રસ્તાના નિર્માણ દરમિયાન થતાં ભ્રષ્ટાચારનો નમુનો આવ્યો સામે! સોશિયલ મીડિયા પર વીડિયો થઈ રહ્યો છે વાયરલ! શું તમે જોયો વીડિયો?


  • Published By :
  • Published Date : 2023-05-31 17:06:30

દેશની અર્થવ્યવસ્થામાં રોડ સૌથી મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. જો રોડ સારા હોય તો દેશની પ્રગતિને વેગ મળતો હોય છે તેવી વાત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપૈયી માનતા હતા. ત્યારે આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રસ્તાના નિર્માણ દરમિયાન વાપરવામાં આવેલા માલ સામાનની ગુણવત્તાને લઈ અનેક પ્રશ્નો ઉઠતા હોય છે. અનેક વખત ભ્રષ્ટાચારના આરોપો લગાવામાં આવતા હોય છે.  ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રસ્તાને લોકો પથારીની ચાદરની જેમ ઉઠાવી રહ્યા છે.

     

  

રસ્તાને લોકોએ હાથમાં ઉઠાવ્યો!   

વરસાદ દરમિયાન રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે જુહાપુરામાં ભૂવો પડ્યો હતો. ગયા વર્ષે જે જગ્યા પર ભૂવો પડ્યો હતો એ જ જગ્યા પર આ વખતે પણ સામાન્ય વરસાદમાં ભૂવો પડ્યો છે. આ વાતને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રસ્તાને લોકો ચાદરની જેમ ઉઠાવી રહ્યા છે. એ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયો નથી પરંતુ આ વીડિયો પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે.      



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.