આંતરિયાળ વિસ્તારની શાળાના શિક્ષકે આખી બેંક ઉભી કરી દીધી


  • Published By :
  • Published Date : 2023-10-09 16:15:49

તમે ક્યારેય એવી બેંક જોઈ છે, જેમાં રોજ બાળકો ૨ રૂપિયા ત્રણ રૂપિયા જમાં કરાવી સેવિંગ કરતા હોય ? જી હા, એક શિક્ષકે શાળામાં આવી જ એક બેંક બનાવી છે. જેમાં વિદ્યાર્થીઓ શાળામાં વાપરવા લાવેલા પૈસામાંથી થોડા થોડા પૈસા આ બેંકમાં જમા કરાવી શકે છે અને બચત કરી પૈસા ભેગા કરી શકે છે


આ બેંકનું નામ હડાદ બચત બેંક છે બનાસકાંઠાના દાંતા તાલુકાના અંતરિયાળ હડાદ ગામમાં શાળાના ઇનોવેટિવ શિક્ષકે બધાથી અલગ વિચારી અનોખી પહેલ કરી છે. શિક્ષક કેવલ ભાઇએ શાળામાં જ વિદ્યાર્થીઓ માટે બેંક બનાવી છે. શાળામાં બાળકો બહારના જંક ફૂડ અને ફૂડ પેકેટ ખાવામાં રૂપિયા ન બગાડે અને પૈસાનું બીજા કોઈ સારા કામમાં ઉપયોગ કરે તેવા હેતુથી આ બચત બેંક બનાવવામાં આવી છે. શિક્ષક કેવલ ભાઈ દ્વારા ધ્યાને આવ્યું કે વધારાના પૈસા બાળકો જંક ફૂડમાં વાપરતા હતા, આ જોઈ શિક્ષકને વિચાર આવ્યો કે આ બાળકો પણ બચત કરી શકે છે. અને તેમની જરૂરિયાતની વસ્તુઓ આ બચત કરેલા પૈસામાંથી ખરીદી કરી શકે છે. 

અત્યાર સુધી આ બેંકમાં 130થી વધુ ખાતેદારો છે. અને બેંકમાં 10,000થી વધુની રકમ પણ એકઠી થઈ છે. આ પૈસા ભેગા કરી બાળકો નોટ, પેન સાયકલ જેવી વસ્તુઓ ખરીદી શકે છે. 

જેમ આપણે બેંકમાં જઈએ તો પાસબુક, જમા પાવતી અને ઉપાડ ચિઠ્ઠી હોય તેવી જ રીતે બધું જ પ્રિન્ટ કરાવી શિક્ષક આ બચત બેંક ચલાવે છે. આ કામગીરીથી શિક્ષકને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.