India-Canadaના તણાવપૂર્ણ સંબંધ વચ્ચે આનંદ મહિન્દ્રાએ લીધો આ નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-22 14:30:44

ભારત અને કેનેડાના સંબંધો દિવસેને દિવસે તણાવપૂર્ણ થઈ રહ્યા છે. કેનેડાના વડાપ્રધાનના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં ગરમાવો આવી ગયો છે. ભારત દ્વારા કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દેવાયું છે. આ તણાવની અસર બિઝનેસ પર પણ દેખાઈ રહી છે. આનંદ મહિન્દ્રાએ આ તણાવની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. આનંદ મહિન્દ્રાની કંપની મહિન્દ્રાએ કેનેડામાં તેમની કામગીરીને બંધ કરવાની જાહેરાત કરી છે. આનંદ મહિન્દ્રાએ કેનેડા સ્થિત કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશન સાથેની ભાગીદારી સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. રેસન એરોસ્પેસ કોર્પોરેશનમાં મહિન્દ્રા કંપનીની 11.18 ટકા ભાગીદારી હતી. 


મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આપ્યો મોટો ઝટકો 

ભારતની સંસ્થા એનઆઈએ દ્વારા આતંકવાદીઓની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી. ત્યારે થોડા સમય પહેલા હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. તે હત્યાને લઈ કેનેડાના વડાપ્રધાને ભારત પર હત્યામાં સંડોવણી હોવાની વાત કરી હતી. ભારત પર આક્ષેપ કર્યા હતા. આ નિવેદન બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં ગરમાવો આવી ગયો હતો. દુતાવાસોમાં આને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે આનંદ મહિન્દ્રાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આનંદ મહિન્દ્રાએ કેનેડાને મોટો ઝટકો આપ્યો છે. આનંદ મહિન્દ્રાએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડામાં તેની કામગીરી બંધ કરવાની જાહેરાત કરી છે. 


કેનેડામાં કામગીરીને બંધ કરવાનો કર્યો નિર્ણય

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ શેરમાર્કેટને આપેલી જાણકારી મુજબ રેસનને કોર્પોરેશન કેનેડા તરફથી 20 સપ્ટેમ્બર 2023ના રોજ કામકાજ બંધ કરવા માટેના આવશ્ક દસ્તાવેજ મળલી ગયા છે. જેની સૂચના કંપનીને આપી દેવામાં આવી છે. જે બાદ કંપનીએ પોતાનું કામકાજ બંધ કરી દીધું છે. મહત્વનું છે કે મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપની આ નિર્ણયને કારણે કેનેડાને મોટો ફટકો પડ્યો છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .