Jammu Kashmirના ડોડામાં જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થઈ અથડામણ, ચાર જવાન થયા શહીદ


  • Published By :
  • Published Date : 2024-07-16 10:05:17

આપણે ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ કારણ કે સરહદ પર આપણા દેશના જવાનો દેશની રક્ષા કરે છે.. પરંતુ અનેક વખત અથડામણમાં દેશે પોતાના વીર સપૂતોને ગુમાવ્યા છે.. આતંકી હુમલામાં પણ દેશે પોતાના અનેક જવાનોને શહીદ થતા જોયા છે.. થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરથી સમાચાર સામે આવ્યા હતા આતંકી હુમલાના ત્યારે ફરી એક વખત ગઈકાલે જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ છે જેમાં ચાર જવાન શહીદ થઈ ગયા છે. તે સિવાય અનેક જવાનો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે તેવી માહિતી સામે આવી છે.. 

અથડામણમાં ચાર જવાન થયા શહીદ

જમ્મુ કાશ્મીરથી ફરી એક વખત દુ:ખદ ઘટના સામે આવી છે.. ચાર જવાનો આતંકવાદી સાથે થયેલી અથડામણમાં શહાદતને પામ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય રાઈફલ અને જમ્મુ કાશ્મીર પોલીસે 15 જુલાઈએ ડોડા જિલ્લાના ધારી ગોટે ઉરારબાગીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ કરી હતી.. જવાબમાં સેનાના જવાનોએ પણ ફાયરિંગ કરી.. આતંકવાદીઓ ત્યાંથી ભાગી જવા લાગ્યા.. સેનાના જવાનોએ તેમનો પીછો કર્યો. રાત્રે 9 વાગ્યાની આસપાસ ફરી એક વખત ફાયરિંગ શરૂ થયું. ચાર જવાન શહીદ થઈ ગયા છે.  

થોડા દિવસ પહેલા પણ થયો હતો આતંકી હુમલો

હેલિકોપ્ટરની મદદથી ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મહત્વનું છે કે જમ્મુ ડિવીઝનના ડોડામાં અનેક વખત એન્કાઉન્ટરની ઘટના બની છે.. 32 દિવસમાં અથડામણની આ પાંચમી ઘટના છે.. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ આતંકવાદીઓએ કઠુઆ જિલ્લામાં સુરક્ષા કર્મીઓના વાહન પર હુમલો કર્યો હતો જેમાં 5 જવાન શહીદ થઈ ગયા હતા. શહાદતને પામેલા વીર જવાનોને સલામ...  



ઇટાલી અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવાને લઇને વાર્તાલાપ પડી ભાંગ્યો છે . આ પાછળ ઇટાલીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ ઉભું કર્યું હતું . આ ઉપરાંત ઈલોન મસ્કની જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકટતા છે તેના લીધે પણ આ વાર્તાલાપ પડી ભાંગ્યો છે. ઈલોન મસ્ક હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં જોરદાર વિરોધનો સામનો કરી રહ્યા છે.

વ્યક્તિ પોતાના ઘરમાં કેટલી રકમ રાખી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. જ્યાં સુધી તમે સાબિત કરી શકો કે તે કાયદેસરના સ્ત્રોત માંથી કમાયા છે અને તમે તેને તમારા આવકવેરા રિટર્નમાં જાહેર કર્યું છે ત્યાં સુધી આ લાગુ રહેશે. જો તમે સાબિત કરી શકતા નથી કે પૈસા કાયદેસર નથી, તો તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે.

6G ઈન્ટરનેટ માટે ચાઈનામાં તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે . તો આ બાજુ યુએસમાં નેક્સટજી નામનું અલાયન્સ બનાવવામાં આવ્યું છે . યુરોપમાં નોકિયા , ક્વાલકોમ , એટીએનટી આ 6G ઈન્ટરનેટ માટે કામ કરી રહ્યા છે . ભારત પણ આ રેસમાંથી બહાર નથી . ભારત ૨૦૩૦ના વર્ષ સુધી 6Gમાં ગ્લોબલ લીડર બનવા માંગે છે . આ માટે ભારતે "ભારત 6G પ્રોજેક્ટ" અમલમાં મુક્યો છે .

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા જેમના ઘરે નોટોનો ઢગલો મળી આવ્યો છે . હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને ફરજમાંથી મુક્ત કરી દીધા છે . આ બાજુ સુપ્રીમ કોર્ટે આ સંપૂર્ણ ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશન બેસાડ્યું છે . તો હવે જોઈએ કોલેજિયમ યશવંત વર્માને શું સજા ફટકારે છે.