ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારત અને પાકિસ્તાનને લઇને ચિંતિત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-02 14:05:36

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા .  

Vice President JD Vance

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ એક ખાનગી ન્યૂઝચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામના આતંકી હુમલા બાદ જે તણાવ વર્તાઈ રહ્યો છે તેની પર પ્રતિક્રિયા આપી છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ભારતીય ઉપમહાદ્વીપની વર્તમાન સ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરી છે.  જયારે એક આંતરરાષ્ટ્રીય ન્યુઝ ચેનલના એન્કરે ઉપરાષ્ટ્રપતિ જે ડી વાંસને પૂછ્યું કે , " શું તમે ભારત અને પાકિસ્તાન વિશે ચિંતિત છો? " ત્યારે જે ડી વાન્સે જવાબ આપતા કહ્યું છે કે , " હું ચિંતિત છું કે બેઉ દેશો ભારત અને પાકિસ્તાન કે જે પરમાણુ સત્તા છે તેમની વચ્ચે કંઈ પણ થઈ શકે છે. અમે ભારત અને પાકિસ્તાનમાં અમારા સહયોગીઓ સાથે સતત સંપર્કમાં છીએ . સાથે જ મને આશા છે કે ભારત એ રીતે પાકિસ્તાનને જવાબ આપશે કે સ્થાનિક સ્તરે ખુબ મોટા પાયે યુદ્ધ ફાટી ના નીકળે . સાથે જ મને આશા છે કે પાકિસ્તાન પણ કંઈક અંશે જવાબદાર દેશ તરીકે ભારત સાથે તેની ધરતી પર રહેલા આંતકવાદીઓના સફાયા માટે સહયોગ કરશે. " 

What to Know About India and Pakistan's Escalating Tensions in Kashmir |  TIME

આમ ભારત અને પાકિસ્તાન બેઉ દેશો પ્રત્યે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સહયોગની આશા રાખી રહ્યા છે૨૨મી એપ્રિલના પહલગામના આતંકી હુમલા દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પત્ની ઉષા વાન્સ ભારતની મુલાકાતે હતા . આ હુમલાના થોડાક સમય બાદ જે ડી વાન્સે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું હતું કે , " ઉષા અને હું પહલગામના આતંકી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ . અમે પાછલા કેટલાક દિવસથી ભારતની અને અહીંના લોકોની સુંદરતાના દર્શન કરી રહ્યા છીએ . અમારા વિચારો અને અમારી પ્રાર્થના આ આતંકી હુમલાના પીડિતોની સાથે છે. "  વાત કરીએ આપણા વિદેશ પ્રધાન એસ. જયશંકરની તો તેમણે વિશ્વના વિવિધ દેશોના વિદેશ પ્રધાન સાથે વાત કરી છે. આ દેશોમાં અમેરિકા , ગુયાના , દક્ષિણ કોરિયા , UAE  , કુવૈત અને અન્ય દેશોનો સમાવેશ થાય છે.  હવે તો સમાચાર આવી રહ્યા છે કે , ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી આવતા અઠવાડીએ ભારતની મુલાકાતે છે સાથે જ ભારતના રાજદ્વારી અધિકારીઓ હમણાં જ અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારના પ્રતિનિધિઓને મળ્યા હતા . તમે સમજી શકો છો કે વિશ્વના ફલક પર પાકિસ્તાન તેના મોટા ભાગના પાડોશી દેશો તરફથી એકલું પડી ગયું છે.  




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.