Anandથી ગુરૂ શિષ્યના સંબંધને લાંછન લાગે તેવી ઘટના સામે આવી, વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવી અને આચર્યું દુષ્કર્મ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-15 15:52:15

આપણે ત્યાં શિક્ષકને ઉચ્ચું સ્થાન આપવામાં આવ્યું છે, શિક્ષકને માતા પિતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ અનેક શિક્ષકો એવા હોય છે જે આ પદને લાંછન લગાવતા હોય છે. અનેક એવા શિક્ષકો એવા હોય છે જે વિદ્યાર્થીનીઓ પર નજર બગાડે છે અને પોતાના હવસનો શિકાર બનાવે છે. ત્યારે આણંદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પીટી શિક્ષકે 17 વર્ષીય વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાઈ છે. એવી પણ માહિતી સામે આવી છે કે તેની પર અનેક વખત દુષ્કર્મ પણ આચર્યું છે. શિક્ષક વિદ્યાર્થીનીને પોતાના મિત્રને ત્યાં લઈ ગયો હતો. શાળાએ ગયેલી સગીરા ઘરે પાછી ના આવતા વિદ્યાર્થીનીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી. સગીરા જ્યારે ઘરે આવી ત્યારે તેણે પોતાના પરિવારના સભ્યોને આ વાતની જાણ કરી અને મળતી માહિતી અનુસાર પોલીસે નરાધમ શિક્ષકની અટકાયત કરી લીધી છે. 


શિક્ષકે વિદ્યાર્થીની પર બગાડી નજર!  

આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકાથી એક ઘટના સામે આવી છે ગુરૂ શિષ્યના સંબંધોને શર્મસાર કરે તેવી છે. માધ્યમિક શાળામાં પી.ટી શિક્ષક તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય શિક્ષક જયેન્દ્ર રાજે 17 વર્ષીય સગીર વિદ્યાર્થીનીને પોતાના હવસનો શિકાર બનાવી છે. નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીને એવી લાલચ આપી કે તે રમતગમતમાં આગળ વધારશે. રમત ગમત ક્ષેત્રમાં તેને આગળ વધારશે તેવી લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. એવી પણ માહિતી સામે આવી કે શિક્ષકે વિદ્યાર્થીનીને લગ્નની લાલચ પણ આપી હતી. વિદ્યાર્થીનીને તે ભગાડી ગયો અને અનેક વખત તેની પર દુષ્કર્મ આચર્યું. સગીરા પર નરાધમે 13 દિવસ સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમિયાન સગીરાને ભગાડીને ડાકોર પાસે પીલોદ ગામે તેના મિત્રને ત્યાં રાખી. તો આ તરફ વિદ્યાર્થીનીના પરિવારે પોલીસ ફરિયાદ કરી. 


દીકરી જ્યારે ઘરે આવી ત્યારે ફૂટ્યો ભાંડો!

13 દિવસ બાદ જ્યારે સગીરા ઘરે આવી ત્યારે પરિવારજનોએ તેની કડક પૂછપરછ કરી અને તે બાદ આ આખા વાતની ખબર પડી. પરિવારે કડક પૂછપરછ કરી તે બાદ આખો ભાંડો ફૂટ્યો. આખી ઘટનાની ખબર પડતા પરિવાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી અને તે બાદ પોલીસે આ નરાધમ શિક્ષકની અટકાયત કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. 


દીકરીઓ પોતાના ઘરમાં પણ નથી સુરક્ષિત!

મહત્વનું છે કે આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે ગુજરાત દીકરીઓ માટે સુરક્ષીત રાજ્ય માનવામાં આવતું હતું. જો દીકરી ઘરની બહાર હોય તો પરિવારના સભ્યોને વધારે ટેન્શન ના રહેતું પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. દીકરીઓ પોતાના ઘરમાં પણ સુરક્ષીત નથી. ઘરમાં તો ઠીક પરંતુ પોતાના પરિવારના સભ્યોથી પણ અસુરક્ષિત છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં ભાઈ બહેનને હવસનો શિકાર બનાવે છે તો પિતા દીકરીને હવસનો શિકાર બનાવી રહ્યા છે!   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.