આણંદ હનીટ્રેપ કાંડ: એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જે.ડી.પટેલ સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-08-23 22:42:45

આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા ગોઠવી તેમનો વીડિયો સ્પાય કેમેરાની મદદથી ઉતારીને વાયરલ કરવાની ઘટનામાં તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ સસ્પેન્ડ આવ્યા છે, તો તેમની સાથે નાયબ મામલતદાર જે.ડી.પટેલ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આણંદ ક્લેકટરનો અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ કરવાના કેસમાં કેતકી વ્યાસ બે દિવસથી પોલીસ કસ્ટડીમાં હતા. જેના કારણે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે તેમને સસ્પેન્ડ કર્યા છે. કેતકી વ્યાસ, તત્કાલીન ચિટનીસ જયેશ પટેલ સહિત ત્રણે જમીનની ફાઈલ પાસ કરાવવા કલેક્ટરને બ્લેકમેલ કર્યા હતા, અને સ્પાય કેમેરા લગાવ્યા હતા, તેમજ મહિલાને પણ કલેક્ટર પાસે મોકલી હતી. 


આ ત્રણેય અધિકારી સસ્પેન્ડ


તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અન્ય કર્મચારી હરેશ ચાવડા સહિત ત્રણેય આરોપીઓ હાલ જ્યુડિશીલ કસ્ટડીમાં છે. પોલીસ પૂછપરછમાં આ ત્રણેય આરોપીઓએ સાથે મળીને કલેક્ટર ડી.એસ. ગઢવીને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. જમીનને લગતી 4 ફાઇલ ક્લિયર કરાવવા માટે તમામે કારસો રચ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ગુજરાત ATS ફરિયાદી બન્યું અને સમગ્ર ઘટના મુદ્દે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.


પુરાવાનો નાશ કર્યો હતો


તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અન્ય કર્મચારી હરેશ ચાવડા સહિત ત્રણેય  દ્વારા સ્પાય કેમેરા તથા પેનડ્રાઇવ ઝાયડસ હોસ્પીટલની સામે આવેલ નિશા ગેરેજમાં સળગાવવામાં આવી હતી. પોલીસે તે જગ્યાએથી એફ.એસ.એલ.ની હાજરીમાં અવશેષો શોધી કાઢ્યા હતા. આરોપીઓએ ગુનામાં ઉપયોગમાં લીધેલ બે હાર્ડ ડીસ્ક ગેરેજમાં તોડી સંદેસર નહેરમાં નાખી દીધેલ હતી. જે ફાયર બિગ્રેડની મદદથી સંદેસર નહેરમાંથી તુટેલી હાલતમાં કબ્જે કરી હતી.


શું છે સમગ્ર મામલો?


આણંદનાં કલેકટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા ગોઠવી એક યુવતીને કલેકટરની ચેમ્બર્સમાં મોકલી યુવતી સાથેની અશ્લીલ વિડીયો બનાવી કલેકટરને વિવાદી જમીનોની ફાઈલો કલીયર કરાવવા માટે બ્લેકમેલીંગ કરી તેમજ વિડીયો વાયરલ કરવાની ઘટનામાં એટીએસ પોલીસે સમગ્ર કાંડનો પર્દાફાસ કરી તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, તત્કાલીન નાયબ મામલતદર જયેસ પટેલ તેમજ વકીલ હરીસ ચાવડાની વિરૂદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. જે બનાવમાં પોલીસે બે દિવસનાં રીમાન્ડ મેળવી રિમાન્ડ દરમિયાન પુરાવાઓ અને મહત્વની વિગતો મેળવી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.