સંપન્ન થયા Anant Ambani-Radhika Merchantના લગ્ન, સામે આવ્યા સુંદર વીડિયોઝ અને તસવીરો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-13 16:19:45

સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી કાલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ભવ્યથી અતિભવ્ય લગ્ન કાલે પુરા થયા છે અને લગ્નની એક એક તસ્વીર પર બધાની નજર હતી  મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં આયોજિત આ લગ્ન ઘણા વર્ષો સુધી યાદ રહેશે. આ લગ્નમાં દેશ અને દુનિયાના ઘણા સ્ટાર્સ આવ્યા હતા. આ લગ્નનને દુનિયાના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવી રહ્યા છે. ઘણા સમય પહેલાથી લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા હતા. આજે જ્યારે રાધિકાનો ગૃહ પ્રવેશ હતો ત્યારે ફૂલોથી તેનું સ્વાગત કરવામાં આવ્યું. 

વડાપ્રધાન મોદી નવયુગલને આશીર્વાદ આપવા જઈ શકે છે.. 

અંબાણી પરિવારમાં કોઈ પણ ફંક્શન કેમ ના હોય તેની ચર્ચા હંમેશા થતી હોય છે.. અંબાણી પરિવારના કપડાંથી લઇને દુલ્હા દુલ્હનની એન્ટ્રી અને બધું ભવ્ય હતું. લગ્નતો સંપન્ન થઈ ગયા છે પણ હજુ બીજા અનેક ફંક્શન બાકી છે. આજે આશીર્વાદ સેરેમની છે. આ વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ તથા જાણીતા બિઝનેસમેન હાજરી જોવા મળશે. એવી પણ માહિતી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિસેપ્શનમાં નવયુગલને આશીર્વાદ આપવા આવી શકે છે. એટલે આજે આખી દુનિયાની નજરએ રિસેપશન પર પણ રહેશે. કાલે પણ એક રિશેપ્સન રાખવામાં આવ્યું છે એટલે 2 દિવસ રિસેપ્શન થશે. પણ લગ્ન જે ભવ્ય રીતે કર્યા છે જે જોઈને દરેક વ્યક્તિને એવું થાય કે લગ્ન થાય તો આવા થાય...  



બે દિવસ યોજાવાનું છે રિસેપ્શન 

અનંત-રાધિકાનાં લગ્નમાં કાશીની થીમ જોવા મળી હતી. લગ્ન પહેલાં નીતા અંબાણીનો કાશીની પ્રશંસા કરતો એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. નીતા અંબાણી દીકરાના લગ્નમાં નાચતા પણ દેખાયા હતા અને નીતાબેનની મહેંદી પણ ખાસ હતી.3 જુલાઈએ અનંત-રાધિકાનું મામેરું યોજાયું હતું. ત્યારબાદ ચાર જુલાઈએ કોકિલાબેને ગરબા નાઇટ યોજી હતી. પાંચ જુલાઈએ હોલિવૂડ પોપસ્ટાર જસ્ટિન બીબરે મ્યુઝિક નાઇટમાં પર્ફોર્મ કર્યું હતું. ત્યાર બાદ 8 જુલાઈએ ગ્રહશાંતિની પૂજા થઈ હતી. નવ જુલાઈએ હલ્દી સેરેમની તથા 10 જુલાઈએ શિવશક્તિ પૂજા અને મહેંદી સેરેમની યોજાઈ હતી. 2 દિવસ યોજાનાર રિસેપ્શનમાંથી પણ અનેક સુંદર તસવીરો સામે આવશે..  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.