OMG! સ્કૂલ બસમાંથી નીકળ્યો સાડા અગિયાર ફૂટ લાંબો અજગર, ડ્રાઈવર-કંડક્ટર ભાગી ગયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 10:53:03

રવિવાર હોવાથી તમામ બસો ઉભી હતી. તેમનું સફાઈ કામ ચાલતું હતું. દરમિયાન બસની અંદર સીટ નીચે એક અજગર જોવા મળ્યો હતો. બસમાં વિશાળકાય અજગરને જોઈને હડકંપ મચી ગયો હતો. ત્યારબાદ સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગના અધિકારીઓએ આવીને અજગરને રેસ્ક્યુ કર્યો હતો અને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો.


રવિવારે યુપીના રાયબરેલીમાં રાયન ઈન્ટરનેશનલ સ્કૂલની બસમાં એક અજગર જોવા મળ્યો હતો. આ વાતની જાણ થતા શાળાના બસ ચાલકો ચોંકી ઉઠ્યા હતા. આ પછી બસ ડ્રાઇવરોએ પોલીસને જાણ કરી, પ્રશાસનને આ માહિતી મળતા જ સિટી મેજિસ્ટ્રેટ અને સદર સીઓ સહિત વન વિભાગના કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને અજગરને બસમાંથી બહાર કાઢ્યો. અજગરને પકડ્યા બાદ વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અજગર લગભગ સાડા અગિયાર ફૂટ લાંબો અને 80 કિલો વજનનો હતો.


રજાના દિવસે સફાઈ દરમિયાન સ્કૂલ બસમાં અજગર ઘૂસી ગયો

રવિવારે રજાનો દિવસ હોવાથી તમામ સ્કૂલ બસો ઉભી રહી હતી. નજીકના ગામ પાસે એક સ્કૂલ બસ ઉભી હતી. રવિવાર હોવાથી સવારથી જ બસોની સફાઈ અને સમારકામની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ગામ પાસે ઉભેલી બસમાં વિશાળ અજગરને ચડતો ગ્રામજનોએ જોયો હતો. અજગર બસમાં ઘુસી ગયો અને સીટ નીચે બેસી ગયો. જે બાદ નાસભાગ મચી ગઈ હતી. આ બાબતની જાણ શાળાના વહીવટી તંત્રને કરવામાં આવી હતી.


વનવિભાગે એક કલાકની જહેમત બાદ અજગરનું રેસ્ક્યું કર્યું

સ્કૂલ મેનેજમેન્ટે આ અંગે જિલ્લા પ્રશાસનને જાણ કરી હતી. જે બાદ મ્યુનિસિપલ મેજિસ્ટ્રેટ પલ્લવી મિશ્રા, સીઓ સિટી બંદના સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે વન વિભાગના અધિકારીઓને જાણ કરી અને વિભાગની ટીમને બોલાવી. જે બાદ વન વિભાગના કર્મચારીઓએ એક કલાકની જહેમત બાદ બસમાંથી અજગરને પકડી લીધો હતો. સિટી મેજિસ્ટ્રેટે કહ્યું કે આ અજગરને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે