કચ્છમાં દર્દીને લઈ એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી, પરંતુ અડધો કલાક સુધી ના ખુલ્યો Ambulanceનો દરવાજો! જુઓ Viral Video


  • Published By :
  • Published Date : 2023-10-29 16:13:48

આપણે માત્ર વિકાસની વાતો કરીએ છીએ. આરોગ્યમાં અત્યાધુનિક સંસાધનો છે તેવી  દર વખતે મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ વિકાસશીલ ગણાતા ગુજરાતમાંથી એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દી એમ્બ્યુલન્સની અંદર છે પરંતુ અડધો કલાક સુધી એમ્બ્યુલન્સનો દરવાજો નથી ખુલતો. જે વસ્તુઓનો ઉપયોગ જીવ બચાવા માટે કરવામાં આવે છે તે અનેક વખત પ્રાણઘાતક પણ સાબિત થઈ શકે છે તેનું ઉદાહરણ કચ્છથી સામે આવ્યું છે.

એમ્બ્યુલન્સનો દરવાજો ન ખુલ્યો

કચ્છમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 108 માં જ દર્દી ફસાય જાય છે. એ જ 108 છે જેનો ઉપયોગ લોકોના જીવ બચાવવા માટે કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અડધો કલાક સુધી એમ્બ્યુલન્સનો દરવાજો નથી ખુલતો. આદિપુરથી ભુજની જી.કે હોસ્પિટલમાં એક મહિલા પેશન્ટને લઈ જવામાં આવી હતી. જોકે હોસ્પિટલ પહોંચ્યા બાદ એમ્બ્યુલન્સનો દરવાજો જ ન ખૂલ્યો અને પછી લોખંડના સળિયા વડે દરવાજો ખોલવામાં આવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.


મદદ કરવાની વાતો બધા કરતા હોય છે પરંતુ કોઈ કરતું નથી!

વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે જ્યારે ઍમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી ત્યારે સ્ટાફ દ્વારા દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. દરવાજો ખોલવાનો પ્રયત્ન તો કરવામાં આવે છે પરંતુ હોસ્પિટલના સ્ટાફના એક વ્યક્તિ દ્વારા, વીડિયોમાં પાછળ દેખાય છે કે હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ ત્યાં ઊભા રહીને મદદ કરવાને બદલે ખાલી આ તમાશો જોઈ રહ્યો હતો. અનેક વખત આપણે લોકોને કહેતા સાંભળીએ છીએ કે એક બીજાને મદદ કરવી જોઈએ. પરંતુ જ્યારે મદદ કરવાની વાત આવે છે ત્યારે આપણે હાથ ખંખેરી નાખીએ છીએ.   

સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ, કેન્દ્રીય માનવ અધિકાર કમિશને ચાર ઓથોરિટી પાસે  માંગ્યો જવાબ | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત  સમય ...

તક્ષશિલા ઘટનાની યાદ અપાવે એવી હતી આ ઘટના! 

આ જે ઘટના બની તે ઘટના થોડા વર્ષો બનેલી ઘટનાની યાદ અપાવે છે.  તક્ષશિલા દુર્ઘટના બની ત્યારે પણ કંઈક આવુજ બન્યું હતું. ત્યાં ઘટના સ્થળે ફાયર બ્રિગેડ તો હતી પણ તેની સીડીઓ ના ખૂલી. જો સમયસર એ સીડી ખૂલી ગઈ હોત તો કદાચ અનેક બાળકોના જીવ બચી શક્યા હોત...! પણ ના જ્યારે જરૂર પડે ત્યારે જ આ સાધનો કામ ના કરે ઍમ્બ્યુલન્સમાં જો કોઈ દર્દી ફસાયતો એનાથી દુ:ખદ કોઈ વાત ના હોઈ શકે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.