અંજૂના પાકિસ્તાની મિત્રનો મોટો ખુલાસો 'તેની સાથે લગ્નનો કોઈ ઈરાદો નથી, 20 ઓગસ્ટએ ભારત આવશે'


  • Published By :
  • Published Date : 2023-07-24 19:03:07

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. હવે આવી જ એક અન્ય લવ સ્ટોરી ભારતની અંજૂ નામની પરિણીત મહિલાની પણ છે, અંજૂ તેના પાકિસ્તાની મિત્રને મળવા માટે ગઈ છે. અંજૂ વૈધ તેના પાકિસ્તાની મિત્ર નસરૂલ્લાએ મળવા માટે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉપરી દિર જિલ્લામાં પહોંચી ત્યારે દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. અંજૂને ઉપરી દિર જિલ્લા માટે 30 દિવસના વિઝિટ વિઝા મળ્યા છે. જો કે હવે આ મામલે અંજૂના પાકિસ્તાની મિત્રનું નિવેદન આવ્યું  છે જે મુજબ તેણે અંજૂ સાથે પ્રેમ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે. 29 વર્ષીય નસરુલ્લાનું કહેવું છે કે તેમનું 34 વર્ષીય અંજૂ સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી.


વર્ષ 2019માં થઈ હતી ફેશબુક પર દોસ્તી


અંજૂનો જન્મ ઉત્તર પ્રદેશના કૈલોર ગામમાં થયો છે, અને તે રાજસ્થાનના અલવરમાં રહેતી હતી. અંજૂની 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર પણ છે. નસરૂલ્લા અને અંજૂની દોસ્તી વર્ષ 2019માં ફેશબુક દ્વારા થઈ હતી. પેશાવરથી લગભગ 300 કિમી દુર કુલ્સો ગામથી ફોન પર વાતચીત દરમિયાન નસરૂલ્લાને કહ્યું કે " અંજૂ પાકિસ્તાન આવી છે અને અમારી લગ્ન કરવાની કોઈ યોજના નથી, તેમણે કહ્યું કે તે 20 ઓગસ્ટે વીઝાની સમય મર્યાદા પુરી થયા બાદ ભારત પરત ફરશે. અંજૂ મારા ઘરમાં પરિવારની અન્ય મહિલાઓ સાથે જ બીજા રૂમમાં રહે છે."


અંજુ સાથે માત્ર દોસ્તી, કોઈ લવ એન્ગલ નથી- નસરુલ્લા


નસરુલ્લા શેરિંગલ સ્થિત યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન સ્નાતક છે અને પાંચ ભાઈઓમાં સૌથી નાનો છે. તેણે સ્થાનિક અધિકારીઓને આપેલા એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની મિત્રતામાં કોઈ લવ એન્ગલ નથી અને અંજુ 20 ઓગસ્ટે ભારત પરત ફરશે. એફિડેવિટ મુજબ તે ઉપર દીર જિલ્લાની બહાર પણ નહીં જાય. જિલ્લા પોલીસ અધિકારી મુશ્તાકે જણાવ્યું હતું કે, "વિઝા દસ્તાવેજો મુજબ, તે 20 ઓગસ્ટે પરત ફરશે."


નસરુલ્લાએ કહ્યું કે જિલ્લા પ્રશાસને તેમને પૂરતી સુરક્ષા પૂરી પાડી છે અને અંજુ તેના પરિવાર સાથે સુરક્ષિત છે. પશ્તુન પ્રભુત્વ ધરાવતા ગામના લોકો ઇચ્છે છે કે અંજુ સુરક્ષિત રીતે ભારત પરત ફરે કારણ કે તેઓ ઇચ્છતા નથી કે આ ઘટનાથી તેમના સમુદાયની બદનામી થાય. રાજસ્થાનના રહેવાસી અંજુના પતિ અરવિંદે આશા વ્યક્ત કરી છે કે તેમની પત્ની જલ્દી પરત આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.