Gyan sahayakના વિરોધમાં Anant Patelએ કાઢી રેલી, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવી પાઠવ્યું આવેદનપત્ર અને સરકારને કરી આ રજૂઆત!


  • Published By :
  • Published Date : 2023-10-20 16:58:56

જ્ઞાન સહાયક મુદ્દે દરેક બાજુથી સરકાર ઘેરાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ આંદોલનો કરવામાં માટે ટેટ-ટાટના ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવા માટે ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ઉમેદવારોના સમર્થનમાં છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ આ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા શિક્ષણ બચાવો ધરણા કરવામાં આવ્યા હતા. ત્યારે આજે જ્ઞાન સહાયકના વિરોધમાં અનંત પટેલે સુરત જિલ્લામાં રેલી કાઢી હતી અને સુરત જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

 

સુરત જિલ્લામાં અનંત પટેલે જ્ઞાન સહાયકના વિરોધમાં કાઢી રેલી 

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે અનોખી રીતે સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0ની શરૂઆત કરી હતી જે આજે પોતાના મુકામે પહોંચવાની છે. આમ આદમી પાર્ટીએ ઉંધી દાંડી યાત્રાનું આયોજન કર્યું હતું. દાંડીથી અમદાવાદ પહોંચ્યા છે. યુવરાજસિંહ, ચૈતર વસાવા સહિત હજારોની સંખ્યામાં ઉમેદવારો યાત્રામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા પણ આ જ્ઞાન સહાયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ બચાવ ધરણા પણ કોંગ્રેસે યોજ્યું હતું. ત્યારે આજે સુરત ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ જ્ઞાન સહાયકના વિરોધમાં રેલીનું આયોજન કર્યું હતું. સુરત જિલ્લામાં રાજ્યપાલને સંબોધીને પત્ર લખ્યો અને તે પત્ર સુરતના કલેક્ટરને આપવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર અનંત પટેલે કરી પોસ્ટ

અનંત પટેલે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે જેમાં તેમણે લખ્યું છે કે 'જ્યારે સરકારશ્રી નું ભણશે ગુજરાત બોલશે ગુજરાત નું સૂત્ર હોય અને વિધાર્થી ભણીને બહાર નીકળી નોકરી ની માંગ કરશે તો એમને ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારશ્રી નું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી. કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બનછે એ હજારો યુવાનો યુવતીઓ નું સપનું રોળાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષક નુજ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કરશે'

સરકાર પોતાનો નિર્ણય બદલશે? 

મહત્વનું છે કે ઉમેદવારોને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીનું સમર્થન મળી રહ્યું છે પરંતુ સરકાર ક્યારે ઉમેદવારોની માગ સ્વીકારશે તે જોવું રહ્યું. આવા આંદોલનોથી સરકાર પર જ્ઞાન સહાયક રદ્દ કરવાનું પ્રેશર બને છે કે કેમ તે તો સમય બતાવશે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી