Jamnagarમાં Anant Ambani અને Radhikaનું થયું સ્વાગત, ઢોલ નગાડા તેમજ પથરાઈ ફૂલની પાંખડીઓ, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2024-07-17 10:17:32

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થોડા દિવસ પહેલા પૂર્ણ થયા છે.. લગ્ન દરમિયાન અનેક ફંક્શન રાખવામાં આવ્યા હતા જેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ  થઈ રહ્યા છે.. દેશ વિદેશની મોટી હસ્તીઓ અનંત અને રાધિકાના લગ્નમાં આવી હતી.. લગ્નમાં  અંબાણી પરિવારની જાહોજલાલી જાણે ખુલ્લીને સામે આવતી હોય તેવું લાગ્યું.. અંબાણી પરિવારના સદસ્યોના કપડાથી લઈ તેમના ડાન્સ પરફોર્મન્સ બધુ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.. કાશીની થીમ રાખવામાં આવી હતી તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું. નીતા અંબાણીનો વીડિયો થીમને લઈ સામે આવ્યો હતો.

News18 Gujarati

News18 Gujarati

જામનગર પહોંચ્યા નવ દંપત્તિ

પ્રિ વેડિંગના ફંક્શન અલગ અલગ જગ્યાઓ પર રાખવામાં આવ્યા હતા. જામનગરમાં પણ મોટા પાયે પ્રિ વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. અનેક વીડિયો ત્યારે પણ સામે આવ્યા હતા. અંબાણી પરિવારના સભ્યોએ પોતે જમવાનું પિરસ્યું હતું.. તે વખતે રાધિકાનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં તેણે બાળક માટે કહ્યું હતું કૃષ્ણ જેવો લાગે છે... અનંત અને રાધિકાના લગ્ન મુંબઈમાં થયા પરંતુ બંને જણા જામનગર આવ્યા છે.

News18 Gujarati


News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

અનંત અને રાધિકાનું કરાયું ભવ્ય સ્વાગત 

જામનગર આવેલા અનંત અને રાધિકાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.. ગુલાબની ફૂલોની પાંખડીઓથી નવ યુગલનું સ્વાગત કરવામાં આવ્યું હતું..ગાડીને પણ સુશોભિત કરવામાં આવી હતી. ઢોલ નગાડા સાથે અનંત અને રાધિકાનું જામનગર વાસીઓએ સ્વાગત કર્યું હતું..     



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.