ગુજરાતની સૌથી મોટી વિધાનસભાબેઠક પર ભાજપના કાર્યકર્તાઓમા રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-12 18:22:05


ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે થોડાજ દિવસો બાકી છે ત્યારે ભાજપ એક બાદ એક ઉમેદવારો જાહેર કરે છે આજે ભાજપએ 6 ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં ચોર્યાસી બેઠક થી સંદીપ દેસાઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવતા વિરોધનો સુર ઉઠ્યો છે.ચોર્યાસી વિધાનસભામાં 1.55 લાખ મત કોળી સમાજના છે અને 1 લાખ કરતાં વધુ મત પરપ્રાંતીઓના છે. અનાવિલ સમાજના 3,000થી 3,500 જ મત છે. 

સંદીપ દેસાઈ સુરત જિલ્લા ભાજપના પ્રમુખ અને સુરત APMCમાં ઉપપ્રમુખ છે. ડિસ્ટ્રીક બેંકમાં પણ તેઓ ચેરમેનનું પદ ભોગવી રહ્યા હોવા છતાં તેમને ઉમેદવાર તરીકે પાર્ટીએ પસંદ કરવામાં આવતા વિવાદ સર્જાયો.


ઝંખના પટેલની ટિકિટ કપાતા કાર્યકર્તાઓમા રોષ !

ભાજપની પાર્લામેન્ટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે સંગઠનમાં કોઈપણ હોદ્દો ભોગવી રહેલા વ્યક્તિને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત એક મહાનગરમાંથી બે મહિલા ઉમેદવારોને ટિકિટ આપવાની વાત પણ ચર્ચાઇ રહી હતી. આ ઉપરાંત એક લોકસભા વિસ્તારમાંથી એક જ સમાજમાંથી આવતા બે ઉમેદવારોને ટિકિટ ન આપવાની વાત પણ ચર્ચાઇ રહી હતી. જોકે ચોર્યાસી વિધાનસભા બેઠકના ઉમેદવારને જાહેર કરવામાં આ તમામ મુદ્દાઓને ધ્યાને લેવામાં ન આવ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે, નવસારી લોકસભામાંથી પિયુષ દેસાઈની ટિકિટ કાપીને રાકેશ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. નવસારીની લોકસભા બેઠકમાં આવતા વિસ્તારમાંથી ઝંખના પટેલ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. પરંતુ સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી અને ઝંખના પટેલની ટિકિટ કપાતા રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ બેઠક પર કોકડું ગુંચવાયી હતું પરંતુ આજે ઉમેદવાર જાહેર કરતા આ બેઠક પર વિવાદનો મધપૂડો ઉભો થયો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.