OMG! સ્કૂલ બસમાંથી નીકળ્યો સાડા અગિયાર ફૂટ લાંબો અજગર, ડ્રાઈવર-કંડક્ટર ભાગી ગયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 10:53:03

રવિવાર હોવાથી તમામ બસો ઉભી હતી. તેમનું સફાઈ કામ ચાલતું હતું. દરમિયાન બસની અંદર સીટ નીચે એક અજગર જોવા મળ્યો હતો. બસમાં વિશાળકાય અજગરને જોઈને હડકંપ મચી ગયો હતો. ત્યારબાદ સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગના અધિકારીઓએ આવીને અજગરને રેસ્ક્યુ કર્યો હતો અને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો.


રવિવારે યુપીના રાયબરેલીમાં રાયન ઈન્ટરનેશનલ સ્કૂલની બસમાં એક અજગર જોવા મળ્યો હતો. આ વાતની જાણ થતા શાળાના બસ ચાલકો ચોંકી ઉઠ્યા હતા. આ પછી બસ ડ્રાઇવરોએ પોલીસને જાણ કરી, પ્રશાસનને આ માહિતી મળતા જ સિટી મેજિસ્ટ્રેટ અને સદર સીઓ સહિત વન વિભાગના કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને અજગરને બસમાંથી બહાર કાઢ્યો. અજગરને પકડ્યા બાદ વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અજગર લગભગ સાડા અગિયાર ફૂટ લાંબો અને 80 કિલો વજનનો હતો.


રજાના દિવસે સફાઈ દરમિયાન સ્કૂલ બસમાં અજગર ઘૂસી ગયો

રવિવારે રજાનો દિવસ હોવાથી તમામ સ્કૂલ બસો ઉભી રહી હતી. નજીકના ગામ પાસે એક સ્કૂલ બસ ઉભી હતી. રવિવાર હોવાથી સવારથી જ બસોની સફાઈ અને સમારકામની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ગામ પાસે ઉભેલી બસમાં વિશાળ અજગરને ચડતો ગ્રામજનોએ જોયો હતો. અજગર બસમાં ઘુસી ગયો અને સીટ નીચે બેસી ગયો. જે બાદ નાસભાગ મચી ગઈ હતી. આ બાબતની જાણ શાળાના વહીવટી તંત્રને કરવામાં આવી હતી.


વનવિભાગે એક કલાકની જહેમત બાદ અજગરનું રેસ્ક્યું કર્યું

સ્કૂલ મેનેજમેન્ટે આ અંગે જિલ્લા પ્રશાસનને જાણ કરી હતી. જે બાદ મ્યુનિસિપલ મેજિસ્ટ્રેટ પલ્લવી મિશ્રા, સીઓ સિટી બંદના સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે વન વિભાગના અધિકારીઓને જાણ કરી અને વિભાગની ટીમને બોલાવી. જે બાદ વન વિભાગના કર્મચારીઓએ એક કલાકની જહેમત બાદ બસમાંથી અજગરને પકડી લીધો હતો. સિટી મેજિસ્ટ્રેટે કહ્યું કે આ અજગરને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.