Anandથી ગુરૂ શિષ્યના સંબંધને લાંછન લાગે તેવી ઘટના સામે આવી, વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવી અને આચર્યું દુષ્કર્મ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-15 15:52:15

આપણે ત્યાં શિક્ષકને ઉચ્ચું સ્થાન આપવામાં આવ્યું છે, શિક્ષકને માતા પિતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ અનેક શિક્ષકો એવા હોય છે જે આ પદને લાંછન લગાવતા હોય છે. અનેક એવા શિક્ષકો એવા હોય છે જે વિદ્યાર્થીનીઓ પર નજર બગાડે છે અને પોતાના હવસનો શિકાર બનાવે છે. ત્યારે આણંદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પીટી શિક્ષકે 17 વર્ષીય વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાઈ છે. એવી પણ માહિતી સામે આવી છે કે તેની પર અનેક વખત દુષ્કર્મ પણ આચર્યું છે. શિક્ષક વિદ્યાર્થીનીને પોતાના મિત્રને ત્યાં લઈ ગયો હતો. શાળાએ ગયેલી સગીરા ઘરે પાછી ના આવતા વિદ્યાર્થીનીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી. સગીરા જ્યારે ઘરે આવી ત્યારે તેણે પોતાના પરિવારના સભ્યોને આ વાતની જાણ કરી અને મળતી માહિતી અનુસાર પોલીસે નરાધમ શિક્ષકની અટકાયત કરી લીધી છે. 


શિક્ષકે વિદ્યાર્થીની પર બગાડી નજર!  

આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકાથી એક ઘટના સામે આવી છે ગુરૂ શિષ્યના સંબંધોને શર્મસાર કરે તેવી છે. માધ્યમિક શાળામાં પી.ટી શિક્ષક તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય શિક્ષક જયેન્દ્ર રાજે 17 વર્ષીય સગીર વિદ્યાર્થીનીને પોતાના હવસનો શિકાર બનાવી છે. નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીને એવી લાલચ આપી કે તે રમતગમતમાં આગળ વધારશે. રમત ગમત ક્ષેત્રમાં તેને આગળ વધારશે તેવી લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. એવી પણ માહિતી સામે આવી કે શિક્ષકે વિદ્યાર્થીનીને લગ્નની લાલચ પણ આપી હતી. વિદ્યાર્થીનીને તે ભગાડી ગયો અને અનેક વખત તેની પર દુષ્કર્મ આચર્યું. સગીરા પર નરાધમે 13 દિવસ સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમિયાન સગીરાને ભગાડીને ડાકોર પાસે પીલોદ ગામે તેના મિત્રને ત્યાં રાખી. તો આ તરફ વિદ્યાર્થીનીના પરિવારે પોલીસ ફરિયાદ કરી. 


દીકરી જ્યારે ઘરે આવી ત્યારે ફૂટ્યો ભાંડો!

13 દિવસ બાદ જ્યારે સગીરા ઘરે આવી ત્યારે પરિવારજનોએ તેની કડક પૂછપરછ કરી અને તે બાદ આ આખા વાતની ખબર પડી. પરિવારે કડક પૂછપરછ કરી તે બાદ આખો ભાંડો ફૂટ્યો. આખી ઘટનાની ખબર પડતા પરિવાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી અને તે બાદ પોલીસે આ નરાધમ શિક્ષકની અટકાયત કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. 


દીકરીઓ પોતાના ઘરમાં પણ નથી સુરક્ષિત!

મહત્વનું છે કે આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે ગુજરાત દીકરીઓ માટે સુરક્ષીત રાજ્ય માનવામાં આવતું હતું. જો દીકરી ઘરની બહાર હોય તો પરિવારના સભ્યોને વધારે ટેન્શન ના રહેતું પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. દીકરીઓ પોતાના ઘરમાં પણ સુરક્ષીત નથી. ઘરમાં તો ઠીક પરંતુ પોતાના પરિવારના સભ્યોથી પણ અસુરક્ષિત છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં ભાઈ બહેનને હવસનો શિકાર બનાવે છે તો પિતા દીકરીને હવસનો શિકાર બનાવી રહ્યા છે!   



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."