આંતરિયાળ વિસ્તારની શાળાના શિક્ષકે આખી બેંક ઉભી કરી દીધી


  • Published By : Saddam Shaikh
  • Published Date : 2023-10-09 16:15:49

તમે ક્યારેય એવી બેંક જોઈ છે, જેમાં રોજ બાળકો ૨ રૂપિયા ત્રણ રૂપિયા જમાં કરાવી સેવિંગ કરતા હોય ? જી હા, એક શિક્ષકે શાળામાં આવી જ એક બેંક બનાવી છે. જેમાં વિદ્યાર્થીઓ શાળામાં વાપરવા લાવેલા પૈસામાંથી થોડા થોડા પૈસા આ બેંકમાં જમા કરાવી શકે છે અને બચત કરી પૈસા ભેગા કરી શકે છે


આ બેંકનું નામ હડાદ બચત બેંક છે બનાસકાંઠાના દાંતા તાલુકાના અંતરિયાળ હડાદ ગામમાં શાળાના ઇનોવેટિવ શિક્ષકે બધાથી અલગ વિચારી અનોખી પહેલ કરી છે. શિક્ષક કેવલ ભાઇએ શાળામાં જ વિદ્યાર્થીઓ માટે બેંક બનાવી છે. શાળામાં બાળકો બહારના જંક ફૂડ અને ફૂડ પેકેટ ખાવામાં રૂપિયા ન બગાડે અને પૈસાનું બીજા કોઈ સારા કામમાં ઉપયોગ કરે તેવા હેતુથી આ બચત બેંક બનાવવામાં આવી છે. શિક્ષક કેવલ ભાઈ દ્વારા ધ્યાને આવ્યું કે વધારાના પૈસા બાળકો જંક ફૂડમાં વાપરતા હતા, આ જોઈ શિક્ષકને વિચાર આવ્યો કે આ બાળકો પણ બચત કરી શકે છે. અને તેમની જરૂરિયાતની વસ્તુઓ આ બચત કરેલા પૈસામાંથી ખરીદી કરી શકે છે. 

અત્યાર સુધી આ બેંકમાં 130થી વધુ ખાતેદારો છે. અને બેંકમાં 10,000થી વધુની રકમ પણ એકઠી થઈ છે. આ પૈસા ભેગા કરી બાળકો નોટ, પેન સાયકલ જેવી વસ્તુઓ ખરીદી શકે છે. 

જેમ આપણે બેંકમાં જઈએ તો પાસબુક, જમા પાવતી અને ઉપાડ ચિઠ્ઠી હોય તેવી જ રીતે બધું જ પ્રિન્ટ કરાવી શિક્ષક આ બચત બેંક ચલાવે છે. આ કામગીરીથી શિક્ષકને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.



મંગળવારે મોડી રાતે GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ભયંકર આગ લાગી હતી. આગની ઘટનાના 30 કલાક બાદ 6 કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ માટે પોલીસ કમિશનરે એક સૂચના બહાર પાડી છે. કમિશનરે શહેરના ઉચ્ચ સુપરવાઇઝરી અધિકારીઓને સુચના આપી છે કે મહિનામાં એકવાર ખાનગી ડ્રેસમાં આકસ્મિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ પણ આપવો.

આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે કારણ કે વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થાય છે તો તેની સીધી અસર ખેતી પર પડતી હોય છે.

ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોત મોટી ચિંતાનો વિષય બન્યા છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સૂકી કચોરીના કારણે જાણીતા જૈન વિજય ફરસાણના વેપારી સુમિત પઢીયાર (24)નું હાર્ટ એટેકથી મોત થયું છે.