GETCOની ભરતી પ્રક્રિયા રદ્દ થતા પરીક્ષાર્થીઓમાં રોષ, Vadodara ખાતે Yuvrajsinhની હાજરીમાં ઉમેદવારોએ ઉચ્ચારી ચીમકી કે..


  • Published By :
  • Published Date : 2023-12-21 13:24:30

જેટકોની વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા રદ્દ થતા ઉમેદવારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ભરતી પ્રક્રિયા રદ્દ થવાને કારણે મેરિટમાં આવેલા પરીક્ષાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા ખાતે પરીક્ષાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ત્યાં હાજર છે. વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓએ ચીમકી આપી કે તેઓ ઉર્જામંત્રીના ઘરનો ઘેરાવો કરશે. ગેરરીતિ કરનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ.  



યુવરાજસિંહની આગેવાનીમાં પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે વિરોધ

ગુજરાતમાં પરીક્ષાઓ રદ્દ થવી, ભરતી પ્રક્રિયા રદ્દ થવી સામાન્ય બની ગયું છે. અનેક ભરતી પ્રક્રિયા , પરીક્ષા રદ્દ થાય છે ત્યારે યુવાનોના સપના તૂટી જાય છે. ત્યારે વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ્દ થઈ છે જેના વિરોધમાં વિદ્યાર્થીઓ વડોદરા પહોંચ્યા છે. 1200 જેટલા વિદ્યાર્થીઓ વડોદરા ખાતે પહોંચ્યા છે અને હોબાળો કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ હાજર છે. જેટકો ઓફિસ ખાતે પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. કચેરીના ગેટની બહાર બેસી પરીક્ષાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે.   

  





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.