વંદે ભારત ટ્રેન સાથે સર્જાઈ દુર્ઘટના, આ રૂટ પર જતી ટ્રેનના કોચમાં લાગી આગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-17 09:48:20

ભારતના અનેક રાજ્યો વચ્ચે વંદે ભારત ટ્રેન દોડી રહી છે. અનેક રાજ્યોને વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. પરંતુ જ્યારથી વંદે ભારત લોન્ચ થઈ છે ટ્રેન સાથે અનેક વખત અકસ્માત સર્જાયા છે. અનેક વખત ટ્રેક પર રખડતા પશુ આવી જવાને કારણે ટ્રેન સાથે અકસ્માત સર્જાય છે ઉપરાંત ટ્રેનને નુકસાન પણ પહોંચે છે. ત્યારે ફરી એક વખત વંદે ભારત ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. વંદે ભારત ટ્રેનમાં આગ લાગી ગઈ છે. ભોપાલથી દિલ્હી જઈ રહેલી ટ્રેનના સી-14 ડબ્બામાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. ટ્રેનમાં મુસાફરી કરેલા મુસાફરો સુરક્ષિત છે.   

ટ્રેનના આ કોચમાં લાગી આગ 

આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક ઘટનાઓમાં જાનહાની પણ થતી હોય છે. ત્યારે ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદેભારત ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી હતી. રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. બીના રેલવે સ્ટેશન પહેલા કુરવાઈ કેથોરા ખાતે ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. કોચમાં લગભગ 36 મુસાફરો છે. આગ લાગવાની ઘટના સામે આવતા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. ઘટના બીના શહેર પહેલા બની છે. 


અનેક વખત વંદે ભારત ટ્રેન સાથે સર્જાઈ છે દુર્ઘટના 

મહત્વનું છે કે વંદે ભારત ટ્રેન સાથે અનેક વખત અકસ્માત સર્જાયા છે. કોઈ વખત ટ્રેન ગાય સાથે અથડાય છે તો કોઈ વખત ભેંસ રેલવે ટ્રેક પર આવી જતી હતી. જેને લઈ ટ્રેનને નુકસાન પહોંચતું હોય છે. ત્યારે વંદે ભારત ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. કોચમાં આગ લાગી જતા મુસાફરોને બહાર ઉતારી દેવાયા હતા. આ મામલે મળતી માહિતી અનુસાર બેટરીમાં આગ લાગી હતી. મહત્વનું છે કે થોડા સમય પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ જ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.