GETCOની ભરતી પ્રક્રિયા રદ્દ થતા પરીક્ષાર્થીઓમાં રોષ, Vadodara ખાતે Yuvrajsinhની હાજરીમાં ઉમેદવારોએ ઉચ્ચારી ચીમકી કે..


  • Published By :
  • Published Date : 2023-12-21 13:24:30

જેટકોની વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા રદ્દ થતા ઉમેદવારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ભરતી પ્રક્રિયા રદ્દ થવાને કારણે મેરિટમાં આવેલા પરીક્ષાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા ખાતે પરીક્ષાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ત્યાં હાજર છે. વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓએ ચીમકી આપી કે તેઓ ઉર્જામંત્રીના ઘરનો ઘેરાવો કરશે. ગેરરીતિ કરનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ.  



યુવરાજસિંહની આગેવાનીમાં પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે વિરોધ

ગુજરાતમાં પરીક્ષાઓ રદ્દ થવી, ભરતી પ્રક્રિયા રદ્દ થવી સામાન્ય બની ગયું છે. અનેક ભરતી પ્રક્રિયા , પરીક્ષા રદ્દ થાય છે ત્યારે યુવાનોના સપના તૂટી જાય છે. ત્યારે વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ્દ થઈ છે જેના વિરોધમાં વિદ્યાર્થીઓ વડોદરા પહોંચ્યા છે. 1200 જેટલા વિદ્યાર્થીઓ વડોદરા ખાતે પહોંચ્યા છે અને હોબાળો કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ હાજર છે. જેટકો ઓફિસ ખાતે પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. કચેરીના ગેટની બહાર બેસી પરીક્ષાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે.   

  





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.