વાંસદાના કોંગ્રેસના MLA અનંત પટેલ સામે વધુ એક FIR, રેલીની શરતોનું પાલન ન થતા કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2022-10-30 11:47:38


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે બદલાની રાજનિતી જોર પકડી રહી છે. આજે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ સામે વધુ એક  FIR દાખલ કરવામાં આવી છે. આદિવાસી આક્રોશ રેલીમાં શરતોને આધીન જે મંજૂરી આપી હતી એનું ઉલ્લંઘન થતા FIR નોંધવામાં આવી હોવાની સુત્રો દ્વારા માહિતી મળી છે. 



અનંત પટેલ સામે શા માટે નોંધાઈ FIR?


અનંત પટેલ પર થયેલા હુમલાના 20 દિવસ બાદ પણ હુમલાખોરોને પકડવામાં પોલીસ નિષ્ફળ રહેતા આદીવાસી સમાજમાં વ્યાપક અસંતોષ છે. પોલીસ કાર્યવાહીથી નારાજ આદિવાસી સમાજ દ્વારા ગત રોજ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી આક્રોશ રેલીને કુલ 22 અલગ અલગ શરતોને આધારે મંજૂરી આપવામાં આવી હતી. જેનું પાલન ન થતા આ પગલું ભરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કલેક્ટર કચેરીના 200 મીટર વિસ્તારમાં સરઘસ, ધરણા, સભા લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ હોવા છતા આનું ઉલ્લંઘન કરાયું હતું. તે ઉપરાંત મંજૂરીની શરતો પ્રમાણે આક્રોશ રેલીની સમય મર્યાદા પણ નક્કી કરાઈ હતી, પરંતુ એ નિશ્ચિક કરાયેલી સમય મર્યાદા કરતા પોણા ત્રણ કલાક રેલી વધારે ચાલી હોવાથી અનંત પટેલ સામે FIR દાખલ કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.  અત્રે ઉલ્લેખનિય છે આ અગાઉ પણ ધારાસભ્ય અનંત પટેલ સામે ખેરગામ પોલીસ સ્ટેશનમાં 3 ફરિયાદો નોંધાઈ ચૂકી છે.



ચૂંટણી લડવા માટે નિર્મલા સીતારમણે ના પાડી દીધી છે. પાર્ટી દ્વારા તેમણે ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે પૈસા નથી તેમ કહી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.

ભાજપમાં અત્યારે નારાજગી અને વિરોધની ફેશન ચાલી રહી છે રાજકોટમાં વિરોધ, સાબરકાંઠામાં વિરોધ અને આ બધી આગ વચ્ચે નેતાઓની નારાજગી સામે દેખાઈ રહી છે. તમને થશે કે હવે કોણ નારાજ છે તો અમરેલીના સાંસદ નારણ કાછડિયા નારાજ ચાલી રહ્યા છે કારણ કે તેમની ટિકિટ કપાઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જે અંતર્ગત ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છોટા ઉદેપુર પહોંચ્યા હતા અને ચૈતર વસાવા તેમજ સુખરામ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.

લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.