Anand : નશાની હાલતમાં એસટી બસના ડ્રાઈવરે ચલાવી બસ, વાહનચાલકને લીધો અડફેટે.. જુઓ નશામાં ધૂત બસ ડ્રાઈવરનો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-12 14:43:23

દારૂ દારૂ દારૂ ક્યારેક કોઈ શિક્ષક દારૂ પીને શાળાએ આવે ક્યારેક કોઈ અધિકારી ઓફિસમાં દારૂ પીધેલી હાલતમાં મળે તો ક્યારેક st સલામત સવારી હમારીની જે વાતો કરે છે એના ડ્રાઈવર જ દારૂ પીધેલી હાલતમાં મળે છે. ન માત્ર નશાની હાલતમાં ડ્રાઈવર દેખાય છે પરંતુ એસટી બસ પણ ચલાવે છે અને અનેક લોકોના જીવને જોખમમાં પણ મૂકે છે. આવી જ ઘટના આણંદથી સામે આવી છે જેમાં નશાની હાલતમાં એસટી બસનો ડ્રાઈવર દેખાયો હતો. પીધેલી હાલતમાં પહેલા બસ ચલાવી અને અને તે ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. 

નશાની હાલતમાં એસટી ડ્રાઈવરે ચલાવી બસ  

ગુજરાતમાં દારૂબંધી છે તે કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક એવા વીડિયો સામે આવે છે જેમાં આ કાયદાના લીરેલીરા ઉડતા દેખાય છે. ત્યારે વધુ એક વીડિયો આણંદથી સામે આવ્યો છે જેમાં એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં દેખાયો હતો. એસટી બસના ડ્રાઈવર ગઈકાલે દારૂ પીધેલી હાલતમાં દેખાયા હતા. એસટી બસ ચલાવી અને અકસ્માત કરતાં ઝડપાયા હતા. આણંદમાં સામરખા ચોકડી નજીક પુરપાટ ઝડપે એસટી ચલાવી અને મોપેડને ટક્કર મારી હતી. અકસ્માતમાં મોપેડ ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી છે. 

Drunk driver of ST bus caused an accident in Anand Anand: આણંદમાં નશાની હાલતમાં ST બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો

મોપેડ ચાલકને પહોંચી માથાના ભાગે ઈજા!

આણંદ તાલુકાના હાડગુડ ગામમાં આવેલ અજમતપુરાવાડીમાં રહેતાં 52 વર્ષીય આયતઅલી યાકુબઅલી સૈયદ ગઈકાલે મોપેડ લઈને નિકળ્યા અને પુરઝડપે એસટી બસ આવી અને એમને ટક્કર મારી અકસ્માત સર્જ્યો. અકસ્માતમાં મોપેડ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલા આયતઅલીને માથાના ભાગે ઈજા પહોંચી ત્યાર બાદ ત્યાંના લોકોએ આ ડ્રાઈવરને સવાલ પૂછ્યા તો ભાઈતો ફૂલ ટલ્લી હતા અને પછી જે થયું એ તો આપણે જાણીએ છીએ. આ બધા ક્યારે સુધરશે અને આ લોકો સામે સરકાર એક્શન લેશે કે ખાલી દારૂબંધીની માત્ર પોકળ  વાતો કરતાં રહશે એ મોટો પ્રશ્ન છે? 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.