ગુજરાતની સૌથી મોટી વિધાનસભાબેઠક પર ભાજપના કાર્યકર્તાઓમા રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-12 18:22:05


ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે થોડાજ દિવસો બાકી છે ત્યારે ભાજપ એક બાદ એક ઉમેદવારો જાહેર કરે છે આજે ભાજપએ 6 ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં ચોર્યાસી બેઠક થી સંદીપ દેસાઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવતા વિરોધનો સુર ઉઠ્યો છે.ચોર્યાસી વિધાનસભામાં 1.55 લાખ મત કોળી સમાજના છે અને 1 લાખ કરતાં વધુ મત પરપ્રાંતીઓના છે. અનાવિલ સમાજના 3,000થી 3,500 જ મત છે. 

સંદીપ દેસાઈ સુરત જિલ્લા ભાજપના પ્રમુખ અને સુરત APMCમાં ઉપપ્રમુખ છે. ડિસ્ટ્રીક બેંકમાં પણ તેઓ ચેરમેનનું પદ ભોગવી રહ્યા હોવા છતાં તેમને ઉમેદવાર તરીકે પાર્ટીએ પસંદ કરવામાં આવતા વિવાદ સર્જાયો.


ઝંખના પટેલની ટિકિટ કપાતા કાર્યકર્તાઓમા રોષ !

ભાજપની પાર્લામેન્ટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે સંગઠનમાં કોઈપણ હોદ્દો ભોગવી રહેલા વ્યક્તિને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત એક મહાનગરમાંથી બે મહિલા ઉમેદવારોને ટિકિટ આપવાની વાત પણ ચર્ચાઇ રહી હતી. આ ઉપરાંત એક લોકસભા વિસ્તારમાંથી એક જ સમાજમાંથી આવતા બે ઉમેદવારોને ટિકિટ ન આપવાની વાત પણ ચર્ચાઇ રહી હતી. જોકે ચોર્યાસી વિધાનસભા બેઠકના ઉમેદવારને જાહેર કરવામાં આ તમામ મુદ્દાઓને ધ્યાને લેવામાં ન આવ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે, નવસારી લોકસભામાંથી પિયુષ દેસાઈની ટિકિટ કાપીને રાકેશ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. નવસારીની લોકસભા બેઠકમાં આવતા વિસ્તારમાંથી ઝંખના પટેલ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. પરંતુ સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી અને ઝંખના પટેલની ટિકિટ કપાતા રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ બેઠક પર કોકડું ગુંચવાયી હતું પરંતુ આજે ઉમેદવાર જાહેર કરતા આ બેઠક પર વિવાદનો મધપૂડો ઉભો થયો છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"