પતાવીને ઘરે ફરી રહ્યા હતા. આ અકસ્માતની જાણ પરિવારને થતા શોકનો માહોલ છવાઇ ગયો છે.

 આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ધ્રાંગધ્રા બાયપાસ કુડા ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

ડિવાઈડર સાથે અથડાઈ જતા કાર પલટી અને બીજી બાજુ ફેંકાઈ

આ અકસ્માત ધ્રાંગધ્રા બાયપાસ પાસે સર્જાયો છે. અકસ્માતમાં કાર ચાલકે સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી કાર પલટી ડીવાઈડરની બીજી સાઈડ ઉપર જઈ આઇસર સાથે અથડાઈ હતી. એ અકસ્માત એટલો ભયંકર હતો કે આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર છે. એવી પણ માહિતી સામે આવી કે ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા જ્યારે એક વ્યક્તિનું મોત સારવાર દરમિયાન થયું છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર જે લોકોના મોત થયા છે તે હળવદના રહેવાસી હતા. તમામ મૃતકોની ઉંમર 20ની આસપાસ હતી.

 આ સાથે અન્ય ત્રણ લોકો સારવાર હેઠળ છે. તેમને અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. તેમની પણ હાલત હાલ ગંભીર છે તેમ જણાવવામાં આવ્યુ છે.

 ધ્રાંગધ્રાના એક ગામમાં પ્રસંગ હતો જ્યાં હળવદ તાલુકાના ગામના પરિવારના આ સભ્યો પ્રસંગ પતાવીને પરત આવી રહ્યા હતા. ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં બની હતી હિટ એન્ડ રનની ઘટના  

મહત્વનું છે કે અનેક એવા વીડિયો સામે આવતા હોય છે દિલને હચમચાવી દે તેવા હોય છે. અનેક કિસ્સાઓમાં સદનસીબે લોકોના જીવ બચે છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં થોડા દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં એક મહિલાનું મોત થઈ ગયું છે. તે બાદ તો આવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં લોકો મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. બેફામ રીતે વાહનચાલકો પર લગામ ક્યારે આવશે તે એક સવાલ છે.  



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.