ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારત અને પાકિસ્તાનને લઇને ચિંતિત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-02 14:05:36

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા .  

Vice President JD Vance

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ એક ખાનગી ન્યૂઝચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામના આતંકી હુમલા બાદ જે તણાવ વર્તાઈ રહ્યો છે તેની પર પ્રતિક્રિયા આપી છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ભારતીય ઉપમહાદ્વીપની વર્તમાન સ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરી છે.  જયારે એક આંતરરાષ્ટ્રીય ન્યુઝ ચેનલના એન્કરે ઉપરાષ્ટ્રપતિ જે ડી વાંસને પૂછ્યું કે , " શું તમે ભારત અને પાકિસ્તાન વિશે ચિંતિત છો? " ત્યારે જે ડી વાન્સે જવાબ આપતા કહ્યું છે કે , " હું ચિંતિત છું કે બેઉ દેશો ભારત અને પાકિસ્તાન કે જે પરમાણુ સત્તા છે તેમની વચ્ચે કંઈ પણ થઈ શકે છે. અમે ભારત અને પાકિસ્તાનમાં અમારા સહયોગીઓ સાથે સતત સંપર્કમાં છીએ . સાથે જ મને આશા છે કે ભારત એ રીતે પાકિસ્તાનને જવાબ આપશે કે સ્થાનિક સ્તરે ખુબ મોટા પાયે યુદ્ધ ફાટી ના નીકળે . સાથે જ મને આશા છે કે પાકિસ્તાન પણ કંઈક અંશે જવાબદાર દેશ તરીકે ભારત સાથે તેની ધરતી પર રહેલા આંતકવાદીઓના સફાયા માટે સહયોગ કરશે. " 

What to Know About India and Pakistan's Escalating Tensions in Kashmir |  TIME

આમ ભારત અને પાકિસ્તાન બેઉ દેશો પ્રત્યે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સહયોગની આશા રાખી રહ્યા છે૨૨મી એપ્રિલના પહલગામના આતંકી હુમલા દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પત્ની ઉષા વાન્સ ભારતની મુલાકાતે હતા . આ હુમલાના થોડાક સમય બાદ જે ડી વાન્સે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું હતું કે , " ઉષા અને હું પહલગામના આતંકી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ . અમે પાછલા કેટલાક દિવસથી ભારતની અને અહીંના લોકોની સુંદરતાના દર્શન કરી રહ્યા છીએ . અમારા વિચારો અને અમારી પ્રાર્થના આ આતંકી હુમલાના પીડિતોની સાથે છે. "  વાત કરીએ આપણા વિદેશ પ્રધાન એસ. જયશંકરની તો તેમણે વિશ્વના વિવિધ દેશોના વિદેશ પ્રધાન સાથે વાત કરી છે. આ દેશોમાં અમેરિકા , ગુયાના , દક્ષિણ કોરિયા , UAE  , કુવૈત અને અન્ય દેશોનો સમાવેશ થાય છે.  હવે તો સમાચાર આવી રહ્યા છે કે , ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી આવતા અઠવાડીએ ભારતની મુલાકાતે છે સાથે જ ભારતના રાજદ્વારી અધિકારીઓ હમણાં જ અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારના પ્રતિનિધિઓને મળ્યા હતા . તમે સમજી શકો છો કે વિશ્વના ફલક પર પાકિસ્તાન તેના મોટા ભાગના પાડોશી દેશો તરફથી એકલું પડી ગયું છે.  




ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.