પોલીસ વડાએ લીધો મહત્વનો નિર્ણય, કોઈપણ પોલીસકર્મી સોશિયલ મીડિયામાં વર્દી પહેરીને રિલ બનાવશે તો થશે કાર્યવાહી, પરિપત્ર કરાયું જાહેર


  • Published By :
  • Published Date : 2023-08-18 10:07:31

સોશિયલ મીડિયાનો કેઝ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. છોકરાઓ તો પહેલેથી રિલ્સ બનાવાના અને જોવાના દિવાના હતા પરંતુ હવે તો વડીલો પણ રિલ્સ જોતા થઈ ગયા છે. અનેક વખત પોલીસકર્મીઓના પણ વીડિયો અથવા તો રિલ્સ સામે આવતા હોય છે જેમાં તે વર્દી પહેરીને ડાન્સ કરતા જોવા મળતા હોય છે. યુનિફોર્મમાં તે રિલ્સ અથવા તો વીડિયો બનાવીને મૂકતા હોય છે પરંતુ હવે તે વર્દીમાં સોશિયલ મીડિયા પર વીડિયો અથવા તો રિલ્સ નહીં મૂકી શકે. પોલીસ વડા દ્વારા આ અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આની પહેલા પણ આ અંગેનું પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ તેનાથી કોઈ ફરક ન પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈ ફરી એક વખત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે.

Image

વર્દીમાં પોલીસકર્મીઓના વીડિયો થતા હોય છે સોશિયલ મીડિયા પર વાયરલ 

સામાન્ય માણસોના માનસમાં પોલીસને લઈ નકારાત્મક છબી ઉભી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની છબીને નુકસાન પહોંચે તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ અનેક એવા પોલીસ અધિકારીઓ હોય છે જેમને જોઈ આપણા મનમાં આદરનો ભાવ જાગે. અનેક પોલીસકર્મીઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે જેમાં તે યુનિફોર્મમાં રિલ્સ બનાવતા દેખાતા હોય છે. રિલ્સ બનાવવા પર કોઈ રોક નથી પરંતુ યુનિફોર્મમાં હવેથી કોઈ પણ પોલીસકર્મી વીડિયો અથવા તો રિલ્સ નહીં બનાવી શકે, કારણ કે ગુજરાત પોલીસ વડાએ આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. 


વર્દી પહેરી પોલીસકર્મીઓ નહીં બનાવી શકે રિલ્સ  

જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેનો ચૂસ્તપણે અમલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. પરિપત્રમાં ઉલ્લેખ છે કે પોલીસ અધિકારીઓ કર્મચારી દ્વારા ફરજ પર તથા સિવાયના સમયે પોલીસ યુનિફોર્મમાં સોશિયલ મીડિયામાં રિલ અને વીડિયો બનાવીને અલગ અલગ મીડિયાના એપ્લિકેશન ઉપર પોસ્ટ કરીને પોલીસની છબીને કલંકિત કરવા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેથી કરી તમામ અધિકારી અને કર્મચારીઓએ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવું પડશે તેવું જણાવવામાં આવ્યું છે.  


પોલીસ વડાએ નવો પરિપત્ર કર્યો જાહેર

મહત્વનું છે કે આજના લોકોમાં સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવવાનો કેઝ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. યુવાનો, મહિલાઓ દરેક લોકો રિલ્સ બનાવવાના શોખિન થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. અનેક સરકારી અધિકારીના પણ રિલ્સના વીડિયો સામે આવતા હોય છે. આ શ્રેણીમાં પોલીસનો પણ સમાવેશ થાય છે. અનેક પોલીસ અધિકારીઓ, કર્મીના વીડિયો સામે આવતા હોય છે જેમાં તે વર્દીમાં ડાન્સ કરતા અથવા તો રિલ્સ બનાવતા જોવા મળતા હોય છે. ત્યારે પોલીસ વડાએ પોલીસની છબીને નુકસાન ન પહોંચે તે માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. જો કોઈ  પણ પોલીસ કર્મી યુનિફોર્મમાં રિલ બનાવશે તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 


જો પોલીસકર્મી નહીં માને તો કરાશે કાર્યવાહી 

મહત્વનું છે કે અનેક પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયા પર પોલીસ યુનિફોર્મ પહેરી રિલ બનાવી અપલોડ કરતા હોય છે. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે આચારસંહિતા બહાર પાડવામાં આવી છે અને તેનો ચૂસ્તપણે અમલ કરવા પોલીસને આદેશ આપી દેવામાં આવ્યો છે. જો કોઈ પોલીસકર્મી નિયમોનું પાલન નહીં કરે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.