આંતરિયાળ વિસ્તારની શાળાના શિક્ષકે આખી બેંક ઉભી કરી દીધી


  • Published By :
  • Published Date : 2023-10-09 16:15:49

તમે ક્યારેય એવી બેંક જોઈ છે, જેમાં રોજ બાળકો ૨ રૂપિયા ત્રણ રૂપિયા જમાં કરાવી સેવિંગ કરતા હોય ? જી હા, એક શિક્ષકે શાળામાં આવી જ એક બેંક બનાવી છે. જેમાં વિદ્યાર્થીઓ શાળામાં વાપરવા લાવેલા પૈસામાંથી થોડા થોડા પૈસા આ બેંકમાં જમા કરાવી શકે છે અને બચત કરી પૈસા ભેગા કરી શકે છે


આ બેંકનું નામ હડાદ બચત બેંક છે બનાસકાંઠાના દાંતા તાલુકાના અંતરિયાળ હડાદ ગામમાં શાળાના ઇનોવેટિવ શિક્ષકે બધાથી અલગ વિચારી અનોખી પહેલ કરી છે. શિક્ષક કેવલ ભાઇએ શાળામાં જ વિદ્યાર્થીઓ માટે બેંક બનાવી છે. શાળામાં બાળકો બહારના જંક ફૂડ અને ફૂડ પેકેટ ખાવામાં રૂપિયા ન બગાડે અને પૈસાનું બીજા કોઈ સારા કામમાં ઉપયોગ કરે તેવા હેતુથી આ બચત બેંક બનાવવામાં આવી છે. શિક્ષક કેવલ ભાઈ દ્વારા ધ્યાને આવ્યું કે વધારાના પૈસા બાળકો જંક ફૂડમાં વાપરતા હતા, આ જોઈ શિક્ષકને વિચાર આવ્યો કે આ બાળકો પણ બચત કરી શકે છે. અને તેમની જરૂરિયાતની વસ્તુઓ આ બચત કરેલા પૈસામાંથી ખરીદી કરી શકે છે. 

અત્યાર સુધી આ બેંકમાં 130થી વધુ ખાતેદારો છે. અને બેંકમાં 10,000થી વધુની રકમ પણ એકઠી થઈ છે. આ પૈસા ભેગા કરી બાળકો નોટ, પેન સાયકલ જેવી વસ્તુઓ ખરીદી શકે છે. 

જેમ આપણે બેંકમાં જઈએ તો પાસબુક, જમા પાવતી અને ઉપાડ ચિઠ્ઠી હોય તેવી જ રીતે બધું જ પ્રિન્ટ કરાવી શિક્ષક આ બચત બેંક ચલાવે છે. આ કામગીરીથી શિક્ષકને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી