સાબરકાંઠાની આંગણવાડીઓ પર કેમ લટકે છે તાળા?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 09:52:02

Story- સમીર પરમાર 


ગુજરાત સરકાર પાસે અનેક વિભાગના લોકો માગણી સાથે હડતાળ કરી રહ્યા છે. સાબરકાંઠાની આંગણવાડીમાં કામ કરતી મહિલા કર્મચારીઓ પણ પોતાની પડતર માગણીઓ સ્વિકારવા માટે હડતાળ પર ઉતરી ગઈ છે. હડતાળમાં વિરોધ કરવા માટે આંગણવાડી વિભાગની બહેનોએ આંગણવાડી પર તાડા મારી સેવા આપવાની મનાહી કરી દીધી છે. 


શા માટે આંગણવાડી મહિલા કર્મચારી રણચંડી બની?

આંગણવાડીની મહિલા કર્મચારીઓએ છ દિવસ પહેલા 10 જેટલી માગ સાથે આંદોલન કરવા માટે સાબરકાંઠાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણકારી આપી હતી. જો કે આંદોલન મામલે કોઈ અવાજ પ્રશાસન સુધી નહીં પહોંચતા આંગણવાડી મહિલા કર્મચારીઓને આંદોલનનો રસ્તો પકડવો પડ્યો હતો. વિરોધના ભાગ રૂપે બહેનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી માગ નહીં સ્વિકારવામાં આવે ત્યાં સુધી આંગણવાડી પર હાજર નહીં રહે. 4 હજાર જેટલી આંગણવાડી મહિલા અને તેડાઘર કાર્યકર બહેનોએ કામથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 


ગુજરાત વિધાનસભાની ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે અને અનેક વિભાગના લોકો આંદોલનનો માર્ગ પકડ્યો હતો. માલધારી, પોલીસ, ઈન્ટર્ન ડોક્ટર્સ, ખેડૂતોનું કિસાન સંઘ અને ગ્રામ પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પણ વિરોધ નોંધાવી ચૂક્યા છે. આગળ હવે સરકાર તેમની માગ સ્વિકારશે કે કેમ તે જોવાનું રહેશે.  

  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.