ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારત અને પાકિસ્તાનને લઇને ચિંતિત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-02 14:05:36

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા .  

Vice President JD Vance

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ એક ખાનગી ન્યૂઝચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામના આતંકી હુમલા બાદ જે તણાવ વર્તાઈ રહ્યો છે તેની પર પ્રતિક્રિયા આપી છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ભારતીય ઉપમહાદ્વીપની વર્તમાન સ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરી છે.  જયારે એક આંતરરાષ્ટ્રીય ન્યુઝ ચેનલના એન્કરે ઉપરાષ્ટ્રપતિ જે ડી વાંસને પૂછ્યું કે , " શું તમે ભારત અને પાકિસ્તાન વિશે ચિંતિત છો? " ત્યારે જે ડી વાન્સે જવાબ આપતા કહ્યું છે કે , " હું ચિંતિત છું કે બેઉ દેશો ભારત અને પાકિસ્તાન કે જે પરમાણુ સત્તા છે તેમની વચ્ચે કંઈ પણ થઈ શકે છે. અમે ભારત અને પાકિસ્તાનમાં અમારા સહયોગીઓ સાથે સતત સંપર્કમાં છીએ . સાથે જ મને આશા છે કે ભારત એ રીતે પાકિસ્તાનને જવાબ આપશે કે સ્થાનિક સ્તરે ખુબ મોટા પાયે યુદ્ધ ફાટી ના નીકળે . સાથે જ મને આશા છે કે પાકિસ્તાન પણ કંઈક અંશે જવાબદાર દેશ તરીકે ભારત સાથે તેની ધરતી પર રહેલા આંતકવાદીઓના સફાયા માટે સહયોગ કરશે. " 

What to Know About India and Pakistan's Escalating Tensions in Kashmir |  TIME

આમ ભારત અને પાકિસ્તાન બેઉ દેશો પ્રત્યે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સહયોગની આશા રાખી રહ્યા છે૨૨મી એપ્રિલના પહલગામના આતંકી હુમલા દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પત્ની ઉષા વાન્સ ભારતની મુલાકાતે હતા . આ હુમલાના થોડાક સમય બાદ જે ડી વાન્સે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું હતું કે , " ઉષા અને હું પહલગામના આતંકી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ . અમે પાછલા કેટલાક દિવસથી ભારતની અને અહીંના લોકોની સુંદરતાના દર્શન કરી રહ્યા છીએ . અમારા વિચારો અને અમારી પ્રાર્થના આ આતંકી હુમલાના પીડિતોની સાથે છે. "  વાત કરીએ આપણા વિદેશ પ્રધાન એસ. જયશંકરની તો તેમણે વિશ્વના વિવિધ દેશોના વિદેશ પ્રધાન સાથે વાત કરી છે. આ દેશોમાં અમેરિકા , ગુયાના , દક્ષિણ કોરિયા , UAE  , કુવૈત અને અન્ય દેશોનો સમાવેશ થાય છે.  હવે તો સમાચાર આવી રહ્યા છે કે , ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી આવતા અઠવાડીએ ભારતની મુલાકાતે છે સાથે જ ભારતના રાજદ્વારી અધિકારીઓ હમણાં જ અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારના પ્રતિનિધિઓને મળ્યા હતા . તમે સમજી શકો છો કે વિશ્વના ફલક પર પાકિસ્તાન તેના મોટા ભાગના પાડોશી દેશો તરફથી એકલું પડી ગયું છે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.