વંદે ભારત ટ્રેન સાથે સર્જાઈ દુર્ઘટના, આ રૂટ પર જતી ટ્રેનના કોચમાં લાગી આગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-17 09:48:20

ભારતના અનેક રાજ્યો વચ્ચે વંદે ભારત ટ્રેન દોડી રહી છે. અનેક રાજ્યોને વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. પરંતુ જ્યારથી વંદે ભારત લોન્ચ થઈ છે ટ્રેન સાથે અનેક વખત અકસ્માત સર્જાયા છે. અનેક વખત ટ્રેક પર રખડતા પશુ આવી જવાને કારણે ટ્રેન સાથે અકસ્માત સર્જાય છે ઉપરાંત ટ્રેનને નુકસાન પણ પહોંચે છે. ત્યારે ફરી એક વખત વંદે ભારત ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. વંદે ભારત ટ્રેનમાં આગ લાગી ગઈ છે. ભોપાલથી દિલ્હી જઈ રહેલી ટ્રેનના સી-14 ડબ્બામાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. ટ્રેનમાં મુસાફરી કરેલા મુસાફરો સુરક્ષિત છે.   

ટ્રેનના આ કોચમાં લાગી આગ 

આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક ઘટનાઓમાં જાનહાની પણ થતી હોય છે. ત્યારે ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદેભારત ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી હતી. રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. બીના રેલવે સ્ટેશન પહેલા કુરવાઈ કેથોરા ખાતે ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. કોચમાં લગભગ 36 મુસાફરો છે. આગ લાગવાની ઘટના સામે આવતા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. ઘટના બીના શહેર પહેલા બની છે. 


અનેક વખત વંદે ભારત ટ્રેન સાથે સર્જાઈ છે દુર્ઘટના 

મહત્વનું છે કે વંદે ભારત ટ્રેન સાથે અનેક વખત અકસ્માત સર્જાયા છે. કોઈ વખત ટ્રેન ગાય સાથે અથડાય છે તો કોઈ વખત ભેંસ રેલવે ટ્રેક પર આવી જતી હતી. જેને લઈ ટ્રેનને નુકસાન પહોંચતું હોય છે. ત્યારે વંદે ભારત ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. કોચમાં આગ લાગી જતા મુસાફરોને બહાર ઉતારી દેવાયા હતા. આ મામલે મળતી માહિતી અનુસાર બેટરીમાં આગ લાગી હતી. મહત્વનું છે કે થોડા સમય પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ જ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું.   




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .