રસ્તાના નિર્માણ દરમિયાન થતાં ભ્રષ્ટાચારનો નમુનો આવ્યો સામે! સોશિયલ મીડિયા પર વીડિયો થઈ રહ્યો છે વાયરલ! શું તમે જોયો વીડિયો?


  • Published By :
  • Published Date : 2023-05-31 17:06:30

દેશની અર્થવ્યવસ્થામાં રોડ સૌથી મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. જો રોડ સારા હોય તો દેશની પ્રગતિને વેગ મળતો હોય છે તેવી વાત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપૈયી માનતા હતા. ત્યારે આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રસ્તાના નિર્માણ દરમિયાન વાપરવામાં આવેલા માલ સામાનની ગુણવત્તાને લઈ અનેક પ્રશ્નો ઉઠતા હોય છે. અનેક વખત ભ્રષ્ટાચારના આરોપો લગાવામાં આવતા હોય છે.  ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રસ્તાને લોકો પથારીની ચાદરની જેમ ઉઠાવી રહ્યા છે.

     

  

રસ્તાને લોકોએ હાથમાં ઉઠાવ્યો!   

વરસાદ દરમિયાન રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે જુહાપુરામાં ભૂવો પડ્યો હતો. ગયા વર્ષે જે જગ્યા પર ભૂવો પડ્યો હતો એ જ જગ્યા પર આ વખતે પણ સામાન્ય વરસાદમાં ભૂવો પડ્યો છે. આ વાતને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રસ્તાને લોકો ચાદરની જેમ ઉઠાવી રહ્યા છે. એ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયો નથી પરંતુ આ વીડિયો પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે.      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.