અનિરુદ્ધસિંહ જાડેજાને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરાયા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-05 18:35:33

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.  હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ કરવામાં આવી હતી. જે કારણે તેઓ જૂનાગઢ જેલમાં બંધ હતા હવે તેમને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવતા રાજકીય ગલિયારાઓમાં ચર્ચા શરુ થઇ ગઈ છે. 

Anirudhsinh Jadeja Surrenders in Popat Sorathiya Case ...

અનિરુદ્ધસિંહ જાડેજાની ૨૦૨૫ના વર્ષમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી. આ પછી અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા તેમ છતાં , સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહત નહોતી મળી. આ પછી , અનિરુદ્ધસિંહ જાડેજાએ આ કેસમાં સરેન્ડર થવું પડ્યું હતું.  આ પછી તેમની અમિત ખૂંટ કેસમાં પણ અટકાયત કરવામાં આવી હતી. તેમના પોલીસ દ્વારા રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા.  વાત કરીએ , અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ રીબડાની તો , અમિત ખૂંટ કેસમાં તેમના જાન્યુઆરી ૨૦૨૬માં જામીન મંજુર થઇ જતા તેઓ જેલમાંથી બહાર આવી ગયા હતા.  રાજદીપસિંહ જાડેજાએ નવેમ્બર ૨૦૨૫માં આ કેસને લઇને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. અમિત ખૂંટ કેસમાં તે છેલ્લા પાંચથી છ મહિનાથી ફરાર હતા. અમિત ખુટ પાસેથી મળેલી નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો. આ સુસાઇડ નોટના આધારે, પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાયા બાદથી રાજદીપસિંહ જાડેજા ફરાર હતો. તેમણે ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, બંને કોર્ટોએ તેમની અરજી ફગાવી દીધી હતી.

વાત કરીએ , રાજકોટના ખુબ ચર્ચિત અમિત ખૂંટ કેસની તો રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ  3 મેના રોજ રીબડાનાં અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં જીવન ટૂંકાવ્યું હતું . ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે 'મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.' મૃતક અમિત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાનાં ક્ષત્રિય આગેવાન અનિરૂદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.



મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.