દારૂના અડ્ડા પર જાગૃત નાગરિકે કરી રેડ! Adv. Mehul Bogharaએ શેર કર્યો વીડિયો, રેડ દરમિયાન કર્યું ફેસબુક લાઈવ, જોવા મળી દારૂની રેલમછેલ!


  • Published By :
  • Published Date : 2023-09-18 15:06:47

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે તે આપણે જાણીએ છીએ પરંતુ તેનો કેટલો અમલ થાય છે તે પણ આપણી નજરોની સામે છે. અનેક એવા કિસ્સાઓ, અનેક એવા વીડિયો અવાર-નવાર સામે આવતા હોય છે જે દારૂબંધીની પોલ ખોલતા હોય છે. દારૂ બંધીની શું વાસ્તવિક્તા છે તે આપણે સૌ જાણીએ છીએ. અવાર-નવાર આપણી સામે એવા વીડિયો, એવી ઘટનાઓ સામે આવતી રહે છે જે દારૂબંધીના દાવાને પોકળ સાબિત કરે છે. એડવોકેટ મેહૂલ બોઘરાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક જાગૃત નાગરિકે દારૂના અડ્ડા પર રેડ પાડી હતી. દારૂબંધીની વાતો વચ્ચે દારૂની રેલમ છેલ જોવા મળી હતી. જ્યારે રેડ કરવામાં આવી ત્યારે ત્યાંથી મોટા જથ્થામાં દારૂ મળી આવ્યો હતો. 

જાગૃત નાગરિકે કરી દારૂના અડ્ડા પર રેડ 

એડવોકેટ મેહુલ બોઘરા અનેક વખત અલગ અલગ મુદ્દાઓને લઈ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરી એક વખત મેહુલ બોઘરા ચર્ચામાં આવ્યા છે.સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ અને વીડિયો શેર કર્યો છે જે ગુજરાતમાં  કેટલી દારૂબંધી છે તેની પોલ ખોલી દે છે. દારૂના અડ્ડા પર એક જાગૃત નાગરિકે રેડ પાડી હતી. અને આ રેડનું જીવંત પ્રસારણ એક નાગરિક દ્વારા કરવામાં આવ્યું હતું. અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયેશ ગુર્જર નામના વ્યક્તિએ દારૂના અડ્ડા પર રેડ કરી હતી. આ રેડનું લાઈવ પ્રસારણ તેમણે ફેસબુક પર કર્યું હતું. અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિચંપાની સામે, બીએસપીએસ મંદિરની બાજુમાં ધામધૂમથી ચાલતા દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી હતી. 


ફેસબુક લાઈવમાં જોવા મળી દારૂની રેલમછેલ! 

જે જાગૃત્ત નાગરિક દ્વારા આ રેડ પાડવામાં આવી હતી તેમણે આ રેડનું લાઈવ ફેસબુક પર કર્યું છે. આ રેડ દરમિયાન ઘટના સ્થળ પર હજારોની કિંમતનો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પરંતુ 10 મિનીટનો સમય વિત્યો પરંતુ પોલીસ કર્મી ત્યાં આવ્યા ન હતા. પોલીસ કર્મચારી સ્થળ પર હાજર થયા ન થયા લાઈવના અંતમાં જાગૃત નાગરિક પર હુમલો કરવામાં આવ્યો હતો. 


જે કામ પોલીસને કરવું જોઈએ તે કામ સામાન્ય જનતા કરી રહી છે!

મહત્વનું છે કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં પોલીસને ખબર હોય છે કે દારૂનો અડ્ડો ચાલતો હોય છે પરંતુ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસને જાણ હોવા છતાંય દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવતી નથી.પોલીસને અનેક વખત લોકો જાણ પણ કરતા હોય છે કે આ જગ્યા પર દારૂ મળે છે પરંતુ તે બાદ પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.  રેડ કરી સામાન્ય નાગરિક જનતા દારૂનો નાશ કરે છે. મહત્વનું છે જે કામ પોલીસને કરવાનું હોય તે કામ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાઓ રણચંડી બનીને દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. દારૂનો નાશ થતાં રસ્તા પર દારૂની રેલમછેલ જોવા મળી હતી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.