કચ્છમાં દર્દીને લઈ એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી, પરંતુ અડધો કલાક સુધી ના ખુલ્યો Ambulanceનો દરવાજો! જુઓ Viral Video


  • Published By :
  • Published Date : 2023-10-29 16:13:48

આપણે માત્ર વિકાસની વાતો કરીએ છીએ. આરોગ્યમાં અત્યાધુનિક સંસાધનો છે તેવી  દર વખતે મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ વિકાસશીલ ગણાતા ગુજરાતમાંથી એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દી એમ્બ્યુલન્સની અંદર છે પરંતુ અડધો કલાક સુધી એમ્બ્યુલન્સનો દરવાજો નથી ખુલતો. જે વસ્તુઓનો ઉપયોગ જીવ બચાવા માટે કરવામાં આવે છે તે અનેક વખત પ્રાણઘાતક પણ સાબિત થઈ શકે છે તેનું ઉદાહરણ કચ્છથી સામે આવ્યું છે.

એમ્બ્યુલન્સનો દરવાજો ન ખુલ્યો

કચ્છમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 108 માં જ દર્દી ફસાય જાય છે. એ જ 108 છે જેનો ઉપયોગ લોકોના જીવ બચાવવા માટે કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અડધો કલાક સુધી એમ્બ્યુલન્સનો દરવાજો નથી ખુલતો. આદિપુરથી ભુજની જી.કે હોસ્પિટલમાં એક મહિલા પેશન્ટને લઈ જવામાં આવી હતી. જોકે હોસ્પિટલ પહોંચ્યા બાદ એમ્બ્યુલન્સનો દરવાજો જ ન ખૂલ્યો અને પછી લોખંડના સળિયા વડે દરવાજો ખોલવામાં આવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.


મદદ કરવાની વાતો બધા કરતા હોય છે પરંતુ કોઈ કરતું નથી!

વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે જ્યારે ઍમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી ત્યારે સ્ટાફ દ્વારા દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. દરવાજો ખોલવાનો પ્રયત્ન તો કરવામાં આવે છે પરંતુ હોસ્પિટલના સ્ટાફના એક વ્યક્તિ દ્વારા, વીડિયોમાં પાછળ દેખાય છે કે હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ ત્યાં ઊભા રહીને મદદ કરવાને બદલે ખાલી આ તમાશો જોઈ રહ્યો હતો. અનેક વખત આપણે લોકોને કહેતા સાંભળીએ છીએ કે એક બીજાને મદદ કરવી જોઈએ. પરંતુ જ્યારે મદદ કરવાની વાત આવે છે ત્યારે આપણે હાથ ખંખેરી નાખીએ છીએ.   

સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ, કેન્દ્રીય માનવ અધિકાર કમિશને ચાર ઓથોરિટી પાસે  માંગ્યો જવાબ | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત  સમય ...

તક્ષશિલા ઘટનાની યાદ અપાવે એવી હતી આ ઘટના! 

આ જે ઘટના બની તે ઘટના થોડા વર્ષો બનેલી ઘટનાની યાદ અપાવે છે.  તક્ષશિલા દુર્ઘટના બની ત્યારે પણ કંઈક આવુજ બન્યું હતું. ત્યાં ઘટના સ્થળે ફાયર બ્રિગેડ તો હતી પણ તેની સીડીઓ ના ખૂલી. જો સમયસર એ સીડી ખૂલી ગઈ હોત તો કદાચ અનેક બાળકોના જીવ બચી શક્યા હોત...! પણ ના જ્યારે જરૂર પડે ત્યારે જ આ સાધનો કામ ના કરે ઍમ્બ્યુલન્સમાં જો કોઈ દર્દી ફસાયતો એનાથી દુ:ખદ કોઈ વાત ના હોઈ શકે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી