રસ્તાના નિર્માણ દરમિયાન થતાં ભ્રષ્ટાચારનો નમુનો આવ્યો સામે! સોશિયલ મીડિયા પર વીડિયો થઈ રહ્યો છે વાયરલ! શું તમે જોયો વીડિયો?


  • Published By :
  • Published Date : 2023-05-31 17:06:30

દેશની અર્થવ્યવસ્થામાં રોડ સૌથી મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. જો રોડ સારા હોય તો દેશની પ્રગતિને વેગ મળતો હોય છે તેવી વાત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપૈયી માનતા હતા. ત્યારે આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રસ્તાના નિર્માણ દરમિયાન વાપરવામાં આવેલા માલ સામાનની ગુણવત્તાને લઈ અનેક પ્રશ્નો ઉઠતા હોય છે. અનેક વખત ભ્રષ્ટાચારના આરોપો લગાવામાં આવતા હોય છે.  ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રસ્તાને લોકો પથારીની ચાદરની જેમ ઉઠાવી રહ્યા છે.

     

  

રસ્તાને લોકોએ હાથમાં ઉઠાવ્યો!   

વરસાદ દરમિયાન રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે જુહાપુરામાં ભૂવો પડ્યો હતો. ગયા વર્ષે જે જગ્યા પર ભૂવો પડ્યો હતો એ જ જગ્યા પર આ વખતે પણ સામાન્ય વરસાદમાં ભૂવો પડ્યો છે. આ વાતને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રસ્તાને લોકો ચાદરની જેમ ઉઠાવી રહ્યા છે. એ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયો નથી પરંતુ આ વીડિયો પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે.      



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?