Jamnagarમાં Anant Ambani અને Radhikaનું થયું સ્વાગત, ઢોલ નગાડા તેમજ પથરાઈ ફૂલની પાંખડીઓ, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2024-07-17 10:17:32

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થોડા દિવસ પહેલા પૂર્ણ થયા છે.. લગ્ન દરમિયાન અનેક ફંક્શન રાખવામાં આવ્યા હતા જેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ  થઈ રહ્યા છે.. દેશ વિદેશની મોટી હસ્તીઓ અનંત અને રાધિકાના લગ્નમાં આવી હતી.. લગ્નમાં  અંબાણી પરિવારની જાહોજલાલી જાણે ખુલ્લીને સામે આવતી હોય તેવું લાગ્યું.. અંબાણી પરિવારના સદસ્યોના કપડાથી લઈ તેમના ડાન્સ પરફોર્મન્સ બધુ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.. કાશીની થીમ રાખવામાં આવી હતી તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું. નીતા અંબાણીનો વીડિયો થીમને લઈ સામે આવ્યો હતો.

News18 Gujarati

News18 Gujarati

જામનગર પહોંચ્યા નવ દંપત્તિ

પ્રિ વેડિંગના ફંક્શન અલગ અલગ જગ્યાઓ પર રાખવામાં આવ્યા હતા. જામનગરમાં પણ મોટા પાયે પ્રિ વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. અનેક વીડિયો ત્યારે પણ સામે આવ્યા હતા. અંબાણી પરિવારના સભ્યોએ પોતે જમવાનું પિરસ્યું હતું.. તે વખતે રાધિકાનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં તેણે બાળક માટે કહ્યું હતું કૃષ્ણ જેવો લાગે છે... અનંત અને રાધિકાના લગ્ન મુંબઈમાં થયા પરંતુ બંને જણા જામનગર આવ્યા છે.

News18 Gujarati


News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

અનંત અને રાધિકાનું કરાયું ભવ્ય સ્વાગત 

જામનગર આવેલા અનંત અને રાધિકાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.. ગુલાબની ફૂલોની પાંખડીઓથી નવ યુગલનું સ્વાગત કરવામાં આવ્યું હતું..ગાડીને પણ સુશોભિત કરવામાં આવી હતી. ઢોલ નગાડા સાથે અનંત અને રાધિકાનું જામનગર વાસીઓએ સ્વાગત કર્યું હતું..     



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .