સાબરકાંઠાની આંગણવાડીઓ પર કેમ લટકે છે તાળા?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 09:52:02

Story- સમીર પરમાર 


ગુજરાત સરકાર પાસે અનેક વિભાગના લોકો માગણી સાથે હડતાળ કરી રહ્યા છે. સાબરકાંઠાની આંગણવાડીમાં કામ કરતી મહિલા કર્મચારીઓ પણ પોતાની પડતર માગણીઓ સ્વિકારવા માટે હડતાળ પર ઉતરી ગઈ છે. હડતાળમાં વિરોધ કરવા માટે આંગણવાડી વિભાગની બહેનોએ આંગણવાડી પર તાડા મારી સેવા આપવાની મનાહી કરી દીધી છે. 


શા માટે આંગણવાડી મહિલા કર્મચારી રણચંડી બની?

આંગણવાડીની મહિલા કર્મચારીઓએ છ દિવસ પહેલા 10 જેટલી માગ સાથે આંદોલન કરવા માટે સાબરકાંઠાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણકારી આપી હતી. જો કે આંદોલન મામલે કોઈ અવાજ પ્રશાસન સુધી નહીં પહોંચતા આંગણવાડી મહિલા કર્મચારીઓને આંદોલનનો રસ્તો પકડવો પડ્યો હતો. વિરોધના ભાગ રૂપે બહેનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી માગ નહીં સ્વિકારવામાં આવે ત્યાં સુધી આંગણવાડી પર હાજર નહીં રહે. 4 હજાર જેટલી આંગણવાડી મહિલા અને તેડાઘર કાર્યકર બહેનોએ કામથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 


ગુજરાત વિધાનસભાની ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે અને અનેક વિભાગના લોકો આંદોલનનો માર્ગ પકડ્યો હતો. માલધારી, પોલીસ, ઈન્ટર્ન ડોક્ટર્સ, ખેડૂતોનું કિસાન સંઘ અને ગ્રામ પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પણ વિરોધ નોંધાવી ચૂક્યા છે. આગળ હવે સરકાર તેમની માગ સ્વિકારશે કે કેમ તે જોવાનું રહેશે.  

  



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.