અનિરુદ્ધસિંહ જાડેજાને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરાયા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-05 18:35:33

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.  હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ કરવામાં આવી હતી. જે કારણે તેઓ જૂનાગઢ જેલમાં બંધ હતા હવે તેમને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવતા રાજકીય ગલિયારાઓમાં ચર્ચા શરુ થઇ ગઈ છે. 

Anirudhsinh Jadeja Surrenders in Popat Sorathiya Case ...

અનિરુદ્ધસિંહ જાડેજાની ૨૦૨૫ના વર્ષમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી. આ પછી અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા તેમ છતાં , સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહત નહોતી મળી. આ પછી , અનિરુદ્ધસિંહ જાડેજાએ આ કેસમાં સરેન્ડર થવું પડ્યું હતું.  આ પછી તેમની અમિત ખૂંટ કેસમાં પણ અટકાયત કરવામાં આવી હતી. તેમના પોલીસ દ્વારા રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા.  વાત કરીએ , અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ રીબડાની તો , અમિત ખૂંટ કેસમાં તેમના જાન્યુઆરી ૨૦૨૬માં જામીન મંજુર થઇ જતા તેઓ જેલમાંથી બહાર આવી ગયા હતા.  રાજદીપસિંહ જાડેજાએ નવેમ્બર ૨૦૨૫માં આ કેસને લઇને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. અમિત ખૂંટ કેસમાં તે છેલ્લા પાંચથી છ મહિનાથી ફરાર હતા. અમિત ખુટ પાસેથી મળેલી નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો. આ સુસાઇડ નોટના આધારે, પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાયા બાદથી રાજદીપસિંહ જાડેજા ફરાર હતો. તેમણે ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, બંને કોર્ટોએ તેમની અરજી ફગાવી દીધી હતી.

વાત કરીએ , રાજકોટના ખુબ ચર્ચિત અમિત ખૂંટ કેસની તો રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ  3 મેના રોજ રીબડાનાં અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં જીવન ટૂંકાવ્યું હતું . ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે 'મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.' મૃતક અમિત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાનાં ક્ષત્રિય આગેવાન અનિરૂદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.