ભારતમાં નફરતનું વાતાવરણ હાવી થઈ ગયું છેઃ સુપ્રીમ કૉર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 21:09:36

ધાર્મિક બાબતો સંવેદનશીલ હોય છે. આપણે પણ આમ તો પહેલેથી જ આવી બાબતો પર સંવેદનશીલ જ જોવા મળ્યા છીએ. દેશમાં થોડા સમયથી જે માહોલ ઉભો કરવામાં આવ્યો છે તે દુઃખદાયક છે. લોકો જાહેર મંચો પરથી નફરત ફેલાવનારા ભાષણો બેફામ બોલી રહ્યા છે ત્યારે  દેશની સર્વોચ્ચ અદાલતે કડક વલણ સાથે હેટ સ્પીચ મામલે આગળ આવી હતી. સુપ્રીમ કૉર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્લી પોલીસને હેટ સ્પીચ મામલે નોટીસ ફટકારી પૂછ્યું હતું કે હેટ સ્પીચના કેસ વધી રહ્યા છે તો તમે મામલે શું કામગીરી કરી રહ્યા છે. 


પોલીસને સુપ્રીમ કોર્ટે કહ્યું સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરો

સર્વોચ્ચ ન્યાયાલયે હેટ સ્પીચ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે હેટ સ્પીચના કેસ ખૂબ જ ગંભીર હોય છે. દેશમાં હેટ સ્પીચ મામલે સજા હોવા છતાં લોકો ખુલ્લે આમ હેટ સ્પીચ ફેલાવી રહ્યા છે. ધાર્મિક બાબતો ધ્યાનમાં લીધા વગર કાર્યવાહી કરવાની રહેશે. આ 21મી સદી હોવા છતાં નફરત ભર્યા ભાષણો લોકો અને નેતાઓ બેફામ અને ખુલ્લેઆમ કરી રહ્યા છે. અરજદારે મુસ્લીમો સામે ટીપ્પણી કરનારાઓને UAPA હેઠળ સજા કરવાની માગ કરી હતી.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે