Anand : નશાની હાલતમાં એસટી બસના ડ્રાઈવરે ચલાવી બસ, વાહનચાલકને લીધો અડફેટે.. જુઓ નશામાં ધૂત બસ ડ્રાઈવરનો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-12 14:43:23

દારૂ દારૂ દારૂ ક્યારેક કોઈ શિક્ષક દારૂ પીને શાળાએ આવે ક્યારેક કોઈ અધિકારી ઓફિસમાં દારૂ પીધેલી હાલતમાં મળે તો ક્યારેક st સલામત સવારી હમારીની જે વાતો કરે છે એના ડ્રાઈવર જ દારૂ પીધેલી હાલતમાં મળે છે. ન માત્ર નશાની હાલતમાં ડ્રાઈવર દેખાય છે પરંતુ એસટી બસ પણ ચલાવે છે અને અનેક લોકોના જીવને જોખમમાં પણ મૂકે છે. આવી જ ઘટના આણંદથી સામે આવી છે જેમાં નશાની હાલતમાં એસટી બસનો ડ્રાઈવર દેખાયો હતો. પીધેલી હાલતમાં પહેલા બસ ચલાવી અને અને તે ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. 

નશાની હાલતમાં એસટી ડ્રાઈવરે ચલાવી બસ  

ગુજરાતમાં દારૂબંધી છે તે કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક એવા વીડિયો સામે આવે છે જેમાં આ કાયદાના લીરેલીરા ઉડતા દેખાય છે. ત્યારે વધુ એક વીડિયો આણંદથી સામે આવ્યો છે જેમાં એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં દેખાયો હતો. એસટી બસના ડ્રાઈવર ગઈકાલે દારૂ પીધેલી હાલતમાં દેખાયા હતા. એસટી બસ ચલાવી અને અકસ્માત કરતાં ઝડપાયા હતા. આણંદમાં સામરખા ચોકડી નજીક પુરપાટ ઝડપે એસટી ચલાવી અને મોપેડને ટક્કર મારી હતી. અકસ્માતમાં મોપેડ ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી છે. 

Drunk driver of ST bus caused an accident in Anand Anand: આણંદમાં નશાની હાલતમાં ST બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો

મોપેડ ચાલકને પહોંચી માથાના ભાગે ઈજા!

આણંદ તાલુકાના હાડગુડ ગામમાં આવેલ અજમતપુરાવાડીમાં રહેતાં 52 વર્ષીય આયતઅલી યાકુબઅલી સૈયદ ગઈકાલે મોપેડ લઈને નિકળ્યા અને પુરઝડપે એસટી બસ આવી અને એમને ટક્કર મારી અકસ્માત સર્જ્યો. અકસ્માતમાં મોપેડ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલા આયતઅલીને માથાના ભાગે ઈજા પહોંચી ત્યાર બાદ ત્યાંના લોકોએ આ ડ્રાઈવરને સવાલ પૂછ્યા તો ભાઈતો ફૂલ ટલ્લી હતા અને પછી જે થયું એ તો આપણે જાણીએ છીએ. આ બધા ક્યારે સુધરશે અને આ લોકો સામે સરકાર એક્શન લેશે કે ખાલી દારૂબંધીની માત્ર પોકળ  વાતો કરતાં રહશે એ મોટો પ્રશ્ન છે? 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.