ભારતમાં નફરતનું વાતાવરણ હાવી થઈ ગયું છેઃ સુપ્રીમ કૉર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 21:09:36

ધાર્મિક બાબતો સંવેદનશીલ હોય છે. આપણે પણ આમ તો પહેલેથી જ આવી બાબતો પર સંવેદનશીલ જ જોવા મળ્યા છીએ. દેશમાં થોડા સમયથી જે માહોલ ઉભો કરવામાં આવ્યો છે તે દુઃખદાયક છે. લોકો જાહેર મંચો પરથી નફરત ફેલાવનારા ભાષણો બેફામ બોલી રહ્યા છે ત્યારે  દેશની સર્વોચ્ચ અદાલતે કડક વલણ સાથે હેટ સ્પીચ મામલે આગળ આવી હતી. સુપ્રીમ કૉર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્લી પોલીસને હેટ સ્પીચ મામલે નોટીસ ફટકારી પૂછ્યું હતું કે હેટ સ્પીચના કેસ વધી રહ્યા છે તો તમે મામલે શું કામગીરી કરી રહ્યા છે. 


પોલીસને સુપ્રીમ કોર્ટે કહ્યું સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરો

સર્વોચ્ચ ન્યાયાલયે હેટ સ્પીચ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે હેટ સ્પીચના કેસ ખૂબ જ ગંભીર હોય છે. દેશમાં હેટ સ્પીચ મામલે સજા હોવા છતાં લોકો ખુલ્લે આમ હેટ સ્પીચ ફેલાવી રહ્યા છે. ધાર્મિક બાબતો ધ્યાનમાં લીધા વગર કાર્યવાહી કરવાની રહેશે. આ 21મી સદી હોવા છતાં નફરત ભર્યા ભાષણો લોકો અને નેતાઓ બેફામ અને ખુલ્લેઆમ કરી રહ્યા છે. અરજદારે મુસ્લીમો સામે ટીપ્પણી કરનારાઓને UAPA હેઠળ સજા કરવાની માગ કરી હતી.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .