આણંદ કલેક્ટરના સસ્પેન્શનનો વિવાદ ઘેરાયો, શું ડી એસ ગઢવીએ નિવાસી અધિક કલેક્ટર સાથેના ખટરાગના કારણે ખુરશી ગુમાવી? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-11 15:33:37

આણંદના કલેક્ટર ડી એસ ગઢવીને તાત્કાલીક સસ્પેન્ડ કરાયા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ડી એસ ગઢવીને જે રીતે બરખાસ્ત કરવામાં આવ્યા તેના કારણે આણંદ કલેક્ટર ઓફિસ અને ગાંધીનગરના ઉચ્ચ સરકારી વર્તુળોમાં એક જ સવાલ થઈ રહ્યો છે કે આટલા ઉચ્ચ સરકારી અમલદારની ઓફિસમાં સ્પાય કેમેરો લગાવ્યો કોણે? આ કૃત્ય પાછળ કોનો હાથ હોઈ શકે તેને લઈ અટકળોનું બજાર ગરમ છે. આણંદના કલેક્ટર ડી એસ ગઢવી તેમની ચેમ્બરમાં એક મહિલા સાથે કઢંગી હાલતમાં કેમેરામાં કેદ થયા બાદ રાજ્ય સરકારે નીતિ ભ્રષ્ટતાના અને શિસ્ત ભંગને લઈને સસ્પેન્ડ કર્યા ત્યારથી વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો.


કલેકટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો કોણે ફીટ કર્યો?


આણંદ કલેક્ટરની ઓફિસમાં સ્પાય કેમ લગાવી તે કેમેરાથી આ દ્રશ્યો શૂટ થયા હતા જેમાં કલેક્ટર મહિલા સાથે કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા. આ વર્ષના જાન્યુઆરી મહિનામાં આ વીડિયો લેવામાં આવ્યો હતો, જ્યારે હાલ ગુજરાત ભરમાં વાયરલ થયો છે. હવે આ વીડિયોને લઈને બીજા સવાલો ઊભા થઈ રહ્યા છે અને તે સવાલો સાથે કેટલીક ચર્ચાઓ પણ સામે આવી રહી છે. હાલમાં સવાલ એ છે કે કેમેરો કલેક્ટરની કચેરી સુધી ઈન્સ્ટોલ કેવી રીતે થઈ ગયો રાજ્યના ઉચ્ચ આઈએઅસ અધિકારીઓમાં એક સવાલ આંતરિક વર્તુળોમાં પુછાઈ રહ્યો છે કે  થઈ આણંદ કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો કોણે ફીટ કર્યો છે. આઈએએસ અધિકારના ચેમ્બરમાં કેમેરો લગાવવો પણ ક્રિમિનલ કેસ બને છે. આ વીડિયો સામે આવતા જ કલેક્ટર કચેરીના અત્યંત નજીક રહેલા વ્યક્તિઓ પર પણ શંકાની સોય ફરી રહી છે. ચેમ્બરમાં સ્પાય કેમ લાગી જાય છે અને તેની પાછળ કોઈ સાથી અધિકારીનો હાથ હોવાનું પણ સંભળાય છે. હવે એક સવાલ ઉઠ્યો છે કે આણંદની ઘટનામાં કડક પગલાં નહીં લેવાય તો પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ચેમ્બરમાં કેવી રીતે કરી શકશે કામ?


આંતરિક રાજકારણ અને બિલ્ડર લોબીની મિલિભગત?


આણંદના કલેક્ટર ડી એસ ગઢવીને હટાવવા માટે અગાઉથી જ કારસો ઘડવામાં આવ્યો હોવાનું સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જેમાં જમીનના મુદ્દે કલેક્ટર ડી એસ ગઢવી અને બિલ્ડર લોબીની નજરમાં આવી ગયા હતા. એક સ્થાનિક નેતાની પણ સંડોવણી આ પ્રકરણમાં બહાર આવી છે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા એક અધિક નિવાસી કલેક્ટર સાથે કામોને લઈને તેમને સતત વિવાદ રહે તો હતો. આમ કલેક્ટર ડી એસ ગઢવી કોઈ સ્થાનિક રાજકારણનો ભોગ બનતા આ વીડિયો સ્ટિંગનું બન્યું હોવાનું જાણકારો માની રહ્યા છે.


શું હતો સમગ્ર મામલો?


આણંદ જિલ્લા કલેક્ટર મહિલા સાથે ગેરવર્ણૂંક કરતા કેમરામાં કેદ થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના 2008 બેચના આઇએએસ અધિકારી ડી.એસ. ગઢવીનો મહિલા સાથે વાંધાજનક વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી છે. કથિત વીડિયોમાં કલેક્ટર મહિલા સાથે ગેરવર્તણૂક કરતા દેખાય છે. આ વીડિયો છ મહિના પહેલાનો છે જેમા કલેક્ટર પોતાની જ કચેરીની મહિલાા સાથે હરકતો કરતા દેખાય છે.આ મામલે તપાસ કરવા માટે રાજ્ય સકાર દ્વારા ત્રણ મહિલા આઇએએસ અને બે સચિવ કક્ષાના અધિકારીની સમિતિ બનાવી છે. કલેક્ટરની ઓફિસમાં સ્પાય કેમેરા રાખીને વીડિયો શૂટ કરવામાં આવ્યો હોવાની આશંકા છે.


તપાસ કમિટીની રચના


રાજ્ય સકાર દ્વારા ત્રણ મહિલા આઇએએસ અને બે સચિવ કક્ષાના અધિકારીની સમિતિ બનાવી છે. આ તપાસ સમિતિમાં અધિક મુખ્ય સચિવ સુનયના તૌમર, અગ્ર સચિવ મમતા વર્મા, સચિવ મનિષા ચંદ્રા તથા સચિવાલયના અધિકારી દેવી પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બનાવમાં તપાસ અહેવાલ તૈયાર કરીને સામાન્ય વહિવટ વિભાગને સોપવામાં આવશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.