ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારત અને પાકિસ્તાનને લઇને ચિંતિત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-02 14:05:36

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા .  

Vice President JD Vance

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ એક ખાનગી ન્યૂઝચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામના આતંકી હુમલા બાદ જે તણાવ વર્તાઈ રહ્યો છે તેની પર પ્રતિક્રિયા આપી છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ભારતીય ઉપમહાદ્વીપની વર્તમાન સ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરી છે.  જયારે એક આંતરરાષ્ટ્રીય ન્યુઝ ચેનલના એન્કરે ઉપરાષ્ટ્રપતિ જે ડી વાંસને પૂછ્યું કે , " શું તમે ભારત અને પાકિસ્તાન વિશે ચિંતિત છો? " ત્યારે જે ડી વાન્સે જવાબ આપતા કહ્યું છે કે , " હું ચિંતિત છું કે બેઉ દેશો ભારત અને પાકિસ્તાન કે જે પરમાણુ સત્તા છે તેમની વચ્ચે કંઈ પણ થઈ શકે છે. અમે ભારત અને પાકિસ્તાનમાં અમારા સહયોગીઓ સાથે સતત સંપર્કમાં છીએ . સાથે જ મને આશા છે કે ભારત એ રીતે પાકિસ્તાનને જવાબ આપશે કે સ્થાનિક સ્તરે ખુબ મોટા પાયે યુદ્ધ ફાટી ના નીકળે . સાથે જ મને આશા છે કે પાકિસ્તાન પણ કંઈક અંશે જવાબદાર દેશ તરીકે ભારત સાથે તેની ધરતી પર રહેલા આંતકવાદીઓના સફાયા માટે સહયોગ કરશે. " 

What to Know About India and Pakistan's Escalating Tensions in Kashmir |  TIME

આમ ભારત અને પાકિસ્તાન બેઉ દેશો પ્રત્યે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સહયોગની આશા રાખી રહ્યા છે૨૨મી એપ્રિલના પહલગામના આતંકી હુમલા દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પત્ની ઉષા વાન્સ ભારતની મુલાકાતે હતા . આ હુમલાના થોડાક સમય બાદ જે ડી વાન્સે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું હતું કે , " ઉષા અને હું પહલગામના આતંકી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ . અમે પાછલા કેટલાક દિવસથી ભારતની અને અહીંના લોકોની સુંદરતાના દર્શન કરી રહ્યા છીએ . અમારા વિચારો અને અમારી પ્રાર્થના આ આતંકી હુમલાના પીડિતોની સાથે છે. "  વાત કરીએ આપણા વિદેશ પ્રધાન એસ. જયશંકરની તો તેમણે વિશ્વના વિવિધ દેશોના વિદેશ પ્રધાન સાથે વાત કરી છે. આ દેશોમાં અમેરિકા , ગુયાના , દક્ષિણ કોરિયા , UAE  , કુવૈત અને અન્ય દેશોનો સમાવેશ થાય છે.  હવે તો સમાચાર આવી રહ્યા છે કે , ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી આવતા અઠવાડીએ ભારતની મુલાકાતે છે સાથે જ ભારતના રાજદ્વારી અધિકારીઓ હમણાં જ અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારના પ્રતિનિધિઓને મળ્યા હતા . તમે સમજી શકો છો કે વિશ્વના ફલક પર પાકિસ્તાન તેના મોટા ભાગના પાડોશી દેશો તરફથી એકલું પડી ગયું છે.  




ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.