આણંદ કલેક્ટરના સસ્પેન્શનનો વિવાદ ઘેરાયો, શું ડી એસ ગઢવીએ નિવાસી અધિક કલેક્ટર સાથેના ખટરાગના કારણે ખુરશી ગુમાવી? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-11 15:33:37

આણંદના કલેક્ટર ડી એસ ગઢવીને તાત્કાલીક સસ્પેન્ડ કરાયા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ડી એસ ગઢવીને જે રીતે બરખાસ્ત કરવામાં આવ્યા તેના કારણે આણંદ કલેક્ટર ઓફિસ અને ગાંધીનગરના ઉચ્ચ સરકારી વર્તુળોમાં એક જ સવાલ થઈ રહ્યો છે કે આટલા ઉચ્ચ સરકારી અમલદારની ઓફિસમાં સ્પાય કેમેરો લગાવ્યો કોણે? આ કૃત્ય પાછળ કોનો હાથ હોઈ શકે તેને લઈ અટકળોનું બજાર ગરમ છે. આણંદના કલેક્ટર ડી એસ ગઢવી તેમની ચેમ્બરમાં એક મહિલા સાથે કઢંગી હાલતમાં કેમેરામાં કેદ થયા બાદ રાજ્ય સરકારે નીતિ ભ્રષ્ટતાના અને શિસ્ત ભંગને લઈને સસ્પેન્ડ કર્યા ત્યારથી વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો.


કલેકટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો કોણે ફીટ કર્યો?


આણંદ કલેક્ટરની ઓફિસમાં સ્પાય કેમ લગાવી તે કેમેરાથી આ દ્રશ્યો શૂટ થયા હતા જેમાં કલેક્ટર મહિલા સાથે કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા. આ વર્ષના જાન્યુઆરી મહિનામાં આ વીડિયો લેવામાં આવ્યો હતો, જ્યારે હાલ ગુજરાત ભરમાં વાયરલ થયો છે. હવે આ વીડિયોને લઈને બીજા સવાલો ઊભા થઈ રહ્યા છે અને તે સવાલો સાથે કેટલીક ચર્ચાઓ પણ સામે આવી રહી છે. હાલમાં સવાલ એ છે કે કેમેરો કલેક્ટરની કચેરી સુધી ઈન્સ્ટોલ કેવી રીતે થઈ ગયો રાજ્યના ઉચ્ચ આઈએઅસ અધિકારીઓમાં એક સવાલ આંતરિક વર્તુળોમાં પુછાઈ રહ્યો છે કે  થઈ આણંદ કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો કોણે ફીટ કર્યો છે. આઈએએસ અધિકારના ચેમ્બરમાં કેમેરો લગાવવો પણ ક્રિમિનલ કેસ બને છે. આ વીડિયો સામે આવતા જ કલેક્ટર કચેરીના અત્યંત નજીક રહેલા વ્યક્તિઓ પર પણ શંકાની સોય ફરી રહી છે. ચેમ્બરમાં સ્પાય કેમ લાગી જાય છે અને તેની પાછળ કોઈ સાથી અધિકારીનો હાથ હોવાનું પણ સંભળાય છે. હવે એક સવાલ ઉઠ્યો છે કે આણંદની ઘટનામાં કડક પગલાં નહીં લેવાય તો પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ચેમ્બરમાં કેવી રીતે કરી શકશે કામ?


આંતરિક રાજકારણ અને બિલ્ડર લોબીની મિલિભગત?


આણંદના કલેક્ટર ડી એસ ગઢવીને હટાવવા માટે અગાઉથી જ કારસો ઘડવામાં આવ્યો હોવાનું સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જેમાં જમીનના મુદ્દે કલેક્ટર ડી એસ ગઢવી અને બિલ્ડર લોબીની નજરમાં આવી ગયા હતા. એક સ્થાનિક નેતાની પણ સંડોવણી આ પ્રકરણમાં બહાર આવી છે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા એક અધિક નિવાસી કલેક્ટર સાથે કામોને લઈને તેમને સતત વિવાદ રહે તો હતો. આમ કલેક્ટર ડી એસ ગઢવી કોઈ સ્થાનિક રાજકારણનો ભોગ બનતા આ વીડિયો સ્ટિંગનું બન્યું હોવાનું જાણકારો માની રહ્યા છે.


શું હતો સમગ્ર મામલો?


આણંદ જિલ્લા કલેક્ટર મહિલા સાથે ગેરવર્ણૂંક કરતા કેમરામાં કેદ થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના 2008 બેચના આઇએએસ અધિકારી ડી.એસ. ગઢવીનો મહિલા સાથે વાંધાજનક વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી છે. કથિત વીડિયોમાં કલેક્ટર મહિલા સાથે ગેરવર્તણૂક કરતા દેખાય છે. આ વીડિયો છ મહિના પહેલાનો છે જેમા કલેક્ટર પોતાની જ કચેરીની મહિલાા સાથે હરકતો કરતા દેખાય છે.આ મામલે તપાસ કરવા માટે રાજ્ય સકાર દ્વારા ત્રણ મહિલા આઇએએસ અને બે સચિવ કક્ષાના અધિકારીની સમિતિ બનાવી છે. કલેક્ટરની ઓફિસમાં સ્પાય કેમેરા રાખીને વીડિયો શૂટ કરવામાં આવ્યો હોવાની આશંકા છે.


તપાસ કમિટીની રચના


રાજ્ય સકાર દ્વારા ત્રણ મહિલા આઇએએસ અને બે સચિવ કક્ષાના અધિકારીની સમિતિ બનાવી છે. આ તપાસ સમિતિમાં અધિક મુખ્ય સચિવ સુનયના તૌમર, અગ્ર સચિવ મમતા વર્મા, સચિવ મનિષા ચંદ્રા તથા સચિવાલયના અધિકારી દેવી પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બનાવમાં તપાસ અહેવાલ તૈયાર કરીને સામાન્ય વહિવટ વિભાગને સોપવામાં આવશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી