અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાના પ્રયાસમાં સર્જાઈ દુર્ઘટના, ભારતીય પરિવારના લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-04-01 19:07:51

વિદેશમાં જવાનો ક્રેઝ થોડા સમયથી વધી ગયો છે. અનેક લોકો વિદેશમાં જવા લાખો રૂપિયા ખરચતા હોય છે. પરંતુ વિદેશની ધરતી પરથી અનેક વખત એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે.  ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

નદીમાં સર્ચ ચાલી રહ્યું છે


સેન્ટ લોરેન્સ નદીમાં બોટ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને શોધી રહેલા બચાવકર્મીઓ.

ગેરકાયદેસર રીતે ઘૂસવાનો બે પરિવારે કર્યો પ્રયાસ  

વિદેશ જઈ વસવાનો શોખ અનેક ભારતીયોમાં જોવા મળતો હોય છે. વિદેશ જવાનું સપનું લોકો જોતા હોય છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં લોકો ગેરકાયદેસર રીતે ઘૂસવાની કોશિષ કરતા હોય છે જેને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આવા જ એક સમાચાર કેનેડાથી સામે આવ્યા છે. ગેરકાયકેસર રીતે યુએસમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર પરિવારે બોટ દ્વારા સેન્ટ લોરેન્સ નદી પાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસને ક્યુબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો. 


પોલીસે આ અંગે કરી પ્રતિક્રિયા 

અમેરિકાના પોલીસ વડાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ બે પરિવારના હતા. એક પરિવાર રોમાનિયમ મૂળનો છે અને બીજો પરિવાર ભારતીય મૂળનો છે. તમામ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાને લઈ કેનેડાના વડાપ્રધાને પણ શોક પ્રગટ કર્યો છે. 

મૃતક અને તેનો પુત્ર



આ પરિવારના સભ્યોએ પણ ગુમાવ્યો છે જીવ 

આ માત્ર એક જ પરિવાર નથી જે દુર્ઘટનાનો શિકાર બન્યો છે. પરંતુ આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ મોંઘો પડ્યો છે. થોડા મહિનાઓ પહેલા અમેરિકા પહોંચવાની લાલચમાં અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. સૌથી વધારે ચર્ચિત કોઈ પરિવાર હોય તો તે ગાંધીનગરના કલોલમાં રહેતો પરિવાર બન્યો છે. પરિવારે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. 30 ફૂટ ઉંચી દિવાલને ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળ ન થયા અને ઉપરથી નીચે પટકાયા હતા. તે સિવાય ડિંગુચા પરિવારના સભ્યોએ પણ વિદેશ જવાની લાયમાં મોતને ભેટ્યા છે. પરિવાર માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જતાં ડિંગુચા પરિવારના સભ્યો મોતને ભેટ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે વિદેશમાં એવું તો શું છે કે લોકો ગેરકાયદેસર જઈ રહ્યા છે.   



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?