ગુજરાતની સૌથી મોટી વિધાનસભાબેઠક પર ભાજપના કાર્યકર્તાઓમા રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-12 18:22:05


ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે થોડાજ દિવસો બાકી છે ત્યારે ભાજપ એક બાદ એક ઉમેદવારો જાહેર કરે છે આજે ભાજપએ 6 ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં ચોર્યાસી બેઠક થી સંદીપ દેસાઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવતા વિરોધનો સુર ઉઠ્યો છે.ચોર્યાસી વિધાનસભામાં 1.55 લાખ મત કોળી સમાજના છે અને 1 લાખ કરતાં વધુ મત પરપ્રાંતીઓના છે. અનાવિલ સમાજના 3,000થી 3,500 જ મત છે. 

સંદીપ દેસાઈ સુરત જિલ્લા ભાજપના પ્રમુખ અને સુરત APMCમાં ઉપપ્રમુખ છે. ડિસ્ટ્રીક બેંકમાં પણ તેઓ ચેરમેનનું પદ ભોગવી રહ્યા હોવા છતાં તેમને ઉમેદવાર તરીકે પાર્ટીએ પસંદ કરવામાં આવતા વિવાદ સર્જાયો.


ઝંખના પટેલની ટિકિટ કપાતા કાર્યકર્તાઓમા રોષ !

ભાજપની પાર્લામેન્ટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે સંગઠનમાં કોઈપણ હોદ્દો ભોગવી રહેલા વ્યક્તિને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત એક મહાનગરમાંથી બે મહિલા ઉમેદવારોને ટિકિટ આપવાની વાત પણ ચર્ચાઇ રહી હતી. આ ઉપરાંત એક લોકસભા વિસ્તારમાંથી એક જ સમાજમાંથી આવતા બે ઉમેદવારોને ટિકિટ ન આપવાની વાત પણ ચર્ચાઇ રહી હતી. જોકે ચોર્યાસી વિધાનસભા બેઠકના ઉમેદવારને જાહેર કરવામાં આ તમામ મુદ્દાઓને ધ્યાને લેવામાં ન આવ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે, નવસારી લોકસભામાંથી પિયુષ દેસાઈની ટિકિટ કાપીને રાકેશ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. નવસારીની લોકસભા બેઠકમાં આવતા વિસ્તારમાંથી ઝંખના પટેલ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. પરંતુ સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી અને ઝંખના પટેલની ટિકિટ કપાતા રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ બેઠક પર કોકડું ગુંચવાયી હતું પરંતુ આજે ઉમેદવાર જાહેર કરતા આ બેઠક પર વિવાદનો મધપૂડો ઉભો થયો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.