આંદોલન કરી રહેલી આંગણવાડી બહેનોને સરકારની નોટિસ, ફરજ પર જોડાઓ નહીંતર...


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 11:06:14

વિધાનસભા ચૂંટણી પહેલા જ સરકાર વિરોધી કર્મચારી આંદોલનો જોર પકડી રહ્યા છે. એક પછી એક તમામ સરકારી વિભાગોના કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવતા સરકારની સ્થિતી કફોડી બની છે. સરકાર કોઈ પણ ભોગે આદોલનોની આગને ઠારવા પ્રયાસો કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યની આંગણવાડી બહેનો દ્વારા પડતર માગણીને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. 


આંગણવાડી બહેનોને નોટિસ


પોતાની પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતરેલી આંગણવાડી બહેનોને સરકારે નોટિસ ફટકારી છે. સરકારે નોટિસ દ્વારા આંગણવાડી બહેનોને તાત્કાલિક ફરજ પર જોડાવાનું કહ્યું છે અને જો આંગણવાડીકર્મીઓ નોટિસનું પાલન નહી કરવા પર તેમની સેવા સમાપ્ત કરવામાં આવશે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે હડતાળ પર ઉતરેલી બહેનોને મોકલી નોટિસ ફટકારી કહ્યું કે આંગણવાડી અને તેડાગર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેના કારણે આંગણવાડીમાં બાળકોના નાસ્તાની, સગર્ભા મહિલાઓના આરોગ્ય તથા ટી.એચ.આરનું વિતરણ સહિત અન્ય સરકારી કામગીરી ખોરવાઈ ગઈ છે. એવામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે હડતાળ પરની બહેનોને નોટિસ આપી છે. જે મુજબ તેમને તાત્કાલિક ફરજ પર જોડાવવા માટે કહેવાયું છે અને આમ ન કરવા પર તેમની સેવા સમાપ્ત કરવામાં આવશે.


આંગણવાડી બહેનોની પડતર માંગણીઓ શું છે ?


આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવા અને લાગુ પડતી કેટેગરીમાં ગોઠવી સામાજીક સુરક્ષા આપવી


આંગણવાડી કર્મચારીઓને ઓછામાં ઓછું વેતન કાર્યકરને રૂ.18000 તથા હેલ્પરને રૂ.9000 પ્રતિ માસ ચૂકવવામાં આવે. 

મીની આંગણવાડીના કર્મચારીઓને પણ આ રીતે વેતન ચુકવવામાં આવે.


નવી શિક્ષણ નિતી અંતર્ગત દેશના તમામ કેન્દ્રોને પ્રાથમિક પાઠશાળા તરીકે માન્યતા આપી તેમાં કામ કરતા કાર્યકરને 

પૂર્વ પ્રાથમિક શિક્ષીકા તથા હેલ્પરને પૂર્વ પ્રાથમિક સહાયક શિક્ષિકા તરીકે હોદ્દો આપવાની નિતિ બનાવવામાં આવે.


આંગણવાડીમાં કામ કરતા તમામ કર્મચારીઓને પી.એફ. પેન્શન, ગ્રેજ્યુઈટી તથા મેડીકલ સુવિધા આપવામાં આવે.


આંગણવાડી કર્મચારીઓને પણ સરકારી કર્મચારીઓની માફક જ પરચુરણર જા, હક્ક રજા, માંદગીની રજા તથા તહેવારોની રજા આપવામાં આવે.


આંગણવાડી કાર્યકર/હેલ્પરને ઉંમરનો બાધ હઠાવી 100% જગ્યા સીનિયોરીટી મુજબ પ્રમોશનથી ભરવામાં આવે.



આંગણવાડી બહેનોના સમર્થનમાં જીગ્નેશ મેવાણીએ યોજી હતી રેલી

 

આંગણવાડી બહેનોની પડતર માંગણીઓને  લઈ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ ઝંપલાવ્યું છે.ગઈકાલે જ જીગ્નેશ મેવાણીએ 300 જેટલી આંગણવાડી બહેનો સાથે વડગામથી પાલનપુર સુધી રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. સાથે જ તેમણે માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.