OMG! સ્કૂલ બસમાંથી નીકળ્યો સાડા અગિયાર ફૂટ લાંબો અજગર, ડ્રાઈવર-કંડક્ટર ભાગી ગયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 10:53:03

રવિવાર હોવાથી તમામ બસો ઉભી હતી. તેમનું સફાઈ કામ ચાલતું હતું. દરમિયાન બસની અંદર સીટ નીચે એક અજગર જોવા મળ્યો હતો. બસમાં વિશાળકાય અજગરને જોઈને હડકંપ મચી ગયો હતો. ત્યારબાદ સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગના અધિકારીઓએ આવીને અજગરને રેસ્ક્યુ કર્યો હતો અને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો.


રવિવારે યુપીના રાયબરેલીમાં રાયન ઈન્ટરનેશનલ સ્કૂલની બસમાં એક અજગર જોવા મળ્યો હતો. આ વાતની જાણ થતા શાળાના બસ ચાલકો ચોંકી ઉઠ્યા હતા. આ પછી બસ ડ્રાઇવરોએ પોલીસને જાણ કરી, પ્રશાસનને આ માહિતી મળતા જ સિટી મેજિસ્ટ્રેટ અને સદર સીઓ સહિત વન વિભાગના કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને અજગરને બસમાંથી બહાર કાઢ્યો. અજગરને પકડ્યા બાદ વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અજગર લગભગ સાડા અગિયાર ફૂટ લાંબો અને 80 કિલો વજનનો હતો.


રજાના દિવસે સફાઈ દરમિયાન સ્કૂલ બસમાં અજગર ઘૂસી ગયો

રવિવારે રજાનો દિવસ હોવાથી તમામ સ્કૂલ બસો ઉભી રહી હતી. નજીકના ગામ પાસે એક સ્કૂલ બસ ઉભી હતી. રવિવાર હોવાથી સવારથી જ બસોની સફાઈ અને સમારકામની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ગામ પાસે ઉભેલી બસમાં વિશાળ અજગરને ચડતો ગ્રામજનોએ જોયો હતો. અજગર બસમાં ઘુસી ગયો અને સીટ નીચે બેસી ગયો. જે બાદ નાસભાગ મચી ગઈ હતી. આ બાબતની જાણ શાળાના વહીવટી તંત્રને કરવામાં આવી હતી.


વનવિભાગે એક કલાકની જહેમત બાદ અજગરનું રેસ્ક્યું કર્યું

સ્કૂલ મેનેજમેન્ટે આ અંગે જિલ્લા પ્રશાસનને જાણ કરી હતી. જે બાદ મ્યુનિસિપલ મેજિસ્ટ્રેટ પલ્લવી મિશ્રા, સીઓ સિટી બંદના સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે વન વિભાગના અધિકારીઓને જાણ કરી અને વિભાગની ટીમને બોલાવી. જે બાદ વન વિભાગના કર્મચારીઓએ એક કલાકની જહેમત બાદ બસમાંથી અજગરને પકડી લીધો હતો. સિટી મેજિસ્ટ્રેટે કહ્યું કે આ અજગરને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવશે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.