વાંસદાના કોંગ્રેસના MLA અનંત પટેલ સામે વધુ એક FIR, રેલીની શરતોનું પાલન ન થતા કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2022-10-30 11:47:38


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે બદલાની રાજનિતી જોર પકડી રહી છે. આજે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ સામે વધુ એક  FIR દાખલ કરવામાં આવી છે. આદિવાસી આક્રોશ રેલીમાં શરતોને આધીન જે મંજૂરી આપી હતી એનું ઉલ્લંઘન થતા FIR નોંધવામાં આવી હોવાની સુત્રો દ્વારા માહિતી મળી છે. 



અનંત પટેલ સામે શા માટે નોંધાઈ FIR?


અનંત પટેલ પર થયેલા હુમલાના 20 દિવસ બાદ પણ હુમલાખોરોને પકડવામાં પોલીસ નિષ્ફળ રહેતા આદીવાસી સમાજમાં વ્યાપક અસંતોષ છે. પોલીસ કાર્યવાહીથી નારાજ આદિવાસી સમાજ દ્વારા ગત રોજ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી આક્રોશ રેલીને કુલ 22 અલગ અલગ શરતોને આધારે મંજૂરી આપવામાં આવી હતી. જેનું પાલન ન થતા આ પગલું ભરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કલેક્ટર કચેરીના 200 મીટર વિસ્તારમાં સરઘસ, ધરણા, સભા લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ હોવા છતા આનું ઉલ્લંઘન કરાયું હતું. તે ઉપરાંત મંજૂરીની શરતો પ્રમાણે આક્રોશ રેલીની સમય મર્યાદા પણ નક્કી કરાઈ હતી, પરંતુ એ નિશ્ચિક કરાયેલી સમય મર્યાદા કરતા પોણા ત્રણ કલાક રેલી વધારે ચાલી હોવાથી અનંત પટેલ સામે FIR દાખલ કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.  અત્રે ઉલ્લેખનિય છે આ અગાઉ પણ ધારાસભ્ય અનંત પટેલ સામે ખેરગામ પોલીસ સ્ટેશનમાં 3 ફરિયાદો નોંધાઈ ચૂકી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.