Chaitar Vasavaના સમર્થનમાં આવ્યા Anant Patel, કહ્યું કે કેટલા ચૈતર વસાવા પર ફરિયાદ કરશો હજી અનંત પટેલ જીવે છે!


  • Published By :
  • Published Date : 2023-11-16 13:01:02

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. આખો ઘટનાક્રમ આપણે જાણીએ છીએ. ચૈતર વસાવાની પત્ની હજી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ ફરિયાદ થઈ તે બાદથી ધારાસભ્ય પોલીસ પકડથી દૂર છે, તેમની શોધખોળ થઈ રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત ધારાસભ્ય અનેત પટેલે ચૈતર વસાવાના સમર્થનમાં એક નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે એક ચૈતર વસાવા પર તમે ફરિયાદ કરી છે બીજા હજારો તમારી સામે ઉભા છે. 

ફરી એક વખત ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા અનંત પટેલ

ડેડિયાપાડાના ધારાસભ્યના ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે ત્યારથી તે ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ધારાસભ્યના સમર્થનમાં આપના નેતાઓ આવ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર ચૈતર વસાવાના સમર્થનમાં આવી આપના કાર્યકર્તાઓ આવેદનપત્રો આપી રહ્યા છે. ન માત્ર આપના પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ આવ્યા છે. તેમના સમર્થનમાં અનેક વખત તેમને નિવેદન આપ્યું છે. ત્યારે ફરી એક વખત આપના ધારાસભ્યના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા છે. અનંત પટેલે એવું નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે એક ચૈતર વસાવા પર તમે ફરિયાદ કરી છે બીજા હજારો તમારી સામે ઉભા છે.     


ભાજપને વોટ ન આપવા માટે ધારાસભ્યએ લેવડાવ્યા શપથ

ભરૂચના નેત્રંગ ચાર રસ્તા ખાતે મહાન સ્વતંત્રતા સેનાની જનનાયક ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતી નિમિતે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. જ્યાં આદિવાસી સમાજના લોકો અને ધારાસભ્ય અનંત પટેલ હાજર હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનંત પટેલ ઉગ્ર દેખાયા હતા. લોકોને સંબોધતા તેમણે કહ્યું કે કેટલા ચૈતર વસાવા પર ફરિયાદ કરશો? હજી અનંત પટેલ જીવે છે ! ચૈતર વસાવા માટે અમે ડેડિયાપાડા ભરી દઈશું. અનંત પટેલે ત્યાં હાજર લોકોને સંકલ્પ પણ લેવડાવ્યા હતા કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ભાજપને મત નહિ આપીએ. મહત્વનું છે કે ચૈતર વસાવાને જનસમર્થન મળી રહ્યું છે. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ધારાસભ્યનો માસ્ક લગાવી લોકો કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું,  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.