અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાના પ્રયાસમાં સર્જાઈ દુર્ઘટના, ભારતીય પરિવારના લોકો મોતને ભેટ્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-01 19:07:51

વિદેશમાં જવાનો ક્રેઝ થોડા સમયથી વધી ગયો છે. અનેક લોકો વિદેશમાં જવા લાખો રૂપિયા ખરચતા હોય છે. પરંતુ વિદેશની ધરતી પરથી અનેક વખત એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે.  ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

નદીમાં સર્ચ ચાલી રહ્યું છે


સેન્ટ લોરેન્સ નદીમાં બોટ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને શોધી રહેલા બચાવકર્મીઓ.

ગેરકાયદેસર રીતે ઘૂસવાનો બે પરિવારે કર્યો પ્રયાસ  

વિદેશ જઈ વસવાનો શોખ અનેક ભારતીયોમાં જોવા મળતો હોય છે. વિદેશ જવાનું સપનું લોકો જોતા હોય છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં લોકો ગેરકાયદેસર રીતે ઘૂસવાની કોશિષ કરતા હોય છે જેને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આવા જ એક સમાચાર કેનેડાથી સામે આવ્યા છે. ગેરકાયકેસર રીતે યુએસમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર પરિવારે બોટ દ્વારા સેન્ટ લોરેન્સ નદી પાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસને ક્યુબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો. 


પોલીસે આ અંગે કરી પ્રતિક્રિયા 

અમેરિકાના પોલીસ વડાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ બે પરિવારના હતા. એક પરિવાર રોમાનિયમ મૂળનો છે અને બીજો પરિવાર ભારતીય મૂળનો છે. તમામ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાને લઈ કેનેડાના વડાપ્રધાને પણ શોક પ્રગટ કર્યો છે. 

મૃતક અને તેનો પુત્ર



આ પરિવારના સભ્યોએ પણ ગુમાવ્યો છે જીવ 

આ માત્ર એક જ પરિવાર નથી જે દુર્ઘટનાનો શિકાર બન્યો છે. પરંતુ આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ મોંઘો પડ્યો છે. થોડા મહિનાઓ પહેલા અમેરિકા પહોંચવાની લાલચમાં અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. સૌથી વધારે ચર્ચિત કોઈ પરિવાર હોય તો તે ગાંધીનગરના કલોલમાં રહેતો પરિવાર બન્યો છે. પરિવારે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. 30 ફૂટ ઉંચી દિવાલને ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળ ન થયા અને ઉપરથી નીચે પટકાયા હતા. તે સિવાય ડિંગુચા પરિવારના સભ્યોએ પણ વિદેશ જવાની લાયમાં મોતને ભેટ્યા છે. પરિવાર માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જતાં ડિંગુચા પરિવારના સભ્યો મોતને ભેટ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે વિદેશમાં એવું તો શું છે કે લોકો ગેરકાયદેસર જઈ રહ્યા છે.   



અમરનાથ યાત્રાના રશ્મીનો પ્રારંભ થયો છે. જમ્મુ કશ્મિરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પહેલી પૂજાનો લ્હાવો લીધો હતો. મહત્વનું છે કે ગયા વર્ષે 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો

બ્રિટનના ટાવર ઓફ લંડનના એક્ઝિબિશનમાં આ વાત કહેવામાં આવી છે. પ્રદર્શનમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કોહિનૂર હીરો ભારતમાંથી લઈ ગયા હતા. મહારાજા દિલીપ સિંહને આ હીરો આપવા માટે મજબુર કરવામાં આવ્યા હતા.

પહેલવાનોના સમર્થનમાં અનેક રાજનેતાઓ આવ્યા છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ આ મામલે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય પાર્ટી આ મામલે આક્રામક દેખાઈ રહી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બિલે બ્રિજભૂષણ શરણ સિંહ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે.

લોકોમાં સાયકલના મહત્વને જીવંત કરવા યુનાઈટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 3 જૂને વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. સાયકલ ચલાવવાથી આરોગ્ય પણ સારૂ રહે છે તેમજ હવામાં પ્રદુષણ પણ ઓછું થાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઉપરાંત પાચનશક્તિ પણ સારી રહે છે. તે સિવાય પ્રદુષણ પણ ઓછું થાય છે. અને અકસ્માતોની સંખ્યા પણ ઓછી થાય. રાહદારીઓની સલામતી પણ સચવાઈ જાય.