OMG! સ્કૂલ બસમાંથી નીકળ્યો સાડા અગિયાર ફૂટ લાંબો અજગર, ડ્રાઈવર-કંડક્ટર ભાગી ગયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 10:53:03

રવિવાર હોવાથી તમામ બસો ઉભી હતી. તેમનું સફાઈ કામ ચાલતું હતું. દરમિયાન બસની અંદર સીટ નીચે એક અજગર જોવા મળ્યો હતો. બસમાં વિશાળકાય અજગરને જોઈને હડકંપ મચી ગયો હતો. ત્યારબાદ સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગના અધિકારીઓએ આવીને અજગરને રેસ્ક્યુ કર્યો હતો અને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો.


રવિવારે યુપીના રાયબરેલીમાં રાયન ઈન્ટરનેશનલ સ્કૂલની બસમાં એક અજગર જોવા મળ્યો હતો. આ વાતની જાણ થતા શાળાના બસ ચાલકો ચોંકી ઉઠ્યા હતા. આ પછી બસ ડ્રાઇવરોએ પોલીસને જાણ કરી, પ્રશાસનને આ માહિતી મળતા જ સિટી મેજિસ્ટ્રેટ અને સદર સીઓ સહિત વન વિભાગના કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને અજગરને બસમાંથી બહાર કાઢ્યો. અજગરને પકડ્યા બાદ વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અજગર લગભગ સાડા અગિયાર ફૂટ લાંબો અને 80 કિલો વજનનો હતો.


રજાના દિવસે સફાઈ દરમિયાન સ્કૂલ બસમાં અજગર ઘૂસી ગયો

રવિવારે રજાનો દિવસ હોવાથી તમામ સ્કૂલ બસો ઉભી રહી હતી. નજીકના ગામ પાસે એક સ્કૂલ બસ ઉભી હતી. રવિવાર હોવાથી સવારથી જ બસોની સફાઈ અને સમારકામની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ગામ પાસે ઉભેલી બસમાં વિશાળ અજગરને ચડતો ગ્રામજનોએ જોયો હતો. અજગર બસમાં ઘુસી ગયો અને સીટ નીચે બેસી ગયો. જે બાદ નાસભાગ મચી ગઈ હતી. આ બાબતની જાણ શાળાના વહીવટી તંત્રને કરવામાં આવી હતી.


વનવિભાગે એક કલાકની જહેમત બાદ અજગરનું રેસ્ક્યું કર્યું

સ્કૂલ મેનેજમેન્ટે આ અંગે જિલ્લા પ્રશાસનને જાણ કરી હતી. જે બાદ મ્યુનિસિપલ મેજિસ્ટ્રેટ પલ્લવી મિશ્રા, સીઓ સિટી બંદના સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે વન વિભાગના અધિકારીઓને જાણ કરી અને વિભાગની ટીમને બોલાવી. જે બાદ વન વિભાગના કર્મચારીઓએ એક કલાકની જહેમત બાદ બસમાંથી અજગરને પકડી લીધો હતો. સિટી મેજિસ્ટ્રેટે કહ્યું કે આ અજગરને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .