Chaitar Vasavaના સમર્થનમાં આવ્યા Anant Patel, કહ્યું કે કેટલા ચૈતર વસાવા પર ફરિયાદ કરશો હજી અનંત પટેલ જીવે છે!


  • Published By :
  • Published Date : 2023-11-16 13:01:02

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. આખો ઘટનાક્રમ આપણે જાણીએ છીએ. ચૈતર વસાવાની પત્ની હજી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ ફરિયાદ થઈ તે બાદથી ધારાસભ્ય પોલીસ પકડથી દૂર છે, તેમની શોધખોળ થઈ રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત ધારાસભ્ય અનેત પટેલે ચૈતર વસાવાના સમર્થનમાં એક નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે એક ચૈતર વસાવા પર તમે ફરિયાદ કરી છે બીજા હજારો તમારી સામે ઉભા છે. 

ફરી એક વખત ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા અનંત પટેલ

ડેડિયાપાડાના ધારાસભ્યના ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે ત્યારથી તે ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ધારાસભ્યના સમર્થનમાં આપના નેતાઓ આવ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર ચૈતર વસાવાના સમર્થનમાં આવી આપના કાર્યકર્તાઓ આવેદનપત્રો આપી રહ્યા છે. ન માત્ર આપના પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ આવ્યા છે. તેમના સમર્થનમાં અનેક વખત તેમને નિવેદન આપ્યું છે. ત્યારે ફરી એક વખત આપના ધારાસભ્યના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા છે. અનંત પટેલે એવું નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે એક ચૈતર વસાવા પર તમે ફરિયાદ કરી છે બીજા હજારો તમારી સામે ઉભા છે.     


ભાજપને વોટ ન આપવા માટે ધારાસભ્યએ લેવડાવ્યા શપથ

ભરૂચના નેત્રંગ ચાર રસ્તા ખાતે મહાન સ્વતંત્રતા સેનાની જનનાયક ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતી નિમિતે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. જ્યાં આદિવાસી સમાજના લોકો અને ધારાસભ્ય અનંત પટેલ હાજર હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનંત પટેલ ઉગ્ર દેખાયા હતા. લોકોને સંબોધતા તેમણે કહ્યું કે કેટલા ચૈતર વસાવા પર ફરિયાદ કરશો? હજી અનંત પટેલ જીવે છે ! ચૈતર વસાવા માટે અમે ડેડિયાપાડા ભરી દઈશું. અનંત પટેલે ત્યાં હાજર લોકોને સંકલ્પ પણ લેવડાવ્યા હતા કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ભાજપને મત નહિ આપીએ. મહત્વનું છે કે ચૈતર વસાવાને જનસમર્થન મળી રહ્યું છે. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ધારાસભ્યનો માસ્ક લગાવી લોકો કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું,  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.