ભારતમાં નફરતનું વાતાવરણ હાવી થઈ ગયું છેઃ સુપ્રીમ કૉર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 21:09:36

ધાર્મિક બાબતો સંવેદનશીલ હોય છે. આપણે પણ આમ તો પહેલેથી જ આવી બાબતો પર સંવેદનશીલ જ જોવા મળ્યા છીએ. દેશમાં થોડા સમયથી જે માહોલ ઉભો કરવામાં આવ્યો છે તે દુઃખદાયક છે. લોકો જાહેર મંચો પરથી નફરત ફેલાવનારા ભાષણો બેફામ બોલી રહ્યા છે ત્યારે  દેશની સર્વોચ્ચ અદાલતે કડક વલણ સાથે હેટ સ્પીચ મામલે આગળ આવી હતી. સુપ્રીમ કૉર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્લી પોલીસને હેટ સ્પીચ મામલે નોટીસ ફટકારી પૂછ્યું હતું કે હેટ સ્પીચના કેસ વધી રહ્યા છે તો તમે મામલે શું કામગીરી કરી રહ્યા છે. 


પોલીસને સુપ્રીમ કોર્ટે કહ્યું સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરો

સર્વોચ્ચ ન્યાયાલયે હેટ સ્પીચ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે હેટ સ્પીચના કેસ ખૂબ જ ગંભીર હોય છે. દેશમાં હેટ સ્પીચ મામલે સજા હોવા છતાં લોકો ખુલ્લે આમ હેટ સ્પીચ ફેલાવી રહ્યા છે. ધાર્મિક બાબતો ધ્યાનમાં લીધા વગર કાર્યવાહી કરવાની રહેશે. આ 21મી સદી હોવા છતાં નફરત ભર્યા ભાષણો લોકો અને નેતાઓ બેફામ અને ખુલ્લેઆમ કરી રહ્યા છે. અરજદારે મુસ્લીમો સામે ટીપ્પણી કરનારાઓને UAPA હેઠળ સજા કરવાની માગ કરી હતી.  



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.