સંપન્ન થયા Anant Ambani-Radhika Merchantના લગ્ન, સામે આવ્યા સુંદર વીડિયોઝ અને તસવીરો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-13 16:19:45

સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી કાલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ભવ્યથી અતિભવ્ય લગ્ન કાલે પુરા થયા છે અને લગ્નની એક એક તસ્વીર પર બધાની નજર હતી  મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં આયોજિત આ લગ્ન ઘણા વર્ષો સુધી યાદ રહેશે. આ લગ્નમાં દેશ અને દુનિયાના ઘણા સ્ટાર્સ આવ્યા હતા. આ લગ્નનને દુનિયાના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવી રહ્યા છે. ઘણા સમય પહેલાથી લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા હતા. આજે જ્યારે રાધિકાનો ગૃહ પ્રવેશ હતો ત્યારે ફૂલોથી તેનું સ્વાગત કરવામાં આવ્યું. 

વડાપ્રધાન મોદી નવયુગલને આશીર્વાદ આપવા જઈ શકે છે.. 

અંબાણી પરિવારમાં કોઈ પણ ફંક્શન કેમ ના હોય તેની ચર્ચા હંમેશા થતી હોય છે.. અંબાણી પરિવારના કપડાંથી લઇને દુલ્હા દુલ્હનની એન્ટ્રી અને બધું ભવ્ય હતું. લગ્નતો સંપન્ન થઈ ગયા છે પણ હજુ બીજા અનેક ફંક્શન બાકી છે. આજે આશીર્વાદ સેરેમની છે. આ વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ તથા જાણીતા બિઝનેસમેન હાજરી જોવા મળશે. એવી પણ માહિતી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિસેપ્શનમાં નવયુગલને આશીર્વાદ આપવા આવી શકે છે. એટલે આજે આખી દુનિયાની નજરએ રિસેપશન પર પણ રહેશે. કાલે પણ એક રિશેપ્સન રાખવામાં આવ્યું છે એટલે 2 દિવસ રિસેપ્શન થશે. પણ લગ્ન જે ભવ્ય રીતે કર્યા છે જે જોઈને દરેક વ્યક્તિને એવું થાય કે લગ્ન થાય તો આવા થાય...  



બે દિવસ યોજાવાનું છે રિસેપ્શન 

અનંત-રાધિકાનાં લગ્નમાં કાશીની થીમ જોવા મળી હતી. લગ્ન પહેલાં નીતા અંબાણીનો કાશીની પ્રશંસા કરતો એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. નીતા અંબાણી દીકરાના લગ્નમાં નાચતા પણ દેખાયા હતા અને નીતાબેનની મહેંદી પણ ખાસ હતી.3 જુલાઈએ અનંત-રાધિકાનું મામેરું યોજાયું હતું. ત્યારબાદ ચાર જુલાઈએ કોકિલાબેને ગરબા નાઇટ યોજી હતી. પાંચ જુલાઈએ હોલિવૂડ પોપસ્ટાર જસ્ટિન બીબરે મ્યુઝિક નાઇટમાં પર્ફોર્મ કર્યું હતું. ત્યાર બાદ 8 જુલાઈએ ગ્રહશાંતિની પૂજા થઈ હતી. નવ જુલાઈએ હલ્દી સેરેમની તથા 10 જુલાઈએ શિવશક્તિ પૂજા અને મહેંદી સેરેમની યોજાઈ હતી. 2 દિવસ યોજાનાર રિસેપ્શનમાંથી પણ અનેક સુંદર તસવીરો સામે આવશે..  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.