આણંદ હનીટ્રેપ કાંડ: એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જે.ડી.પટેલ સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-08-23 22:42:45

આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા ગોઠવી તેમનો વીડિયો સ્પાય કેમેરાની મદદથી ઉતારીને વાયરલ કરવાની ઘટનામાં તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ સસ્પેન્ડ આવ્યા છે, તો તેમની સાથે નાયબ મામલતદાર જે.ડી.પટેલ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આણંદ ક્લેકટરનો અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ કરવાના કેસમાં કેતકી વ્યાસ બે દિવસથી પોલીસ કસ્ટડીમાં હતા. જેના કારણે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે તેમને સસ્પેન્ડ કર્યા છે. કેતકી વ્યાસ, તત્કાલીન ચિટનીસ જયેશ પટેલ સહિત ત્રણે જમીનની ફાઈલ પાસ કરાવવા કલેક્ટરને બ્લેકમેલ કર્યા હતા, અને સ્પાય કેમેરા લગાવ્યા હતા, તેમજ મહિલાને પણ કલેક્ટર પાસે મોકલી હતી. 


આ ત્રણેય અધિકારી સસ્પેન્ડ


તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અન્ય કર્મચારી હરેશ ચાવડા સહિત ત્રણેય આરોપીઓ હાલ જ્યુડિશીલ કસ્ટડીમાં છે. પોલીસ પૂછપરછમાં આ ત્રણેય આરોપીઓએ સાથે મળીને કલેક્ટર ડી.એસ. ગઢવીને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. જમીનને લગતી 4 ફાઇલ ક્લિયર કરાવવા માટે તમામે કારસો રચ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ગુજરાત ATS ફરિયાદી બન્યું અને સમગ્ર ઘટના મુદ્દે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.


પુરાવાનો નાશ કર્યો હતો


તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અન્ય કર્મચારી હરેશ ચાવડા સહિત ત્રણેય  દ્વારા સ્પાય કેમેરા તથા પેનડ્રાઇવ ઝાયડસ હોસ્પીટલની સામે આવેલ નિશા ગેરેજમાં સળગાવવામાં આવી હતી. પોલીસે તે જગ્યાએથી એફ.એસ.એલ.ની હાજરીમાં અવશેષો શોધી કાઢ્યા હતા. આરોપીઓએ ગુનામાં ઉપયોગમાં લીધેલ બે હાર્ડ ડીસ્ક ગેરેજમાં તોડી સંદેસર નહેરમાં નાખી દીધેલ હતી. જે ફાયર બિગ્રેડની મદદથી સંદેસર નહેરમાંથી તુટેલી હાલતમાં કબ્જે કરી હતી.


શું છે સમગ્ર મામલો?


આણંદનાં કલેકટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા ગોઠવી એક યુવતીને કલેકટરની ચેમ્બર્સમાં મોકલી યુવતી સાથેની અશ્લીલ વિડીયો બનાવી કલેકટરને વિવાદી જમીનોની ફાઈલો કલીયર કરાવવા માટે બ્લેકમેલીંગ કરી તેમજ વિડીયો વાયરલ કરવાની ઘટનામાં એટીએસ પોલીસે સમગ્ર કાંડનો પર્દાફાસ કરી તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, તત્કાલીન નાયબ મામલતદર જયેસ પટેલ તેમજ વકીલ હરીસ ચાવડાની વિરૂદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. જે બનાવમાં પોલીસે બે દિવસનાં રીમાન્ડ મેળવી રિમાન્ડ દરમિયાન પુરાવાઓ અને મહત્વની વિગતો મેળવી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.