દુઃખનું આભ ફાટ્યું, આંખ સામે જ પરિવારના 7 લોકો ડૂબ્યા


  • Published By :
  • Published Date : 2022-10-31 18:30:31

મોરબીમાં માતમ છવાયો

મોરબીમાં ગઈકાલે ઝૂલતો પુલ પર મોતનો તાંડવ જોવા મળ્યો હતો.જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.એવામાં આરીફશા નૂરશા શાહમદાર કે જેમના ઘરના 8 લોકો ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા. તેમાંથી તેમના પત્ની અને 5 વર્ષીય દીકરાનો મૃતદેહ સવારે મળ્યા હતાં ત્યારે બાદ પાંચ લોકના મૃતદેહ મળ્યા હતાં. આઠ લોકો ફરવા ગયા જેમાંથી એક જ પરિવારના સાત લોકોના મોત થયાં છે. જે પરિવાર માથે આભ ફાટ્યું છે.

 


એક જ પરિવારના 7 લોકોના મોત

અમારી ટીમે આ પરિવારની મુલાકાત લીધી મોરબીની ગોઝારી ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે મોરબીના ભુઈવાડા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. મોરબીના ભુઈવાડા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 8 લોકો ઝૂલતા પુલ પર ગયા હતા.અને પુલ તૂટવાના કારણે 7 લોકો નદીમાં ખાબક્યા હતા. જ્યારે એક મહિલા તૂટેલા ઝુલા પર લટકી ગયા હતા. જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. એક જ પરિવારના 7 લોકોના મોત થતા પરિવાર પર દુ:ખનું આભ ફાટ્યું છે માસુમ બાળકો આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા અહીં


 

મોરબીમા સન્નાટો છવાયો

મોરબીમાં આજે સન્નાટો છવાયો છે ધમધમતા મોરબી શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અહીં માત્ર રડવાના અવાજો સંભળાઈ રહ્યા છે અહીં કોઈએ ઘરના મોભી ગુમાવ્યા છે તો કોઈએ પોતાના વહાલસોયા નાના બાળકો અહીં દરેકના હ્ર્દયમાં દર્દ છે અને આંખોમાં આંસુનો દરિયો મોરબીના દર્શ્યો યાદ કરતા જ રુવાડા ઉભા થઇ જાય....



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.