પતિ અને બે બાળકોને છોડી પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચેલી અંજુ મીડિયામાં છવાઈ, જાણો તેણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-26 21:20:22

પાકિસ્તાનની સીમા હૈદરની ચર્ચા ભારતીય મીડિયામાં ચાલી તે જ રીતે ભારતની અંજુ વિશે પણ પાકિસ્તાનમાં ચર્ચા ચાલી રહી છે. વિગતવાર વાત કરીએ સીમાની જેમ પ્રેમમાં સરહદ પાર કરનાર અંજુ વિશે પાકિસ્તાનમાં શું ચર્ચા ચાલી રહી છે. ભારતની અંજુ હાલ પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચી છે અને તે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના અપર દીરમાં પહોંચી છે. ભારતની ટીવી મીડિયા સીમાના ઈન્ટરવ્યૂ લઈ રહ્યું હતું તે જ પ્રકારે પાકિસ્તાનની મીડિયા અંજુના ઈન્ટરવ્યૂ લઈ રહ્યું છે. એક પાકિસ્તાની ટીવીએ ઈન્ટરવ્યૂ લીધું જેમાં અંજુ કહી રહી છે કે તેનો પરિવાર તેના બાળકોને હેરાન ન કરે. જો કે તેણે તમામ ભારતવાસીઓને પણ કહ્યું છે કે તેમના પરિવારને અને તેમના પતિને બદનામ ન કરે. પાકિસ્તાનના અમુક અધિકારીઓ કહી રહ્યા છે કે અંજુએ નસરુલ્લા સાથે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લગ્ન કરી લીધા છે અને તે ઈસ્લામ ધર્મમાં આવી ગઈ છે. હવે અંજુનું નામ ફાતિમા રાખી દેવામાં આવ્યું છે. અલગ અલગ મીડિયા પણ અલગ અલગ વાતો કરી રહ્યું છે. પાકિસ્તાની વેબસાઈડ ધ ન્યૂઝ કહી રહ્યું છે ભારતીય મહિલાએ પાકિસ્તાની દોસ્ત સાથે લગ્ન કરી લીધા છે. અમુક વેબસાઈટ કહી રહી છે કે અંજુ અને નસરુલ્લાએ અપર દીરની એક અદાલતમાં મંગળવારે લગ્ન કરી લીધા છે. પાકિસ્તાન ટુડેએ લખ્યું છે કે ભારતીય મહિલાએ પાકિસ્તાની દોસ્ત સાથે લગ્ન કરી લીધા છે અને અંજુએ ઈસ્લામ સ્વીકારી લીધો છે. તો ચાલો આપણે જાણીએ કે પાકિસ્તાની મીડિયા અંજુ વિશે શું લખી રહ્યું છે. 


એક્સપ્રેસ ટ્રિબ્યુન


એક પાકિસ્તાની સમાચાર પત્ર એક્સપ્રેસ ટ્રિબ્યુન કહી રહ્યું છે કે અંજુ ઈસાઈ હતી અને હવે મુસ્લીમ થઈ ગઈ છે. આ સમાચાર પત્રના રિપોર્ટરે અંજુ સાથે વાત કરી તો અંજુએ કહ્યું છે કે હું અહીં વિઝા મારફતે આવી છું અને કાયદેસર રીતે આવી છું. વિઝા લેતા મને ત્રણ વર્ષ લાગી ગયા છે. હું અહીં સુરક્ષિત છું અને ખુશ છું. નસરુલ્લાના પરિવારે મને જેટલી આશા હતી એનાથી વધારે માન આપ્યું છે. ભારતીય મીડિયાએ મારા પરિવારને હેરાન ન કરવો જોઈએ, હું જલ્દી જ ભારત આવીશ. 


ધ ન્યૂઝ


ધ ન્યૂઝ નામની ઈન્ટરનેશલ વેબસાઈટે લખ્યું છે કે અમુક દિવસ પહેલા પાકિસ્તાનની મહિલા સરહદ પાર કરીને પ્રેમીને મળવા પહોંચી હતી જ્યાં ભારતીય એજન્સીએ તેને હેરાન કરી હતી. અંજુની તપાસ કરી લેવામાં આવી છે, તેને હેરાન નથી કરવામાં આવી. 


ધ નેશન  


પાકિસ્તાની વેબસાઈટ ધ નેશને લખ્યું છે કે પૂરા પાકિસ્તાનમાં ભલે કહેવામાં આવતું હોય કે નસીરુલ્લા અને સીમાએ લગ્ન કરી લીધા પરંતુ નસીરુલ્લાએ લગ્ન કર્યા કે નહીં તેવું તેને પૂછવામાં આવ્યું તો તેણે ના પાડી હતી. 


બીબીસી પાકિસ્તાન 


બીબીસી પાકિસ્તાન કહી રહ્યું છે કે જ્યારે અમે અંજુ સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું છે કે મને ઈસ્લામ સ્વીકારવા માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. જો કે તે લગ્ન કરવા માટે ઈસ્લામ સ્વીકારવાના હકમાં નથી તેવું પણ જણાવ્યું હતું. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.