કચ્છમાં દર્દીને લઈ એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી, પરંતુ અડધો કલાક સુધી ના ખુલ્યો Ambulanceનો દરવાજો! જુઓ Viral Video


  • Published By :
  • Published Date : 2023-10-29 16:13:48

આપણે માત્ર વિકાસની વાતો કરીએ છીએ. આરોગ્યમાં અત્યાધુનિક સંસાધનો છે તેવી  દર વખતે મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ વિકાસશીલ ગણાતા ગુજરાતમાંથી એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દી એમ્બ્યુલન્સની અંદર છે પરંતુ અડધો કલાક સુધી એમ્બ્યુલન્સનો દરવાજો નથી ખુલતો. જે વસ્તુઓનો ઉપયોગ જીવ બચાવા માટે કરવામાં આવે છે તે અનેક વખત પ્રાણઘાતક પણ સાબિત થઈ શકે છે તેનું ઉદાહરણ કચ્છથી સામે આવ્યું છે.

એમ્બ્યુલન્સનો દરવાજો ન ખુલ્યો

કચ્છમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 108 માં જ દર્દી ફસાય જાય છે. એ જ 108 છે જેનો ઉપયોગ લોકોના જીવ બચાવવા માટે કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અડધો કલાક સુધી એમ્બ્યુલન્સનો દરવાજો નથી ખુલતો. આદિપુરથી ભુજની જી.કે હોસ્પિટલમાં એક મહિલા પેશન્ટને લઈ જવામાં આવી હતી. જોકે હોસ્પિટલ પહોંચ્યા બાદ એમ્બ્યુલન્સનો દરવાજો જ ન ખૂલ્યો અને પછી લોખંડના સળિયા વડે દરવાજો ખોલવામાં આવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.


મદદ કરવાની વાતો બધા કરતા હોય છે પરંતુ કોઈ કરતું નથી!

વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે જ્યારે ઍમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી ત્યારે સ્ટાફ દ્વારા દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. દરવાજો ખોલવાનો પ્રયત્ન તો કરવામાં આવે છે પરંતુ હોસ્પિટલના સ્ટાફના એક વ્યક્તિ દ્વારા, વીડિયોમાં પાછળ દેખાય છે કે હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ ત્યાં ઊભા રહીને મદદ કરવાને બદલે ખાલી આ તમાશો જોઈ રહ્યો હતો. અનેક વખત આપણે લોકોને કહેતા સાંભળીએ છીએ કે એક બીજાને મદદ કરવી જોઈએ. પરંતુ જ્યારે મદદ કરવાની વાત આવે છે ત્યારે આપણે હાથ ખંખેરી નાખીએ છીએ.   

સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ, કેન્દ્રીય માનવ અધિકાર કમિશને ચાર ઓથોરિટી પાસે  માંગ્યો જવાબ | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત  સમય ...

તક્ષશિલા ઘટનાની યાદ અપાવે એવી હતી આ ઘટના! 

આ જે ઘટના બની તે ઘટના થોડા વર્ષો બનેલી ઘટનાની યાદ અપાવે છે.  તક્ષશિલા દુર્ઘટના બની ત્યારે પણ કંઈક આવુજ બન્યું હતું. ત્યાં ઘટના સ્થળે ફાયર બ્રિગેડ તો હતી પણ તેની સીડીઓ ના ખૂલી. જો સમયસર એ સીડી ખૂલી ગઈ હોત તો કદાચ અનેક બાળકોના જીવ બચી શક્યા હોત...! પણ ના જ્યારે જરૂર પડે ત્યારે જ આ સાધનો કામ ના કરે ઍમ્બ્યુલન્સમાં જો કોઈ દર્દી ફસાયતો એનાથી દુ:ખદ કોઈ વાત ના હોઈ શકે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.