સાબરકાંઠાની આંગણવાડીઓ પર કેમ લટકે છે તાળા?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 09:52:02

Story- સમીર પરમાર 


ગુજરાત સરકાર પાસે અનેક વિભાગના લોકો માગણી સાથે હડતાળ કરી રહ્યા છે. સાબરકાંઠાની આંગણવાડીમાં કામ કરતી મહિલા કર્મચારીઓ પણ પોતાની પડતર માગણીઓ સ્વિકારવા માટે હડતાળ પર ઉતરી ગઈ છે. હડતાળમાં વિરોધ કરવા માટે આંગણવાડી વિભાગની બહેનોએ આંગણવાડી પર તાડા મારી સેવા આપવાની મનાહી કરી દીધી છે. 


શા માટે આંગણવાડી મહિલા કર્મચારી રણચંડી બની?

આંગણવાડીની મહિલા કર્મચારીઓએ છ દિવસ પહેલા 10 જેટલી માગ સાથે આંદોલન કરવા માટે સાબરકાંઠાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણકારી આપી હતી. જો કે આંદોલન મામલે કોઈ અવાજ પ્રશાસન સુધી નહીં પહોંચતા આંગણવાડી મહિલા કર્મચારીઓને આંદોલનનો રસ્તો પકડવો પડ્યો હતો. વિરોધના ભાગ રૂપે બહેનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી માગ નહીં સ્વિકારવામાં આવે ત્યાં સુધી આંગણવાડી પર હાજર નહીં રહે. 4 હજાર જેટલી આંગણવાડી મહિલા અને તેડાઘર કાર્યકર બહેનોએ કામથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 


ગુજરાત વિધાનસભાની ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે અને અનેક વિભાગના લોકો આંદોલનનો માર્ગ પકડ્યો હતો. માલધારી, પોલીસ, ઈન્ટર્ન ડોક્ટર્સ, ખેડૂતોનું કિસાન સંઘ અને ગ્રામ પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પણ વિરોધ નોંધાવી ચૂક્યા છે. આગળ હવે સરકાર તેમની માગ સ્વિકારશે કે કેમ તે જોવાનું રહેશે.  

  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.