વંદે ભારત ટ્રેન સાથે સર્જાઈ દુર્ઘટના, આ રૂટ પર જતી ટ્રેનના કોચમાં લાગી આગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-17 09:48:20

ભારતના અનેક રાજ્યો વચ્ચે વંદે ભારત ટ્રેન દોડી રહી છે. અનેક રાજ્યોને વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. પરંતુ જ્યારથી વંદે ભારત લોન્ચ થઈ છે ટ્રેન સાથે અનેક વખત અકસ્માત સર્જાયા છે. અનેક વખત ટ્રેક પર રખડતા પશુ આવી જવાને કારણે ટ્રેન સાથે અકસ્માત સર્જાય છે ઉપરાંત ટ્રેનને નુકસાન પણ પહોંચે છે. ત્યારે ફરી એક વખત વંદે ભારત ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. વંદે ભારત ટ્રેનમાં આગ લાગી ગઈ છે. ભોપાલથી દિલ્હી જઈ રહેલી ટ્રેનના સી-14 ડબ્બામાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. ટ્રેનમાં મુસાફરી કરેલા મુસાફરો સુરક્ષિત છે.   

ટ્રેનના આ કોચમાં લાગી આગ 

આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક ઘટનાઓમાં જાનહાની પણ થતી હોય છે. ત્યારે ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદેભારત ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી હતી. રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. બીના રેલવે સ્ટેશન પહેલા કુરવાઈ કેથોરા ખાતે ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. કોચમાં લગભગ 36 મુસાફરો છે. આગ લાગવાની ઘટના સામે આવતા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. ઘટના બીના શહેર પહેલા બની છે. 


અનેક વખત વંદે ભારત ટ્રેન સાથે સર્જાઈ છે દુર્ઘટના 

મહત્વનું છે કે વંદે ભારત ટ્રેન સાથે અનેક વખત અકસ્માત સર્જાયા છે. કોઈ વખત ટ્રેન ગાય સાથે અથડાય છે તો કોઈ વખત ભેંસ રેલવે ટ્રેક પર આવી જતી હતી. જેને લઈ ટ્રેનને નુકસાન પહોંચતું હોય છે. ત્યારે વંદે ભારત ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. કોચમાં આગ લાગી જતા મુસાફરોને બહાર ઉતારી દેવાયા હતા. આ મામલે મળતી માહિતી અનુસાર બેટરીમાં આગ લાગી હતી. મહત્વનું છે કે થોડા સમય પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ જ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.