આંદોલન કરી રહેલી આંગણવાડી બહેનોને સરકારની નોટિસ, ફરજ પર જોડાઓ નહીંતર...


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 11:06:14

વિધાનસભા ચૂંટણી પહેલા જ સરકાર વિરોધી કર્મચારી આંદોલનો જોર પકડી રહ્યા છે. એક પછી એક તમામ સરકારી વિભાગોના કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવતા સરકારની સ્થિતી કફોડી બની છે. સરકાર કોઈ પણ ભોગે આદોલનોની આગને ઠારવા પ્રયાસો કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યની આંગણવાડી બહેનો દ્વારા પડતર માગણીને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. 


આંગણવાડી બહેનોને નોટિસ


પોતાની પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતરેલી આંગણવાડી બહેનોને સરકારે નોટિસ ફટકારી છે. સરકારે નોટિસ દ્વારા આંગણવાડી બહેનોને તાત્કાલિક ફરજ પર જોડાવાનું કહ્યું છે અને જો આંગણવાડીકર્મીઓ નોટિસનું પાલન નહી કરવા પર તેમની સેવા સમાપ્ત કરવામાં આવશે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે હડતાળ પર ઉતરેલી બહેનોને મોકલી નોટિસ ફટકારી કહ્યું કે આંગણવાડી અને તેડાગર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેના કારણે આંગણવાડીમાં બાળકોના નાસ્તાની, સગર્ભા મહિલાઓના આરોગ્ય તથા ટી.એચ.આરનું વિતરણ સહિત અન્ય સરકારી કામગીરી ખોરવાઈ ગઈ છે. એવામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે હડતાળ પરની બહેનોને નોટિસ આપી છે. જે મુજબ તેમને તાત્કાલિક ફરજ પર જોડાવવા માટે કહેવાયું છે અને આમ ન કરવા પર તેમની સેવા સમાપ્ત કરવામાં આવશે.


આંગણવાડી બહેનોની પડતર માંગણીઓ શું છે ?


આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવા અને લાગુ પડતી કેટેગરીમાં ગોઠવી સામાજીક સુરક્ષા આપવી


આંગણવાડી કર્મચારીઓને ઓછામાં ઓછું વેતન કાર્યકરને રૂ.18000 તથા હેલ્પરને રૂ.9000 પ્રતિ માસ ચૂકવવામાં આવે. 

મીની આંગણવાડીના કર્મચારીઓને પણ આ રીતે વેતન ચુકવવામાં આવે.


નવી શિક્ષણ નિતી અંતર્ગત દેશના તમામ કેન્દ્રોને પ્રાથમિક પાઠશાળા તરીકે માન્યતા આપી તેમાં કામ કરતા કાર્યકરને 

પૂર્વ પ્રાથમિક શિક્ષીકા તથા હેલ્પરને પૂર્વ પ્રાથમિક સહાયક શિક્ષિકા તરીકે હોદ્દો આપવાની નિતિ બનાવવામાં આવે.


આંગણવાડીમાં કામ કરતા તમામ કર્મચારીઓને પી.એફ. પેન્શન, ગ્રેજ્યુઈટી તથા મેડીકલ સુવિધા આપવામાં આવે.


આંગણવાડી કર્મચારીઓને પણ સરકારી કર્મચારીઓની માફક જ પરચુરણર જા, હક્ક રજા, માંદગીની રજા તથા તહેવારોની રજા આપવામાં આવે.


આંગણવાડી કાર્યકર/હેલ્પરને ઉંમરનો બાધ હઠાવી 100% જગ્યા સીનિયોરીટી મુજબ પ્રમોશનથી ભરવામાં આવે.



આંગણવાડી બહેનોના સમર્થનમાં જીગ્નેશ મેવાણીએ યોજી હતી રેલી

 

આંગણવાડી બહેનોની પડતર માંગણીઓને  લઈ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ ઝંપલાવ્યું છે.ગઈકાલે જ જીગ્નેશ મેવાણીએ 300 જેટલી આંગણવાડી બહેનો સાથે વડગામથી પાલનપુર સુધી રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. સાથે જ તેમણે માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.