Chaitar Vasavaના સમર્થનમાં આવ્યા Anant Patel, કહ્યું કે કેટલા ચૈતર વસાવા પર ફરિયાદ કરશો હજી અનંત પટેલ જીવે છે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-16 13:01:02

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. આખો ઘટનાક્રમ આપણે જાણીએ છીએ. ચૈતર વસાવાની પત્ની હજી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ ફરિયાદ થઈ તે બાદથી ધારાસભ્ય પોલીસ પકડથી દૂર છે, તેમની શોધખોળ થઈ રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત ધારાસભ્ય અનેત પટેલે ચૈતર વસાવાના સમર્થનમાં એક નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે એક ચૈતર વસાવા પર તમે ફરિયાદ કરી છે બીજા હજારો તમારી સામે ઉભા છે. 

ફરી એક વખત ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા અનંત પટેલ

ડેડિયાપાડાના ધારાસભ્યના ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે ત્યારથી તે ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ધારાસભ્યના સમર્થનમાં આપના નેતાઓ આવ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર ચૈતર વસાવાના સમર્થનમાં આવી આપના કાર્યકર્તાઓ આવેદનપત્રો આપી રહ્યા છે. ન માત્ર આપના પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ આવ્યા છે. તેમના સમર્થનમાં અનેક વખત તેમને નિવેદન આપ્યું છે. ત્યારે ફરી એક વખત આપના ધારાસભ્યના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા છે. અનંત પટેલે એવું નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે એક ચૈતર વસાવા પર તમે ફરિયાદ કરી છે બીજા હજારો તમારી સામે ઉભા છે.     


ભાજપને વોટ ન આપવા માટે ધારાસભ્યએ લેવડાવ્યા શપથ

ભરૂચના નેત્રંગ ચાર રસ્તા ખાતે મહાન સ્વતંત્રતા સેનાની જનનાયક ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતી નિમિતે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. જ્યાં આદિવાસી સમાજના લોકો અને ધારાસભ્ય અનંત પટેલ હાજર હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનંત પટેલ ઉગ્ર દેખાયા હતા. લોકોને સંબોધતા તેમણે કહ્યું કે કેટલા ચૈતર વસાવા પર ફરિયાદ કરશો? હજી અનંત પટેલ જીવે છે ! ચૈતર વસાવા માટે અમે ડેડિયાપાડા ભરી દઈશું. અનંત પટેલે ત્યાં હાજર લોકોને સંકલ્પ પણ લેવડાવ્યા હતા કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ભાજપને મત નહિ આપીએ. મહત્વનું છે કે ચૈતર વસાવાને જનસમર્થન મળી રહ્યું છે. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ધારાસભ્યનો માસ્ક લગાવી લોકો કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું,  



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'