Jamnagarમાં Anant Ambani અને Radhikaનું થયું સ્વાગત, ઢોલ નગાડા તેમજ પથરાઈ ફૂલની પાંખડીઓ, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2024-07-17 10:17:32

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થોડા દિવસ પહેલા પૂર્ણ થયા છે.. લગ્ન દરમિયાન અનેક ફંક્શન રાખવામાં આવ્યા હતા જેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ  થઈ રહ્યા છે.. દેશ વિદેશની મોટી હસ્તીઓ અનંત અને રાધિકાના લગ્નમાં આવી હતી.. લગ્નમાં  અંબાણી પરિવારની જાહોજલાલી જાણે ખુલ્લીને સામે આવતી હોય તેવું લાગ્યું.. અંબાણી પરિવારના સદસ્યોના કપડાથી લઈ તેમના ડાન્સ પરફોર્મન્સ બધુ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.. કાશીની થીમ રાખવામાં આવી હતી તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું. નીતા અંબાણીનો વીડિયો થીમને લઈ સામે આવ્યો હતો.

News18 Gujarati

News18 Gujarati

જામનગર પહોંચ્યા નવ દંપત્તિ

પ્રિ વેડિંગના ફંક્શન અલગ અલગ જગ્યાઓ પર રાખવામાં આવ્યા હતા. જામનગરમાં પણ મોટા પાયે પ્રિ વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. અનેક વીડિયો ત્યારે પણ સામે આવ્યા હતા. અંબાણી પરિવારના સભ્યોએ પોતે જમવાનું પિરસ્યું હતું.. તે વખતે રાધિકાનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં તેણે બાળક માટે કહ્યું હતું કૃષ્ણ જેવો લાગે છે... અનંત અને રાધિકાના લગ્ન મુંબઈમાં થયા પરંતુ બંને જણા જામનગર આવ્યા છે.

News18 Gujarati


News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

અનંત અને રાધિકાનું કરાયું ભવ્ય સ્વાગત 

જામનગર આવેલા અનંત અને રાધિકાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.. ગુલાબની ફૂલોની પાંખડીઓથી નવ યુગલનું સ્વાગત કરવામાં આવ્યું હતું..ગાડીને પણ સુશોભિત કરવામાં આવી હતી. ઢોલ નગાડા સાથે અનંત અને રાધિકાનું જામનગર વાસીઓએ સ્વાગત કર્યું હતું..     



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.