અનિલ અંબાણીની આ કંપની પણ ડૂબી, ટ્રેડિંગ બંધ ગયું, પ્રોપર્ટીઝ વેચવા માટે NCLTની લીલી ઝંડી


  • Published By :
  • Published Date : 2023-12-14 19:02:27

અનિલ અંબાણી (Anil Ambani)સતત આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં રિલાયન્સ કેપિટલ  (Reliance Capital)ના વેચાણ માટે પણ બોલી લગાવવામાં આવી હતી. હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ અન્ય નાદાર કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન(Reliance Communication)ની કેટલીક રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના વેચાણને મંજૂરી આપી છે. અનિલ અંબાણીની કંપનીએ આ માહિતી શેરબજારને આપી છે. રિલાયન્સ કોમ્યુનિકેશને જણાવ્યું હતું કે કંપનીના રિઝોલ્યુશન પ્રોફેશનલ દ્વારા અરજીના મામલે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ મુંબઈ બેંચનો આદેશ જોડવામાં આવ્યો હતો, જેમાં કંપનીની કેટલીક બિનજરૂરી સંપત્તિના વેચાણ માટે NCLT પાસેથી મંજૂરી માંગવામાં આવી હતી. હવે NCLTએ તેને મંજૂરી આપી દીધી છે.


રિલાયન્સ કોમ્યુનિકેશનની કઈ સંપત્તિ વેચાશે?


વેચાણ માટે રિલાયન્સ કોમ્યુનિકેશનની અસ્કયામતોમાં ચેન્નાઈમાં હેડો ઓફિસનો સમાવેશ થાય છે. આ સિવાય ચેન્નાઈમાં લગભગ 3.44 એકર જમીન છે. આ ઉપરાંત પુણેમાં 871 ચોરસ મીટરમાં ફેલાયેલ ભુવનેશ્વરમાં ઓફિસનું સ્થળ પણ વેચવામાં આવશે. કેમ્પિયન પ્રોપર્ટીઝના શેરમાં રોકાણ અને રિલાયન્સ રિયલ્ટીના શેરમાં રોકાણ પણ વેચવામાં આવશે.

Image

શેરબજારમાં ટ્રેડિંગ બંધ


શેરબજારમાં રિલાયન્સ કોમ્યુનિકેશનનું ટ્રેડિંગ બંધ થઈ ચુક્યું છે. તેના શેરનું ટ્રેડિંગ લાંબા સમયથી રૂ. 2.49ના ભાવ પર બંધ છે. BSE પર તેના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 11 જાન્યુઆરી, 2008ના રોજ આ કંપનીના શેર રૂ. 800 પ્રતિ શેરના ભાવે ટ્રેડ થતા હતા, પરંતુ હવે તે રૂ. 2.49 પર બંધ છે. આ રીતે તેના શેરમાં 99 ટકાથી વધુનો ઘટાડો થઈ ચુક્યો છે.


કંપની કેમ ડૂબી ગઈ?


મુકેશ અંબાણી (Mukesh Ambani)એ વર્ષ 2016માં રિલાયન્સ જિયોની શરૂઆત કરી હતી. તે પછી મોટાભાગના લોકો રિલાયન્સ જિયોની સર્વિસ તરફ શિફ્ટ થવા લાગ્યા હતા. ત્યારે જ રિલાયન્સ કોમ્યુનિકેશનના યુઝર્સમાં તીવ્ર ઘટાડો થવા લાગ્યો હતો અને થોડા જ સમયમાં લોકો રિલાયન્સ કોમ્યુનિકેશનમાંથી સંપૂર્ણપણે પાછા હટી ગયા હતા, જેથી કંપની ડૂબી ગઈ હતી.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.