Jamnagarમાં Anant Ambani અને Radhikaનું થયું સ્વાગત, ઢોલ નગાડા તેમજ પથરાઈ ફૂલની પાંખડીઓ, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2024-07-17 10:17:32

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થોડા દિવસ પહેલા પૂર્ણ થયા છે.. લગ્ન દરમિયાન અનેક ફંક્શન રાખવામાં આવ્યા હતા જેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ  થઈ રહ્યા છે.. દેશ વિદેશની મોટી હસ્તીઓ અનંત અને રાધિકાના લગ્નમાં આવી હતી.. લગ્નમાં  અંબાણી પરિવારની જાહોજલાલી જાણે ખુલ્લીને સામે આવતી હોય તેવું લાગ્યું.. અંબાણી પરિવારના સદસ્યોના કપડાથી લઈ તેમના ડાન્સ પરફોર્મન્સ બધુ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.. કાશીની થીમ રાખવામાં આવી હતી તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું. નીતા અંબાણીનો વીડિયો થીમને લઈ સામે આવ્યો હતો.

News18 Gujarati

News18 Gujarati

જામનગર પહોંચ્યા નવ દંપત્તિ

પ્રિ વેડિંગના ફંક્શન અલગ અલગ જગ્યાઓ પર રાખવામાં આવ્યા હતા. જામનગરમાં પણ મોટા પાયે પ્રિ વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. અનેક વીડિયો ત્યારે પણ સામે આવ્યા હતા. અંબાણી પરિવારના સભ્યોએ પોતે જમવાનું પિરસ્યું હતું.. તે વખતે રાધિકાનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં તેણે બાળક માટે કહ્યું હતું કૃષ્ણ જેવો લાગે છે... અનંત અને રાધિકાના લગ્ન મુંબઈમાં થયા પરંતુ બંને જણા જામનગર આવ્યા છે.

News18 Gujarati


News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

અનંત અને રાધિકાનું કરાયું ભવ્ય સ્વાગત 

જામનગર આવેલા અનંત અને રાધિકાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.. ગુલાબની ફૂલોની પાંખડીઓથી નવ યુગલનું સ્વાગત કરવામાં આવ્યું હતું..ગાડીને પણ સુશોભિત કરવામાં આવી હતી. ઢોલ નગાડા સાથે અનંત અને રાધિકાનું જામનગર વાસીઓએ સ્વાગત કર્યું હતું..     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.