સંપન્ન થયા Anant Ambani-Radhika Merchantના લગ્ન, સામે આવ્યા સુંદર વીડિયોઝ અને તસવીરો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-13 16:19:45

સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી કાલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ભવ્યથી અતિભવ્ય લગ્ન કાલે પુરા થયા છે અને લગ્નની એક એક તસ્વીર પર બધાની નજર હતી  મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં આયોજિત આ લગ્ન ઘણા વર્ષો સુધી યાદ રહેશે. આ લગ્નમાં દેશ અને દુનિયાના ઘણા સ્ટાર્સ આવ્યા હતા. આ લગ્નનને દુનિયાના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવી રહ્યા છે. ઘણા સમય પહેલાથી લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા હતા. આજે જ્યારે રાધિકાનો ગૃહ પ્રવેશ હતો ત્યારે ફૂલોથી તેનું સ્વાગત કરવામાં આવ્યું. 

વડાપ્રધાન મોદી નવયુગલને આશીર્વાદ આપવા જઈ શકે છે.. 

અંબાણી પરિવારમાં કોઈ પણ ફંક્શન કેમ ના હોય તેની ચર્ચા હંમેશા થતી હોય છે.. અંબાણી પરિવારના કપડાંથી લઇને દુલ્હા દુલ્હનની એન્ટ્રી અને બધું ભવ્ય હતું. લગ્નતો સંપન્ન થઈ ગયા છે પણ હજુ બીજા અનેક ફંક્શન બાકી છે. આજે આશીર્વાદ સેરેમની છે. આ વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ તથા જાણીતા બિઝનેસમેન હાજરી જોવા મળશે. એવી પણ માહિતી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિસેપ્શનમાં નવયુગલને આશીર્વાદ આપવા આવી શકે છે. એટલે આજે આખી દુનિયાની નજરએ રિસેપશન પર પણ રહેશે. કાલે પણ એક રિશેપ્સન રાખવામાં આવ્યું છે એટલે 2 દિવસ રિસેપ્શન થશે. પણ લગ્ન જે ભવ્ય રીતે કર્યા છે જે જોઈને દરેક વ્યક્તિને એવું થાય કે લગ્ન થાય તો આવા થાય...  



બે દિવસ યોજાવાનું છે રિસેપ્શન 

અનંત-રાધિકાનાં લગ્નમાં કાશીની થીમ જોવા મળી હતી. લગ્ન પહેલાં નીતા અંબાણીનો કાશીની પ્રશંસા કરતો એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. નીતા અંબાણી દીકરાના લગ્નમાં નાચતા પણ દેખાયા હતા અને નીતાબેનની મહેંદી પણ ખાસ હતી.3 જુલાઈએ અનંત-રાધિકાનું મામેરું યોજાયું હતું. ત્યારબાદ ચાર જુલાઈએ કોકિલાબેને ગરબા નાઇટ યોજી હતી. પાંચ જુલાઈએ હોલિવૂડ પોપસ્ટાર જસ્ટિન બીબરે મ્યુઝિક નાઇટમાં પર્ફોર્મ કર્યું હતું. ત્યાર બાદ 8 જુલાઈએ ગ્રહશાંતિની પૂજા થઈ હતી. નવ જુલાઈએ હલ્દી સેરેમની તથા 10 જુલાઈએ શિવશક્તિ પૂજા અને મહેંદી સેરેમની યોજાઈ હતી. 2 દિવસ યોજાનાર રિસેપ્શનમાંથી પણ અનેક સુંદર તસવીરો સામે આવશે..  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.