આંગણવાડી બહેનોએ સરકાર સામે ખોલ્યો આંદોલનનો મોરચો! વિવિધ માગણી સાથે કામથી અળગા રહેવાની કરી જાહેરાત.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-17 12:24:32

છેલ્લા ઘણા સમયથી આંગણવાડી બહેનો પગાર વધારાની માગ કરી રહી છે. અનેક વખત તેમના દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી પરંતુ પરિણામ નહીંવત સાબિત થયું. કોઈ પરિણામ ન આવ્યું જેને લઈ આંગણવાડી બહેનોમાં, આશા વર્કરોએ હલ્લાબોલ કર્યો હતો. આંગણવાડી બહેનોએ આખરે સરકાર સામે બાંયો ચઢાવી છે. બે દિવસ પોતાના કામથી અળગા રહેવાની જાહેરાત આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવી હતી. અલગ અલગ જગ્યાઓ પર આંગણવાડી બહેનો દ્વારા તેમજ આશાવર્કર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિરોધને કારણે 2500થી વધુ આંગણવાડીઓ બંધ રહેશે. 

આશા વર્કર બહેનોએ તેમની પડતર માંગણીઓ લઈને રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન


જો માગણીઓ નહીં સંતોષાય તો આશાવર્કર બહેનો ઉપાડશે આ પગલું! 

આંગણવાડી બહેનોનું કહેવું છે કે 2018થી પગાર વધારવામાં નથી આવ્યો. અનેક રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ નિરાકરણ ના આવતા અંતે સરકાર સમક્ષ ઉગ્ર લડત લડવાના મૂડમાં આંગણવાડી બહેનો, આશાવર્કર બહેનો દેખાઈ રહ્યા છે. તે ઉપરાંત સરકારી કર્મચારીઓએ ચૂંટણી પહેલા આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે પોતાની પડતર માગણીઓને લઈ. આંગણવાડી બહેનોનું કહેવું છે કે જો તેમની માગણી નહીં સંતોષાય તો આવનાર દિવસોમાં ભાજપના ધારાસભ્યોના ઘરનો તેમજ સાંસદોના ઘરનો તેઓ ઘેરાવો કરશે. 

Image


સરકારી કર્મચારીઓ પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાયા!

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે સરકારી કર્મચારીઓ પણ વિરોધ કરી રહ્યા છે સરકાર સામે. સરકારી કર્મચારીઓની માગણી છે કે બઢતીનો રેશિયો વધારવો જોઈએ, ફિક્સ પગાર નાબૂદી કરવી જોઈએ. તે ઉપરાંત અન્ય પણ માગણીઓ છે જેને લઈ સરકારી કર્મચારીઓએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો. સચિવાલય સંકુલમાં સરકારી કર્મચારીઓ કાળા કપડામાં સજ્જ દેખાયા હતા. શિક્ષકો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.