દારૂના અડ્ડા પર જાગૃત નાગરિકે કરી રેડ! Adv. Mehul Bogharaએ શેર કર્યો વીડિયો, રેડ દરમિયાન કર્યું ફેસબુક લાઈવ, જોવા મળી દારૂની રેલમછેલ!


  • Published By :
  • Published Date : 2023-09-18 15:06:47

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે તે આપણે જાણીએ છીએ પરંતુ તેનો કેટલો અમલ થાય છે તે પણ આપણી નજરોની સામે છે. અનેક એવા કિસ્સાઓ, અનેક એવા વીડિયો અવાર-નવાર સામે આવતા હોય છે જે દારૂબંધીની પોલ ખોલતા હોય છે. દારૂ બંધીની શું વાસ્તવિક્તા છે તે આપણે સૌ જાણીએ છીએ. અવાર-નવાર આપણી સામે એવા વીડિયો, એવી ઘટનાઓ સામે આવતી રહે છે જે દારૂબંધીના દાવાને પોકળ સાબિત કરે છે. એડવોકેટ મેહૂલ બોઘરાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક જાગૃત નાગરિકે દારૂના અડ્ડા પર રેડ પાડી હતી. દારૂબંધીની વાતો વચ્ચે દારૂની રેલમ છેલ જોવા મળી હતી. જ્યારે રેડ કરવામાં આવી ત્યારે ત્યાંથી મોટા જથ્થામાં દારૂ મળી આવ્યો હતો. 

જાગૃત નાગરિકે કરી દારૂના અડ્ડા પર રેડ 

એડવોકેટ મેહુલ બોઘરા અનેક વખત અલગ અલગ મુદ્દાઓને લઈ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરી એક વખત મેહુલ બોઘરા ચર્ચામાં આવ્યા છે.સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ અને વીડિયો શેર કર્યો છે જે ગુજરાતમાં  કેટલી દારૂબંધી છે તેની પોલ ખોલી દે છે. દારૂના અડ્ડા પર એક જાગૃત નાગરિકે રેડ પાડી હતી. અને આ રેડનું જીવંત પ્રસારણ એક નાગરિક દ્વારા કરવામાં આવ્યું હતું. અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયેશ ગુર્જર નામના વ્યક્તિએ દારૂના અડ્ડા પર રેડ કરી હતી. આ રેડનું લાઈવ પ્રસારણ તેમણે ફેસબુક પર કર્યું હતું. અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિચંપાની સામે, બીએસપીએસ મંદિરની બાજુમાં ધામધૂમથી ચાલતા દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી હતી. 


ફેસબુક લાઈવમાં જોવા મળી દારૂની રેલમછેલ! 

જે જાગૃત્ત નાગરિક દ્વારા આ રેડ પાડવામાં આવી હતી તેમણે આ રેડનું લાઈવ ફેસબુક પર કર્યું છે. આ રેડ દરમિયાન ઘટના સ્થળ પર હજારોની કિંમતનો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પરંતુ 10 મિનીટનો સમય વિત્યો પરંતુ પોલીસ કર્મી ત્યાં આવ્યા ન હતા. પોલીસ કર્મચારી સ્થળ પર હાજર થયા ન થયા લાઈવના અંતમાં જાગૃત નાગરિક પર હુમલો કરવામાં આવ્યો હતો. 


જે કામ પોલીસને કરવું જોઈએ તે કામ સામાન્ય જનતા કરી રહી છે!

મહત્વનું છે કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં પોલીસને ખબર હોય છે કે દારૂનો અડ્ડો ચાલતો હોય છે પરંતુ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસને જાણ હોવા છતાંય દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવતી નથી.પોલીસને અનેક વખત લોકો જાણ પણ કરતા હોય છે કે આ જગ્યા પર દારૂ મળે છે પરંતુ તે બાદ પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.  રેડ કરી સામાન્ય નાગરિક જનતા દારૂનો નાશ કરે છે. મહત્વનું છે જે કામ પોલીસને કરવાનું હોય તે કામ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાઓ રણચંડી બનીને દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. દારૂનો નાશ થતાં રસ્તા પર દારૂની રેલમછેલ જોવા મળી હતી. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.