"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાથી ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં , ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલે પાલનપુર શહેરમાં સરદાર સાહેબની પ્રતિમાના અનાવરણ સમયે હાજરી આપી હતી. હવે , અનાર પટેલના આ ભાષણનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેમના દ્વારા કહેરવામાં આવ્યું છે કે , " પટેલો ઓળખ બનાવે કારણ કે પટેલ બોલવામાં કડવા હોય છે મીઠું બોલતા શીખવું તેમણે પડશે. આ ઉપરાંત સમાજને તોડવાવાળાને ઓળખવા પડશે. આપણી દીકરીઓ બીજા સમાજ માં જાય છે કારણ કે આપણા સમાજ ના દીકરા સક્ષમ નથી. સમાજ માં કોઈ દારૂ પીને આવતું હોય તો એને બહાર કાઢો નહીં તો સમાજ બગડશે. અત્યારે તો ઘેર ઘેર બધાને નેતા બનવું છે."






.jpg)








