પતિ અને બે બાળકોને છોડી પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચેલી અંજુ મીડિયામાં છવાઈ, જાણો તેણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-26 21:20:22

પાકિસ્તાનની સીમા હૈદરની ચર્ચા ભારતીય મીડિયામાં ચાલી તે જ રીતે ભારતની અંજુ વિશે પણ પાકિસ્તાનમાં ચર્ચા ચાલી રહી છે. વિગતવાર વાત કરીએ સીમાની જેમ પ્રેમમાં સરહદ પાર કરનાર અંજુ વિશે પાકિસ્તાનમાં શું ચર્ચા ચાલી રહી છે. ભારતની અંજુ હાલ પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચી છે અને તે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના અપર દીરમાં પહોંચી છે. ભારતની ટીવી મીડિયા સીમાના ઈન્ટરવ્યૂ લઈ રહ્યું હતું તે જ પ્રકારે પાકિસ્તાનની મીડિયા અંજુના ઈન્ટરવ્યૂ લઈ રહ્યું છે. એક પાકિસ્તાની ટીવીએ ઈન્ટરવ્યૂ લીધું જેમાં અંજુ કહી રહી છે કે તેનો પરિવાર તેના બાળકોને હેરાન ન કરે. જો કે તેણે તમામ ભારતવાસીઓને પણ કહ્યું છે કે તેમના પરિવારને અને તેમના પતિને બદનામ ન કરે. પાકિસ્તાનના અમુક અધિકારીઓ કહી રહ્યા છે કે અંજુએ નસરુલ્લા સાથે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લગ્ન કરી લીધા છે અને તે ઈસ્લામ ધર્મમાં આવી ગઈ છે. હવે અંજુનું નામ ફાતિમા રાખી દેવામાં આવ્યું છે. અલગ અલગ મીડિયા પણ અલગ અલગ વાતો કરી રહ્યું છે. પાકિસ્તાની વેબસાઈડ ધ ન્યૂઝ કહી રહ્યું છે ભારતીય મહિલાએ પાકિસ્તાની દોસ્ત સાથે લગ્ન કરી લીધા છે. અમુક વેબસાઈટ કહી રહી છે કે અંજુ અને નસરુલ્લાએ અપર દીરની એક અદાલતમાં મંગળવારે લગ્ન કરી લીધા છે. પાકિસ્તાન ટુડેએ લખ્યું છે કે ભારતીય મહિલાએ પાકિસ્તાની દોસ્ત સાથે લગ્ન કરી લીધા છે અને અંજુએ ઈસ્લામ સ્વીકારી લીધો છે. તો ચાલો આપણે જાણીએ કે પાકિસ્તાની મીડિયા અંજુ વિશે શું લખી રહ્યું છે. 


એક્સપ્રેસ ટ્રિબ્યુન


એક પાકિસ્તાની સમાચાર પત્ર એક્સપ્રેસ ટ્રિબ્યુન કહી રહ્યું છે કે અંજુ ઈસાઈ હતી અને હવે મુસ્લીમ થઈ ગઈ છે. આ સમાચાર પત્રના રિપોર્ટરે અંજુ સાથે વાત કરી તો અંજુએ કહ્યું છે કે હું અહીં વિઝા મારફતે આવી છું અને કાયદેસર રીતે આવી છું. વિઝા લેતા મને ત્રણ વર્ષ લાગી ગયા છે. હું અહીં સુરક્ષિત છું અને ખુશ છું. નસરુલ્લાના પરિવારે મને જેટલી આશા હતી એનાથી વધારે માન આપ્યું છે. ભારતીય મીડિયાએ મારા પરિવારને હેરાન ન કરવો જોઈએ, હું જલ્દી જ ભારત આવીશ. 


ધ ન્યૂઝ


ધ ન્યૂઝ નામની ઈન્ટરનેશલ વેબસાઈટે લખ્યું છે કે અમુક દિવસ પહેલા પાકિસ્તાનની મહિલા સરહદ પાર કરીને પ્રેમીને મળવા પહોંચી હતી જ્યાં ભારતીય એજન્સીએ તેને હેરાન કરી હતી. અંજુની તપાસ કરી લેવામાં આવી છે, તેને હેરાન નથી કરવામાં આવી. 


ધ નેશન  


પાકિસ્તાની વેબસાઈટ ધ નેશને લખ્યું છે કે પૂરા પાકિસ્તાનમાં ભલે કહેવામાં આવતું હોય કે નસીરુલ્લા અને સીમાએ લગ્ન કરી લીધા પરંતુ નસીરુલ્લાએ લગ્ન કર્યા કે નહીં તેવું તેને પૂછવામાં આવ્યું તો તેણે ના પાડી હતી. 


બીબીસી પાકિસ્તાન 


બીબીસી પાકિસ્તાન કહી રહ્યું છે કે જ્યારે અમે અંજુ સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું છે કે મને ઈસ્લામ સ્વીકારવા માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. જો કે તે લગ્ન કરવા માટે ઈસ્લામ સ્વીકારવાના હકમાં નથી તેવું પણ જણાવ્યું હતું. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.