દુઃખનું આભ ફાટ્યું, આંખ સામે જ પરિવારના 7 લોકો ડૂબ્યા


  • Published By :
  • Published Date : 2022-10-31 18:30:31

મોરબીમાં માતમ છવાયો

મોરબીમાં ગઈકાલે ઝૂલતો પુલ પર મોતનો તાંડવ જોવા મળ્યો હતો.જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.એવામાં આરીફશા નૂરશા શાહમદાર કે જેમના ઘરના 8 લોકો ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા. તેમાંથી તેમના પત્ની અને 5 વર્ષીય દીકરાનો મૃતદેહ સવારે મળ્યા હતાં ત્યારે બાદ પાંચ લોકના મૃતદેહ મળ્યા હતાં. આઠ લોકો ફરવા ગયા જેમાંથી એક જ પરિવારના સાત લોકોના મોત થયાં છે. જે પરિવાર માથે આભ ફાટ્યું છે.

 


એક જ પરિવારના 7 લોકોના મોત

અમારી ટીમે આ પરિવારની મુલાકાત લીધી મોરબીની ગોઝારી ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે મોરબીના ભુઈવાડા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. મોરબીના ભુઈવાડા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 8 લોકો ઝૂલતા પુલ પર ગયા હતા.અને પુલ તૂટવાના કારણે 7 લોકો નદીમાં ખાબક્યા હતા. જ્યારે એક મહિલા તૂટેલા ઝુલા પર લટકી ગયા હતા. જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. એક જ પરિવારના 7 લોકોના મોત થતા પરિવાર પર દુ:ખનું આભ ફાટ્યું છે માસુમ બાળકો આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા અહીં


 

મોરબીમા સન્નાટો છવાયો

મોરબીમાં આજે સન્નાટો છવાયો છે ધમધમતા મોરબી શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અહીં માત્ર રડવાના અવાજો સંભળાઈ રહ્યા છે અહીં કોઈએ ઘરના મોભી ગુમાવ્યા છે તો કોઈએ પોતાના વહાલસોયા નાના બાળકો અહીં દરેકના હ્ર્દયમાં દર્દ છે અને આંખોમાં આંસુનો દરિયો મોરબીના દર્શ્યો યાદ કરતા જ રુવાડા ઉભા થઇ જાય....



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.