આંગણવાડી બહેનોએ સરકાર સામે ખોલ્યો આંદોલનનો મોરચો! વિવિધ માગણી સાથે કામથી અળગા રહેવાની કરી જાહેરાત.. જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-17 12:24:32

છેલ્લા ઘણા સમયથી આંગણવાડી બહેનો પગાર વધારાની માગ કરી રહી છે. અનેક વખત તેમના દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી પરંતુ પરિણામ નહીંવત સાબિત થયું. કોઈ પરિણામ ન આવ્યું જેને લઈ આંગણવાડી બહેનોમાં, આશા વર્કરોએ હલ્લાબોલ કર્યો હતો. આંગણવાડી બહેનોએ આખરે સરકાર સામે બાંયો ચઢાવી છે. બે દિવસ પોતાના કામથી અળગા રહેવાની જાહેરાત આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવી હતી. અલગ અલગ જગ્યાઓ પર આંગણવાડી બહેનો દ્વારા તેમજ આશાવર્કર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિરોધને કારણે 2500થી વધુ આંગણવાડીઓ બંધ રહેશે. 

આશા વર્કર બહેનોએ તેમની પડતર માંગણીઓ લઈને રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન


જો માગણીઓ નહીં સંતોષાય તો આશાવર્કર બહેનો ઉપાડશે આ પગલું! 

આંગણવાડી બહેનોનું કહેવું છે કે 2018થી પગાર વધારવામાં નથી આવ્યો. અનેક રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ નિરાકરણ ના આવતા અંતે સરકાર સમક્ષ ઉગ્ર લડત લડવાના મૂડમાં આંગણવાડી બહેનો, આશાવર્કર બહેનો દેખાઈ રહ્યા છે. તે ઉપરાંત સરકારી કર્મચારીઓએ ચૂંટણી પહેલા આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે પોતાની પડતર માગણીઓને લઈ. આંગણવાડી બહેનોનું કહેવું છે કે જો તેમની માગણી નહીં સંતોષાય તો આવનાર દિવસોમાં ભાજપના ધારાસભ્યોના ઘરનો તેમજ સાંસદોના ઘરનો તેઓ ઘેરાવો કરશે. 

Image


સરકારી કર્મચારીઓ પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાયા!

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે સરકારી કર્મચારીઓ પણ વિરોધ કરી રહ્યા છે સરકાર સામે. સરકારી કર્મચારીઓની માગણી છે કે બઢતીનો રેશિયો વધારવો જોઈએ, ફિક્સ પગાર નાબૂદી કરવી જોઈએ. તે ઉપરાંત અન્ય પણ માગણીઓ છે જેને લઈ સરકારી કર્મચારીઓએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો. સચિવાલય સંકુલમાં સરકારી કર્મચારીઓ કાળા કપડામાં સજ્જ દેખાયા હતા. શિક્ષકો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.