આંતરિયાળ વિસ્તારની શાળાના શિક્ષકે આખી બેંક ઉભી કરી દીધી


  • Published By :
  • Published Date : 2023-10-09 16:15:49

તમે ક્યારેય એવી બેંક જોઈ છે, જેમાં રોજ બાળકો ૨ રૂપિયા ત્રણ રૂપિયા જમાં કરાવી સેવિંગ કરતા હોય ? જી હા, એક શિક્ષકે શાળામાં આવી જ એક બેંક બનાવી છે. જેમાં વિદ્યાર્થીઓ શાળામાં વાપરવા લાવેલા પૈસામાંથી થોડા થોડા પૈસા આ બેંકમાં જમા કરાવી શકે છે અને બચત કરી પૈસા ભેગા કરી શકે છે


આ બેંકનું નામ હડાદ બચત બેંક છે બનાસકાંઠાના દાંતા તાલુકાના અંતરિયાળ હડાદ ગામમાં શાળાના ઇનોવેટિવ શિક્ષકે બધાથી અલગ વિચારી અનોખી પહેલ કરી છે. શિક્ષક કેવલ ભાઇએ શાળામાં જ વિદ્યાર્થીઓ માટે બેંક બનાવી છે. શાળામાં બાળકો બહારના જંક ફૂડ અને ફૂડ પેકેટ ખાવામાં રૂપિયા ન બગાડે અને પૈસાનું બીજા કોઈ સારા કામમાં ઉપયોગ કરે તેવા હેતુથી આ બચત બેંક બનાવવામાં આવી છે. શિક્ષક કેવલ ભાઈ દ્વારા ધ્યાને આવ્યું કે વધારાના પૈસા બાળકો જંક ફૂડમાં વાપરતા હતા, આ જોઈ શિક્ષકને વિચાર આવ્યો કે આ બાળકો પણ બચત કરી શકે છે. અને તેમની જરૂરિયાતની વસ્તુઓ આ બચત કરેલા પૈસામાંથી ખરીદી કરી શકે છે. 

અત્યાર સુધી આ બેંકમાં 130થી વધુ ખાતેદારો છે. અને બેંકમાં 10,000થી વધુની રકમ પણ એકઠી થઈ છે. આ પૈસા ભેગા કરી બાળકો નોટ, પેન સાયકલ જેવી વસ્તુઓ ખરીદી શકે છે. 

જેમ આપણે બેંકમાં જઈએ તો પાસબુક, જમા પાવતી અને ઉપાડ ચિઠ્ઠી હોય તેવી જ રીતે બધું જ પ્રિન્ટ કરાવી શિક્ષક આ બચત બેંક ચલાવે છે. આ કામગીરીથી શિક્ષકને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."