પોલીસ વડાએ લીધો મહત્વનો નિર્ણય, કોઈપણ પોલીસકર્મી સોશિયલ મીડિયામાં વર્દી પહેરીને રિલ બનાવશે તો થશે કાર્યવાહી, પરિપત્ર કરાયું જાહેર


  • Published By :
  • Published Date : 2023-08-18 10:07:31

સોશિયલ મીડિયાનો કેઝ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. છોકરાઓ તો પહેલેથી રિલ્સ બનાવાના અને જોવાના દિવાના હતા પરંતુ હવે તો વડીલો પણ રિલ્સ જોતા થઈ ગયા છે. અનેક વખત પોલીસકર્મીઓના પણ વીડિયો અથવા તો રિલ્સ સામે આવતા હોય છે જેમાં તે વર્દી પહેરીને ડાન્સ કરતા જોવા મળતા હોય છે. યુનિફોર્મમાં તે રિલ્સ અથવા તો વીડિયો બનાવીને મૂકતા હોય છે પરંતુ હવે તે વર્દીમાં સોશિયલ મીડિયા પર વીડિયો અથવા તો રિલ્સ નહીં મૂકી શકે. પોલીસ વડા દ્વારા આ અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આની પહેલા પણ આ અંગેનું પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ તેનાથી કોઈ ફરક ન પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈ ફરી એક વખત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે.

Image

વર્દીમાં પોલીસકર્મીઓના વીડિયો થતા હોય છે સોશિયલ મીડિયા પર વાયરલ 

સામાન્ય માણસોના માનસમાં પોલીસને લઈ નકારાત્મક છબી ઉભી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની છબીને નુકસાન પહોંચે તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ અનેક એવા પોલીસ અધિકારીઓ હોય છે જેમને જોઈ આપણા મનમાં આદરનો ભાવ જાગે. અનેક પોલીસકર્મીઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે જેમાં તે યુનિફોર્મમાં રિલ્સ બનાવતા દેખાતા હોય છે. રિલ્સ બનાવવા પર કોઈ રોક નથી પરંતુ યુનિફોર્મમાં હવેથી કોઈ પણ પોલીસકર્મી વીડિયો અથવા તો રિલ્સ નહીં બનાવી શકે, કારણ કે ગુજરાત પોલીસ વડાએ આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. 


વર્દી પહેરી પોલીસકર્મીઓ નહીં બનાવી શકે રિલ્સ  

જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેનો ચૂસ્તપણે અમલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. પરિપત્રમાં ઉલ્લેખ છે કે પોલીસ અધિકારીઓ કર્મચારી દ્વારા ફરજ પર તથા સિવાયના સમયે પોલીસ યુનિફોર્મમાં સોશિયલ મીડિયામાં રિલ અને વીડિયો બનાવીને અલગ અલગ મીડિયાના એપ્લિકેશન ઉપર પોસ્ટ કરીને પોલીસની છબીને કલંકિત કરવા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેથી કરી તમામ અધિકારી અને કર્મચારીઓએ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવું પડશે તેવું જણાવવામાં આવ્યું છે.  


પોલીસ વડાએ નવો પરિપત્ર કર્યો જાહેર

મહત્વનું છે કે આજના લોકોમાં સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવવાનો કેઝ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. યુવાનો, મહિલાઓ દરેક લોકો રિલ્સ બનાવવાના શોખિન થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. અનેક સરકારી અધિકારીના પણ રિલ્સના વીડિયો સામે આવતા હોય છે. આ શ્રેણીમાં પોલીસનો પણ સમાવેશ થાય છે. અનેક પોલીસ અધિકારીઓ, કર્મીના વીડિયો સામે આવતા હોય છે જેમાં તે વર્દીમાં ડાન્સ કરતા અથવા તો રિલ્સ બનાવતા જોવા મળતા હોય છે. ત્યારે પોલીસ વડાએ પોલીસની છબીને નુકસાન ન પહોંચે તે માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. જો કોઈ  પણ પોલીસ કર્મી યુનિફોર્મમાં રિલ બનાવશે તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 


જો પોલીસકર્મી નહીં માને તો કરાશે કાર્યવાહી 

મહત્વનું છે કે અનેક પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયા પર પોલીસ યુનિફોર્મ પહેરી રિલ બનાવી અપલોડ કરતા હોય છે. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે આચારસંહિતા બહાર પાડવામાં આવી છે અને તેનો ચૂસ્તપણે અમલ કરવા પોલીસને આદેશ આપી દેવામાં આવ્યો છે. જો કોઈ પોલીસકર્મી નિયમોનું પાલન નહીં કરે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.