India-Canadaના તણાવપૂર્ણ સંબંધ વચ્ચે આનંદ મહિન્દ્રાએ લીધો આ નિર્ણય, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-22 14:30:44

ભારત અને કેનેડાના સંબંધો દિવસેને દિવસે તણાવપૂર્ણ થઈ રહ્યા છે. કેનેડાના વડાપ્રધાનના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં ગરમાવો આવી ગયો છે. ભારત દ્વારા કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દેવાયું છે. આ તણાવની અસર બિઝનેસ પર પણ દેખાઈ રહી છે. આનંદ મહિન્દ્રાએ આ તણાવની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. આનંદ મહિન્દ્રાની કંપની મહિન્દ્રાએ કેનેડામાં તેમની કામગીરીને બંધ કરવાની જાહેરાત કરી છે. આનંદ મહિન્દ્રાએ કેનેડા સ્થિત કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશન સાથેની ભાગીદારી સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. રેસન એરોસ્પેસ કોર્પોરેશનમાં મહિન્દ્રા કંપનીની 11.18 ટકા ભાગીદારી હતી. 


મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આપ્યો મોટો ઝટકો 

ભારતની સંસ્થા એનઆઈએ દ્વારા આતંકવાદીઓની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી. ત્યારે થોડા સમય પહેલા હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. તે હત્યાને લઈ કેનેડાના વડાપ્રધાને ભારત પર હત્યામાં સંડોવણી હોવાની વાત કરી હતી. ભારત પર આક્ષેપ કર્યા હતા. આ નિવેદન બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં ગરમાવો આવી ગયો હતો. દુતાવાસોમાં આને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે આનંદ મહિન્દ્રાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આનંદ મહિન્દ્રાએ કેનેડાને મોટો ઝટકો આપ્યો છે. આનંદ મહિન્દ્રાએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડામાં તેની કામગીરી બંધ કરવાની જાહેરાત કરી છે. 


કેનેડામાં કામગીરીને બંધ કરવાનો કર્યો નિર્ણય

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ શેરમાર્કેટને આપેલી જાણકારી મુજબ રેસનને કોર્પોરેશન કેનેડા તરફથી 20 સપ્ટેમ્બર 2023ના રોજ કામકાજ બંધ કરવા માટેના આવશ્ક દસ્તાવેજ મળલી ગયા છે. જેની સૂચના કંપનીને આપી દેવામાં આવી છે. જે બાદ કંપનીએ પોતાનું કામકાજ બંધ કરી દીધું છે. મહત્વનું છે કે મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપની આ નિર્ણયને કારણે કેનેડાને મોટો ફટકો પડ્યો છે. 



મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે.. બનાસકાંઠામાં તેમણે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે.

જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...