Gyan sahayakના વિરોધમાં Anant Patelએ કાઢી રેલી, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવી પાઠવ્યું આવેદનપત્ર અને સરકારને કરી આ રજૂઆત!


  • Published By :
  • Published Date : 2023-10-20 16:58:56

જ્ઞાન સહાયક મુદ્દે દરેક બાજુથી સરકાર ઘેરાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ આંદોલનો કરવામાં માટે ટેટ-ટાટના ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવા માટે ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ઉમેદવારોના સમર્થનમાં છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ આ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા શિક્ષણ બચાવો ધરણા કરવામાં આવ્યા હતા. ત્યારે આજે જ્ઞાન સહાયકના વિરોધમાં અનંત પટેલે સુરત જિલ્લામાં રેલી કાઢી હતી અને સુરત જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

 

સુરત જિલ્લામાં અનંત પટેલે જ્ઞાન સહાયકના વિરોધમાં કાઢી રેલી 

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે અનોખી રીતે સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0ની શરૂઆત કરી હતી જે આજે પોતાના મુકામે પહોંચવાની છે. આમ આદમી પાર્ટીએ ઉંધી દાંડી યાત્રાનું આયોજન કર્યું હતું. દાંડીથી અમદાવાદ પહોંચ્યા છે. યુવરાજસિંહ, ચૈતર વસાવા સહિત હજારોની સંખ્યામાં ઉમેદવારો યાત્રામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા પણ આ જ્ઞાન સહાયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ બચાવ ધરણા પણ કોંગ્રેસે યોજ્યું હતું. ત્યારે આજે સુરત ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ જ્ઞાન સહાયકના વિરોધમાં રેલીનું આયોજન કર્યું હતું. સુરત જિલ્લામાં રાજ્યપાલને સંબોધીને પત્ર લખ્યો અને તે પત્ર સુરતના કલેક્ટરને આપવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર અનંત પટેલે કરી પોસ્ટ

અનંત પટેલે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે જેમાં તેમણે લખ્યું છે કે 'જ્યારે સરકારશ્રી નું ભણશે ગુજરાત બોલશે ગુજરાત નું સૂત્ર હોય અને વિધાર્થી ભણીને બહાર નીકળી નોકરી ની માંગ કરશે તો એમને ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારશ્રી નું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી. કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બનછે એ હજારો યુવાનો યુવતીઓ નું સપનું રોળાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષક નુજ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કરશે'

સરકાર પોતાનો નિર્ણય બદલશે? 

મહત્વનું છે કે ઉમેદવારોને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીનું સમર્થન મળી રહ્યું છે પરંતુ સરકાર ક્યારે ઉમેદવારોની માગ સ્વીકારશે તે જોવું રહ્યું. આવા આંદોલનોથી સરકાર પર જ્ઞાન સહાયક રદ્દ કરવાનું પ્રેશર બને છે કે કેમ તે તો સમય બતાવશે.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.