પાટણ નજીક લકઝરી બસ પલટી જતા સર્જાયો અકસ્માત, 20થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2022-11-05 09:44:23

શનિવારની વહેલી સવારે પાટણ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં લકઝરી બસ પલટી જતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાપીથી રાજસ્થાન જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. જેમાં 20થી વધું લોકોને ઈજા પહોંચી છે જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 


બસ પલટી જતા સર્જાયો અકસ્માત 

લોકો રાત્રીના દરમિયાન સફર કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ઘણી વખત ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતા અકસ્માત સર્જાતા હોય છે. આ બસનો સિદ્ધપુરના તાવડિયા ચાર રસ્તા પાસે અકસ્માત થયો છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતું. જેને કારણે બસ પલટી જાય છે. ઘટનાના સિસિટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બસ પૂરપાટ ઝડપે ચાલી રહી હતી. ઊંઘ આવવાને કારણે બસ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ પલટી ખાઈ ગઈ. 


તમામ લોકોને સારવાર અર્થે ખસેડાયા

બસ પલટી જતા બસમાં સવાર અનેક લોકોને ઈજાઓ પહોંચી છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા ઈજાગ્રસ્તોને સિદ્ધપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં અંદાજીત 22 જેટલા લોકોને ઈજા પહોંચી છે જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. હાઈવે પર અકસ્માત થવાને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

અનેક લોકો અકસ્માતમાં ગુમાવે છે પોતાનો જીવ 

આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાં પણ બની હતી. તેમાં પણ ડ્રાઈવરને ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. રાત્રીના સમયે ગાડી ચલાવતા ડ્રાઈવરને ઊંઘ આવી જતા દુર્ઘટના સર્જાતી હોય છે. જેને કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.