આંદોલન કરી રહેલી આંગણવાડી બહેનોને સરકારની નોટિસ, ફરજ પર જોડાઓ નહીંતર...


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 11:06:14

વિધાનસભા ચૂંટણી પહેલા જ સરકાર વિરોધી કર્મચારી આંદોલનો જોર પકડી રહ્યા છે. એક પછી એક તમામ સરકારી વિભાગોના કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવતા સરકારની સ્થિતી કફોડી બની છે. સરકાર કોઈ પણ ભોગે આદોલનોની આગને ઠારવા પ્રયાસો કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યની આંગણવાડી બહેનો દ્વારા પડતર માગણીને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. 


આંગણવાડી બહેનોને નોટિસ


પોતાની પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતરેલી આંગણવાડી બહેનોને સરકારે નોટિસ ફટકારી છે. સરકારે નોટિસ દ્વારા આંગણવાડી બહેનોને તાત્કાલિક ફરજ પર જોડાવાનું કહ્યું છે અને જો આંગણવાડીકર્મીઓ નોટિસનું પાલન નહી કરવા પર તેમની સેવા સમાપ્ત કરવામાં આવશે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે હડતાળ પર ઉતરેલી બહેનોને મોકલી નોટિસ ફટકારી કહ્યું કે આંગણવાડી અને તેડાગર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેના કારણે આંગણવાડીમાં બાળકોના નાસ્તાની, સગર્ભા મહિલાઓના આરોગ્ય તથા ટી.એચ.આરનું વિતરણ સહિત અન્ય સરકારી કામગીરી ખોરવાઈ ગઈ છે. એવામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે હડતાળ પરની બહેનોને નોટિસ આપી છે. જે મુજબ તેમને તાત્કાલિક ફરજ પર જોડાવવા માટે કહેવાયું છે અને આમ ન કરવા પર તેમની સેવા સમાપ્ત કરવામાં આવશે.


આંગણવાડી બહેનોની પડતર માંગણીઓ શું છે ?


આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવા અને લાગુ પડતી કેટેગરીમાં ગોઠવી સામાજીક સુરક્ષા આપવી


આંગણવાડી કર્મચારીઓને ઓછામાં ઓછું વેતન કાર્યકરને રૂ.18000 તથા હેલ્પરને રૂ.9000 પ્રતિ માસ ચૂકવવામાં આવે. 

મીની આંગણવાડીના કર્મચારીઓને પણ આ રીતે વેતન ચુકવવામાં આવે.


નવી શિક્ષણ નિતી અંતર્ગત દેશના તમામ કેન્દ્રોને પ્રાથમિક પાઠશાળા તરીકે માન્યતા આપી તેમાં કામ કરતા કાર્યકરને 

પૂર્વ પ્રાથમિક શિક્ષીકા તથા હેલ્પરને પૂર્વ પ્રાથમિક સહાયક શિક્ષિકા તરીકે હોદ્દો આપવાની નિતિ બનાવવામાં આવે.


આંગણવાડીમાં કામ કરતા તમામ કર્મચારીઓને પી.એફ. પેન્શન, ગ્રેજ્યુઈટી તથા મેડીકલ સુવિધા આપવામાં આવે.


આંગણવાડી કર્મચારીઓને પણ સરકારી કર્મચારીઓની માફક જ પરચુરણર જા, હક્ક રજા, માંદગીની રજા તથા તહેવારોની રજા આપવામાં આવે.


આંગણવાડી કાર્યકર/હેલ્પરને ઉંમરનો બાધ હઠાવી 100% જગ્યા સીનિયોરીટી મુજબ પ્રમોશનથી ભરવામાં આવે.



આંગણવાડી બહેનોના સમર્થનમાં જીગ્નેશ મેવાણીએ યોજી હતી રેલી

 

આંગણવાડી બહેનોની પડતર માંગણીઓને  લઈ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ ઝંપલાવ્યું છે.ગઈકાલે જ જીગ્નેશ મેવાણીએ 300 જેટલી આંગણવાડી બહેનો સાથે વડગામથી પાલનપુર સુધી રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. સાથે જ તેમણે માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .