અનિલ અંબાણીની આ કંપની પણ ડૂબી, ટ્રેડિંગ બંધ ગયું, પ્રોપર્ટીઝ વેચવા માટે NCLTની લીલી ઝંડી


  • Published By :
  • Published Date : 2023-12-14 19:02:27

અનિલ અંબાણી (Anil Ambani)સતત આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં રિલાયન્સ કેપિટલ  (Reliance Capital)ના વેચાણ માટે પણ બોલી લગાવવામાં આવી હતી. હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ અન્ય નાદાર કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન(Reliance Communication)ની કેટલીક રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના વેચાણને મંજૂરી આપી છે. અનિલ અંબાણીની કંપનીએ આ માહિતી શેરબજારને આપી છે. રિલાયન્સ કોમ્યુનિકેશને જણાવ્યું હતું કે કંપનીના રિઝોલ્યુશન પ્રોફેશનલ દ્વારા અરજીના મામલે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ મુંબઈ બેંચનો આદેશ જોડવામાં આવ્યો હતો, જેમાં કંપનીની કેટલીક બિનજરૂરી સંપત્તિના વેચાણ માટે NCLT પાસેથી મંજૂરી માંગવામાં આવી હતી. હવે NCLTએ તેને મંજૂરી આપી દીધી છે.


રિલાયન્સ કોમ્યુનિકેશનની કઈ સંપત્તિ વેચાશે?


વેચાણ માટે રિલાયન્સ કોમ્યુનિકેશનની અસ્કયામતોમાં ચેન્નાઈમાં હેડો ઓફિસનો સમાવેશ થાય છે. આ સિવાય ચેન્નાઈમાં લગભગ 3.44 એકર જમીન છે. આ ઉપરાંત પુણેમાં 871 ચોરસ મીટરમાં ફેલાયેલ ભુવનેશ્વરમાં ઓફિસનું સ્થળ પણ વેચવામાં આવશે. કેમ્પિયન પ્રોપર્ટીઝના શેરમાં રોકાણ અને રિલાયન્સ રિયલ્ટીના શેરમાં રોકાણ પણ વેચવામાં આવશે.

Image

શેરબજારમાં ટ્રેડિંગ બંધ


શેરબજારમાં રિલાયન્સ કોમ્યુનિકેશનનું ટ્રેડિંગ બંધ થઈ ચુક્યું છે. તેના શેરનું ટ્રેડિંગ લાંબા સમયથી રૂ. 2.49ના ભાવ પર બંધ છે. BSE પર તેના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 11 જાન્યુઆરી, 2008ના રોજ આ કંપનીના શેર રૂ. 800 પ્રતિ શેરના ભાવે ટ્રેડ થતા હતા, પરંતુ હવે તે રૂ. 2.49 પર બંધ છે. આ રીતે તેના શેરમાં 99 ટકાથી વધુનો ઘટાડો થઈ ચુક્યો છે.


કંપની કેમ ડૂબી ગઈ?


મુકેશ અંબાણી (Mukesh Ambani)એ વર્ષ 2016માં રિલાયન્સ જિયોની શરૂઆત કરી હતી. તે પછી મોટાભાગના લોકો રિલાયન્સ જિયોની સર્વિસ તરફ શિફ્ટ થવા લાગ્યા હતા. ત્યારે જ રિલાયન્સ કોમ્યુનિકેશનના યુઝર્સમાં તીવ્ર ઘટાડો થવા લાગ્યો હતો અને થોડા જ સમયમાં લોકો રિલાયન્સ કોમ્યુનિકેશનમાંથી સંપૂર્ણપણે પાછા હટી ગયા હતા, જેથી કંપની ડૂબી ગઈ હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.