આંગણવાડી બહેનોએ સરકાર સામે ખોલ્યો આંદોલનનો મોરચો! વિવિધ માગણી સાથે કામથી અળગા રહેવાની કરી જાહેરાત.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-17 12:24:32

છેલ્લા ઘણા સમયથી આંગણવાડી બહેનો પગાર વધારાની માગ કરી રહી છે. અનેક વખત તેમના દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી પરંતુ પરિણામ નહીંવત સાબિત થયું. કોઈ પરિણામ ન આવ્યું જેને લઈ આંગણવાડી બહેનોમાં, આશા વર્કરોએ હલ્લાબોલ કર્યો હતો. આંગણવાડી બહેનોએ આખરે સરકાર સામે બાંયો ચઢાવી છે. બે દિવસ પોતાના કામથી અળગા રહેવાની જાહેરાત આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવી હતી. અલગ અલગ જગ્યાઓ પર આંગણવાડી બહેનો દ્વારા તેમજ આશાવર્કર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિરોધને કારણે 2500થી વધુ આંગણવાડીઓ બંધ રહેશે. 

આશા વર્કર બહેનોએ તેમની પડતર માંગણીઓ લઈને રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન


જો માગણીઓ નહીં સંતોષાય તો આશાવર્કર બહેનો ઉપાડશે આ પગલું! 

આંગણવાડી બહેનોનું કહેવું છે કે 2018થી પગાર વધારવામાં નથી આવ્યો. અનેક રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ નિરાકરણ ના આવતા અંતે સરકાર સમક્ષ ઉગ્ર લડત લડવાના મૂડમાં આંગણવાડી બહેનો, આશાવર્કર બહેનો દેખાઈ રહ્યા છે. તે ઉપરાંત સરકારી કર્મચારીઓએ ચૂંટણી પહેલા આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે પોતાની પડતર માગણીઓને લઈ. આંગણવાડી બહેનોનું કહેવું છે કે જો તેમની માગણી નહીં સંતોષાય તો આવનાર દિવસોમાં ભાજપના ધારાસભ્યોના ઘરનો તેમજ સાંસદોના ઘરનો તેઓ ઘેરાવો કરશે. 

Image


સરકારી કર્મચારીઓ પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાયા!

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે સરકારી કર્મચારીઓ પણ વિરોધ કરી રહ્યા છે સરકાર સામે. સરકારી કર્મચારીઓની માગણી છે કે બઢતીનો રેશિયો વધારવો જોઈએ, ફિક્સ પગાર નાબૂદી કરવી જોઈએ. તે ઉપરાંત અન્ય પણ માગણીઓ છે જેને લઈ સરકારી કર્મચારીઓએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો. સચિવાલય સંકુલમાં સરકારી કર્મચારીઓ કાળા કપડામાં સજ્જ દેખાયા હતા. શિક્ષકો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે