પાટણ નજીક લકઝરી બસ પલટી જતા સર્જાયો અકસ્માત, 20થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2022-11-05 09:44:23

શનિવારની વહેલી સવારે પાટણ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં લકઝરી બસ પલટી જતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાપીથી રાજસ્થાન જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. જેમાં 20થી વધું લોકોને ઈજા પહોંચી છે જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 


બસ પલટી જતા સર્જાયો અકસ્માત 

લોકો રાત્રીના દરમિયાન સફર કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ઘણી વખત ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતા અકસ્માત સર્જાતા હોય છે. આ બસનો સિદ્ધપુરના તાવડિયા ચાર રસ્તા પાસે અકસ્માત થયો છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતું. જેને કારણે બસ પલટી જાય છે. ઘટનાના સિસિટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બસ પૂરપાટ ઝડપે ચાલી રહી હતી. ઊંઘ આવવાને કારણે બસ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ પલટી ખાઈ ગઈ. 


તમામ લોકોને સારવાર અર્થે ખસેડાયા

બસ પલટી જતા બસમાં સવાર અનેક લોકોને ઈજાઓ પહોંચી છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા ઈજાગ્રસ્તોને સિદ્ધપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં અંદાજીત 22 જેટલા લોકોને ઈજા પહોંચી છે જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. હાઈવે પર અકસ્માત થવાને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

અનેક લોકો અકસ્માતમાં ગુમાવે છે પોતાનો જીવ 

આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાં પણ બની હતી. તેમાં પણ ડ્રાઈવરને ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. રાત્રીના સમયે ગાડી ચલાવતા ડ્રાઈવરને ઊંઘ આવી જતા દુર્ઘટના સર્જાતી હોય છે. જેને કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"