Chaitar Vasavaના સમર્થનમાં આવ્યા Anant Patel, કહ્યું કે કેટલા ચૈતર વસાવા પર ફરિયાદ કરશો હજી અનંત પટેલ જીવે છે!


  • Published By :
  • Published Date : 2023-11-16 13:01:02

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. આખો ઘટનાક્રમ આપણે જાણીએ છીએ. ચૈતર વસાવાની પત્ની હજી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ ફરિયાદ થઈ તે બાદથી ધારાસભ્ય પોલીસ પકડથી દૂર છે, તેમની શોધખોળ થઈ રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત ધારાસભ્ય અનેત પટેલે ચૈતર વસાવાના સમર્થનમાં એક નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે એક ચૈતર વસાવા પર તમે ફરિયાદ કરી છે બીજા હજારો તમારી સામે ઉભા છે. 

ફરી એક વખત ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા અનંત પટેલ

ડેડિયાપાડાના ધારાસભ્યના ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે ત્યારથી તે ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ધારાસભ્યના સમર્થનમાં આપના નેતાઓ આવ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર ચૈતર વસાવાના સમર્થનમાં આવી આપના કાર્યકર્તાઓ આવેદનપત્રો આપી રહ્યા છે. ન માત્ર આપના પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ આવ્યા છે. તેમના સમર્થનમાં અનેક વખત તેમને નિવેદન આપ્યું છે. ત્યારે ફરી એક વખત આપના ધારાસભ્યના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા છે. અનંત પટેલે એવું નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે એક ચૈતર વસાવા પર તમે ફરિયાદ કરી છે બીજા હજારો તમારી સામે ઉભા છે.     


ભાજપને વોટ ન આપવા માટે ધારાસભ્યએ લેવડાવ્યા શપથ

ભરૂચના નેત્રંગ ચાર રસ્તા ખાતે મહાન સ્વતંત્રતા સેનાની જનનાયક ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતી નિમિતે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. જ્યાં આદિવાસી સમાજના લોકો અને ધારાસભ્ય અનંત પટેલ હાજર હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનંત પટેલ ઉગ્ર દેખાયા હતા. લોકોને સંબોધતા તેમણે કહ્યું કે કેટલા ચૈતર વસાવા પર ફરિયાદ કરશો? હજી અનંત પટેલ જીવે છે ! ચૈતર વસાવા માટે અમે ડેડિયાપાડા ભરી દઈશું. અનંત પટેલે ત્યાં હાજર લોકોને સંકલ્પ પણ લેવડાવ્યા હતા કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ભાજપને મત નહિ આપીએ. મહત્વનું છે કે ચૈતર વસાવાને જનસમર્થન મળી રહ્યું છે. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ધારાસભ્યનો માસ્ક લગાવી લોકો કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું,  



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.