દારૂના અડ્ડા પર જાગૃત નાગરિકે કરી રેડ! Adv. Mehul Bogharaએ શેર કર્યો વીડિયો, રેડ દરમિયાન કર્યું ફેસબુક લાઈવ, જોવા મળી દારૂની રેલમછેલ!


  • Published By :
  • Published Date : 2023-09-18 15:06:47

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે તે આપણે જાણીએ છીએ પરંતુ તેનો કેટલો અમલ થાય છે તે પણ આપણી નજરોની સામે છે. અનેક એવા કિસ્સાઓ, અનેક એવા વીડિયો અવાર-નવાર સામે આવતા હોય છે જે દારૂબંધીની પોલ ખોલતા હોય છે. દારૂ બંધીની શું વાસ્તવિક્તા છે તે આપણે સૌ જાણીએ છીએ. અવાર-નવાર આપણી સામે એવા વીડિયો, એવી ઘટનાઓ સામે આવતી રહે છે જે દારૂબંધીના દાવાને પોકળ સાબિત કરે છે. એડવોકેટ મેહૂલ બોઘરાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક જાગૃત નાગરિકે દારૂના અડ્ડા પર રેડ પાડી હતી. દારૂબંધીની વાતો વચ્ચે દારૂની રેલમ છેલ જોવા મળી હતી. જ્યારે રેડ કરવામાં આવી ત્યારે ત્યાંથી મોટા જથ્થામાં દારૂ મળી આવ્યો હતો. 

જાગૃત નાગરિકે કરી દારૂના અડ્ડા પર રેડ 

એડવોકેટ મેહુલ બોઘરા અનેક વખત અલગ અલગ મુદ્દાઓને લઈ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરી એક વખત મેહુલ બોઘરા ચર્ચામાં આવ્યા છે.સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ અને વીડિયો શેર કર્યો છે જે ગુજરાતમાં  કેટલી દારૂબંધી છે તેની પોલ ખોલી દે છે. દારૂના અડ્ડા પર એક જાગૃત નાગરિકે રેડ પાડી હતી. અને આ રેડનું જીવંત પ્રસારણ એક નાગરિક દ્વારા કરવામાં આવ્યું હતું. અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયેશ ગુર્જર નામના વ્યક્તિએ દારૂના અડ્ડા પર રેડ કરી હતી. આ રેડનું લાઈવ પ્રસારણ તેમણે ફેસબુક પર કર્યું હતું. અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિચંપાની સામે, બીએસપીએસ મંદિરની બાજુમાં ધામધૂમથી ચાલતા દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી હતી. 


ફેસબુક લાઈવમાં જોવા મળી દારૂની રેલમછેલ! 

જે જાગૃત્ત નાગરિક દ્વારા આ રેડ પાડવામાં આવી હતી તેમણે આ રેડનું લાઈવ ફેસબુક પર કર્યું છે. આ રેડ દરમિયાન ઘટના સ્થળ પર હજારોની કિંમતનો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પરંતુ 10 મિનીટનો સમય વિત્યો પરંતુ પોલીસ કર્મી ત્યાં આવ્યા ન હતા. પોલીસ કર્મચારી સ્થળ પર હાજર થયા ન થયા લાઈવના અંતમાં જાગૃત નાગરિક પર હુમલો કરવામાં આવ્યો હતો. 


જે કામ પોલીસને કરવું જોઈએ તે કામ સામાન્ય જનતા કરી રહી છે!

મહત્વનું છે કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં પોલીસને ખબર હોય છે કે દારૂનો અડ્ડો ચાલતો હોય છે પરંતુ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસને જાણ હોવા છતાંય દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવતી નથી.પોલીસને અનેક વખત લોકો જાણ પણ કરતા હોય છે કે આ જગ્યા પર દારૂ મળે છે પરંતુ તે બાદ પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.  રેડ કરી સામાન્ય નાગરિક જનતા દારૂનો નાશ કરે છે. મહત્વનું છે જે કામ પોલીસને કરવાનું હોય તે કામ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાઓ રણચંડી બનીને દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. દારૂનો નાશ થતાં રસ્તા પર દારૂની રેલમછેલ જોવા મળી હતી. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.