સાબરકાંઠાની આંગણવાડીઓ પર કેમ લટકે છે તાળા?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 09:52:02

Story- સમીર પરમાર 


ગુજરાત સરકાર પાસે અનેક વિભાગના લોકો માગણી સાથે હડતાળ કરી રહ્યા છે. સાબરકાંઠાની આંગણવાડીમાં કામ કરતી મહિલા કર્મચારીઓ પણ પોતાની પડતર માગણીઓ સ્વિકારવા માટે હડતાળ પર ઉતરી ગઈ છે. હડતાળમાં વિરોધ કરવા માટે આંગણવાડી વિભાગની બહેનોએ આંગણવાડી પર તાડા મારી સેવા આપવાની મનાહી કરી દીધી છે. 


શા માટે આંગણવાડી મહિલા કર્મચારી રણચંડી બની?

આંગણવાડીની મહિલા કર્મચારીઓએ છ દિવસ પહેલા 10 જેટલી માગ સાથે આંદોલન કરવા માટે સાબરકાંઠાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણકારી આપી હતી. જો કે આંદોલન મામલે કોઈ અવાજ પ્રશાસન સુધી નહીં પહોંચતા આંગણવાડી મહિલા કર્મચારીઓને આંદોલનનો રસ્તો પકડવો પડ્યો હતો. વિરોધના ભાગ રૂપે બહેનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી માગ નહીં સ્વિકારવામાં આવે ત્યાં સુધી આંગણવાડી પર હાજર નહીં રહે. 4 હજાર જેટલી આંગણવાડી મહિલા અને તેડાઘર કાર્યકર બહેનોએ કામથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 


ગુજરાત વિધાનસભાની ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે અને અનેક વિભાગના લોકો આંદોલનનો માર્ગ પકડ્યો હતો. માલધારી, પોલીસ, ઈન્ટર્ન ડોક્ટર્સ, ખેડૂતોનું કિસાન સંઘ અને ગ્રામ પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પણ વિરોધ નોંધાવી ચૂક્યા છે. આગળ હવે સરકાર તેમની માગ સ્વિકારશે કે કેમ તે જોવાનું રહેશે.  

  



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.