પશ્ચિમ બંગાળથી સામે આવી મણિપુર જેવી ઘટના! ક્યાં સુધી મહિલાઓ બનતી રહેશે ભોગ? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-22 12:56:36

મણિપુરથી આવેલા વીડિયોને કારણે ભડકેલી આગ હજી શાંત નથી થઈ ત્યારે આવી જ એક બીજી ઘટના પશ્ચિમ બંગાળથી સામે આવી છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં મહિલાઓને પહેલા ઢોર માર મારવામાં આવ્યો હતો અને પછી નિર્વસ્ત્ર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અર્ધનગ્ન તો મહિલાને કરી દીધી હતી. જે વીડિયો સામે આવ્યો છે તે 19 જુલાઈનો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયો તો મણિપુર કરતા પણ શર્મનજક છે કારણ કે આ વીડિયોમાં મહિલાઓ જ મહિલાને મારી રહી છે. જે મહિલાઓને બીજી મહિલાના રક્ષણ માટે અવાજ ઉપાડવો જોઈએ, જે મહિલાઓએ એક બીજાની તાકાત બનવી જોઈએ, તે જ મહિલાઓ આવી રીતે મહિલા સાથે વર્તન કરી રહી છે? 


પોતાના પર વિતતી નથી ત્યાં સુધી આપણે નથી સમજી શક્તા...

મહિલાઓ પર થતાં અત્યાચાર પ્રતિદિન વધી રહ્યા છે. સ્ત્રીને શક્તિનું રૂપ માનવામાં આવે છે, આપણે આપણા દેશને માતા કહીને સંબોધીએ છીએ. કોઈ આપણી બહેન અથવા માતાનું અપમાન કરીને જતું રહે તે આપણાથી સહન નથી થયું પરંતુ જે મહિલાઓ ભોગ બની રહી છે તે પણ આપણી જ બહેન છે ને. આપણે પ્રતિજ્ઞામાં બોલતા હોઈએ છીએ કે દરેક દેશવાસીઓ મારા ભાઈ બહેન છે.. પરંતુ જ્યારે અમલી કરવાની વાત આવે ત્યારે આપણે મૌન રહી જઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે આ ઘટનાથી આપણે શું લેવા દેવા પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણું મૌન સમાજને એ તરફ દોરી જાય છે આવનારી પેઢી માટે આ વાત સામાન્ય લાગશે. મનુષ્યની તકલીફ એ છે કે જ્યાં સુધી પોતાના ઉપર નથી વીતતી ત્યાં સુધી આપણે એ વાતને ગંભીરતાથી લેતા જ નથી. આપણે શું? આપણે શું ઉખાડી લેવાના ? તેવા અનેક તર્ક વિતર્ક આપણે પોતાની જાતને આપતા હોઈએ છીએ. પરંતુ જ્યારે તે જ વસ્તુ તમારી મા, બહેન કે દીકરી સાથે થશે ત્યારે?   

પશ્ચિમ બંગાળથી સામે આવ્યો મહિલા પર થતાં અત્યાચારનો વીડિયો 

આ ઘટનાનો વીડિયો બીજેપીના આઈટી સેલ હેડ અમિત માલવીયા દ્વારા ટ્વિટ કરવામાં આવી છે. તેમના પ્રમાણે આ ઘટના માલદાના બામનગોલા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જે મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે આદિવાસી મહિલા છે. માલવીયાએ આરોપ લગાવ્યો છે કે પહેલા તેમને માર મારવામાં આવ્યો અને પછી તેમની સાથે આવું અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં બનેલી આ ઘટના પહેલી નથી પરંતુ આવી ઘટના એક મહિલા સાથે થઈ હોય તેવા આરોપ મહિલા દ્વારા લગાવવામાં આવ્યા છે. પંચાયત ચૂંટણી દરમિયાન એક મહિલાને નિર્વસ્ત્ર કરી પરેડ કરવામાં આવી હતી તેવી ફરિયાદ કરવામાં આવી છે. 

સ્મૃતિ ઈરાનીએ પ્રશ્ન પૂછ્યો, પરંતુ મણિપુર અંગે મૌન કેમ?

મહિલાઓ પર થતાં અત્યાચારને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાને લઈ તરત પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે કે કોંગ્રેસ શા માટે પશ્ચિમ બંગાળની સરકારને સવાલ નથી પૂછી રહી? કારણ કે તે બધા જોડે છે એટલે? ત્યારે સ્મૃતિ ઈરાનીને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કે મણિપુર અંગે પ્રતિક્રિયા આપવામાં આટલી બધી વાર કેમ કરી? ત્યાં ભાજપની સરકાર છે એટલે? મણિપુરમાં થતી હિંસા મુદ્દે શા માટે કોઈ નથી બોલતું? મણિપુરમાં જે ઘટના બની છે તે અંગે એટલા માટે પ્રતિક્રિયા નથી આપવા આવી કારણ કે ત્યાં ભાજપની સરકાર છે એટલે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મણિપુર અંગે જ્યારે નિવેદન આપ્યું હતું તેમાં પણ મણિપુર અંગે ઓછું પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ અંગે વાત કરી હતી. ત્યારે આ મામલે રાજનીતિ કરવાની જરૂર છે કે મહિલાઓ પોતાને સુરક્ષિત સમજે તેવી વ્યવસ્થા કરવાની જરૂરત છે?



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.