માલધારી Vs AMC વચ્ચેની લડાઈમાં ગયો એક વૃદ્ધનો જીવ, જાણો ક્યાં અને કેવી રીતે સર્જાઈ ઘટના? માલધારીઓ રોષે ભરાયા!


  • Published By :
  • Published Date : 2023-09-23 11:42:52

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકોના જીવ રખડતા ઢોરને કારણે ગયા છે. અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. દરરોજ અનેક લોકો આનો ભોગ બની રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મામલે આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ રખડતા ઢોરને પકડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મૂકીને પછી ઘરે ઘરે જઈને ઢોર પકડી લાવ્યા! ગઈકાલે એક ઘટના બની જેમાં સીએનસીડી વિભાગની ટીમ ઢોર પકડવા ગઈ હતી. આ દરમિયાન એક વૃદ્ધને હાર્ટ એટેક આવી ગયો.


AMCની ટીમ જ્યારે ઘરે બાંધેલા પશુને પકડવા આવી ત્યારે બની આ ઘટના!

ગઈકાલે સવારે શહેરના જુના વાડજ વિસ્તારમાં ઝવેરી પાર્ક નજીક આવેલી માલધારી સોસાયટીમાં સીએનસીડી વિભાગની ટીમ ઢોર પકડવા ગઈ હતી. આ દરમિયાન એક વૃદ્ધાને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. જોકે, સ્થાનિક માલધારીઓ અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘરમાં બાંધેલા ઢોર પકડવા આવી હતી. તે દરમિયાન વૃદ્ધ વચ્ચે પડ્યા હતા અને તેમને ધક્કો વાગતા તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેઓને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યું થયું આ ઘટના બાદ મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉસ્માનપુરા ખાતે આવેલી પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે ભેગા થઈ અને વિરોધ નોંધાવ્યો હતો. 


જવાબદાર અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ

200થી વધુ લોકોનું ટોળું ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે બેસી અને વિરોધ નોંધાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. એક તરફ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારોમાંથી માલધારી સમાજના લોકો ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની ઓફિસ પહોંચી ગયા હતા . રબારી સમાજના આગેવાનોની માગ છે કે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની ઓફિસથી હટીશું નહીં. મૃતકને ન્યાય મળવો જોઇએ. ઢોર પકડવા આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે.



એક વૃદ્ધનું હાર્ટ એટેકને કારણે થયું મોત 


જ્યારે ઢોર પકડવા આવેલા લોકોની વાત કઈક અલગ હતી તેમને કહ્યું વાડજ વિસ્તારમાં રસ્તા, ફૂટપાથ, અવરજવરની કોમન જગ્યામાં ખિલા, ખુટા, દોરડા બાંધેલા પશુઓ રાખી ટ્રાફિક અને નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થતા કામગીરી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં એક વૃદ્ધનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે જેને પશુ પકડવાની કામગીરી સાથે કોઈ લેવા દેવા નથી.


અનેક લોકોના જીવ મૂકાય છે રખડતા ઢોરને કારણે મુશ્કેલીમાં 

મહત્વનું છે કે ઢોર પકડવાની કામગીરી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી માલધારી સમાજમાં એક પ્રકારની રોષની લાગણી વ્યાપી ઉઠી છે. રખડતા પશુઓને ન પકડવામાં આવે તેવી માગ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં પશુઓને દયનિય હાલતમાં રાખવામાં આવ્યા છે. જે જગ્યા પર રખડતા પશુઓને રાખવામાં આવ્યા હતા તે જગ્યા પર ઉભા રહેવાની જગ્યા પશુઓ માટે ન હતી. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.