Jammu Kashmirના ડોડામાં જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થઈ અથડામણ, ચાર જવાન થયા શહીદ


  • Published By :
  • Published Date : 2024-07-16 10:05:17

આપણે ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ કારણ કે સરહદ પર આપણા દેશના જવાનો દેશની રક્ષા કરે છે.. પરંતુ અનેક વખત અથડામણમાં દેશે પોતાના વીર સપૂતોને ગુમાવ્યા છે.. આતંકી હુમલામાં પણ દેશે પોતાના અનેક જવાનોને શહીદ થતા જોયા છે.. થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરથી સમાચાર સામે આવ્યા હતા આતંકી હુમલાના ત્યારે ફરી એક વખત ગઈકાલે જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ છે જેમાં ચાર જવાન શહીદ થઈ ગયા છે. તે સિવાય અનેક જવાનો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે તેવી માહિતી સામે આવી છે.. 

અથડામણમાં ચાર જવાન થયા શહીદ

જમ્મુ કાશ્મીરથી ફરી એક વખત દુ:ખદ ઘટના સામે આવી છે.. ચાર જવાનો આતંકવાદી સાથે થયેલી અથડામણમાં શહાદતને પામ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય રાઈફલ અને જમ્મુ કાશ્મીર પોલીસે 15 જુલાઈએ ડોડા જિલ્લાના ધારી ગોટે ઉરારબાગીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ કરી હતી.. જવાબમાં સેનાના જવાનોએ પણ ફાયરિંગ કરી.. આતંકવાદીઓ ત્યાંથી ભાગી જવા લાગ્યા.. સેનાના જવાનોએ તેમનો પીછો કર્યો. રાત્રે 9 વાગ્યાની આસપાસ ફરી એક વખત ફાયરિંગ શરૂ થયું. ચાર જવાન શહીદ થઈ ગયા છે.  

થોડા દિવસ પહેલા પણ થયો હતો આતંકી હુમલો

હેલિકોપ્ટરની મદદથી ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મહત્વનું છે કે જમ્મુ ડિવીઝનના ડોડામાં અનેક વખત એન્કાઉન્ટરની ઘટના બની છે.. 32 દિવસમાં અથડામણની આ પાંચમી ઘટના છે.. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ આતંકવાદીઓએ કઠુઆ જિલ્લામાં સુરક્ષા કર્મીઓના વાહન પર હુમલો કર્યો હતો જેમાં 5 જવાન શહીદ થઈ ગયા હતા. શહાદતને પામેલા વીર જવાનોને સલામ...  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .