Jammu Kashmirના ડોડામાં જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થઈ અથડામણ, ચાર જવાન થયા શહીદ


  • Published By :
  • Published Date : 2024-07-16 10:05:17

આપણે ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ કારણ કે સરહદ પર આપણા દેશના જવાનો દેશની રક્ષા કરે છે.. પરંતુ અનેક વખત અથડામણમાં દેશે પોતાના વીર સપૂતોને ગુમાવ્યા છે.. આતંકી હુમલામાં પણ દેશે પોતાના અનેક જવાનોને શહીદ થતા જોયા છે.. થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરથી સમાચાર સામે આવ્યા હતા આતંકી હુમલાના ત્યારે ફરી એક વખત ગઈકાલે જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ છે જેમાં ચાર જવાન શહીદ થઈ ગયા છે. તે સિવાય અનેક જવાનો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે તેવી માહિતી સામે આવી છે.. 

અથડામણમાં ચાર જવાન થયા શહીદ

જમ્મુ કાશ્મીરથી ફરી એક વખત દુ:ખદ ઘટના સામે આવી છે.. ચાર જવાનો આતંકવાદી સાથે થયેલી અથડામણમાં શહાદતને પામ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય રાઈફલ અને જમ્મુ કાશ્મીર પોલીસે 15 જુલાઈએ ડોડા જિલ્લાના ધારી ગોટે ઉરારબાગીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ કરી હતી.. જવાબમાં સેનાના જવાનોએ પણ ફાયરિંગ કરી.. આતંકવાદીઓ ત્યાંથી ભાગી જવા લાગ્યા.. સેનાના જવાનોએ તેમનો પીછો કર્યો. રાત્રે 9 વાગ્યાની આસપાસ ફરી એક વખત ફાયરિંગ શરૂ થયું. ચાર જવાન શહીદ થઈ ગયા છે.  

થોડા દિવસ પહેલા પણ થયો હતો આતંકી હુમલો

હેલિકોપ્ટરની મદદથી ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મહત્વનું છે કે જમ્મુ ડિવીઝનના ડોડામાં અનેક વખત એન્કાઉન્ટરની ઘટના બની છે.. 32 દિવસમાં અથડામણની આ પાંચમી ઘટના છે.. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ આતંકવાદીઓએ કઠુઆ જિલ્લામાં સુરક્ષા કર્મીઓના વાહન પર હુમલો કર્યો હતો જેમાં 5 જવાન શહીદ થઈ ગયા હતા. શહાદતને પામેલા વીર જવાનોને સલામ...  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.