અંજૂના પાકિસ્તાની મિત્રનો મોટો ખુલાસો 'તેની સાથે લગ્નનો કોઈ ઈરાદો નથી, 20 ઓગસ્ટએ ભારત આવશે'


  • Published By :
  • Published Date : 2023-07-24 19:03:07

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. હવે આવી જ એક અન્ય લવ સ્ટોરી ભારતની અંજૂ નામની પરિણીત મહિલાની પણ છે, અંજૂ તેના પાકિસ્તાની મિત્રને મળવા માટે ગઈ છે. અંજૂ વૈધ તેના પાકિસ્તાની મિત્ર નસરૂલ્લાએ મળવા માટે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉપરી દિર જિલ્લામાં પહોંચી ત્યારે દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. અંજૂને ઉપરી દિર જિલ્લા માટે 30 દિવસના વિઝિટ વિઝા મળ્યા છે. જો કે હવે આ મામલે અંજૂના પાકિસ્તાની મિત્રનું નિવેદન આવ્યું  છે જે મુજબ તેણે અંજૂ સાથે પ્રેમ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે. 29 વર્ષીય નસરુલ્લાનું કહેવું છે કે તેમનું 34 વર્ષીય અંજૂ સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી.


વર્ષ 2019માં થઈ હતી ફેશબુક પર દોસ્તી


અંજૂનો જન્મ ઉત્તર પ્રદેશના કૈલોર ગામમાં થયો છે, અને તે રાજસ્થાનના અલવરમાં રહેતી હતી. અંજૂની 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર પણ છે. નસરૂલ્લા અને અંજૂની દોસ્તી વર્ષ 2019માં ફેશબુક દ્વારા થઈ હતી. પેશાવરથી લગભગ 300 કિમી દુર કુલ્સો ગામથી ફોન પર વાતચીત દરમિયાન નસરૂલ્લાને કહ્યું કે " અંજૂ પાકિસ્તાન આવી છે અને અમારી લગ્ન કરવાની કોઈ યોજના નથી, તેમણે કહ્યું કે તે 20 ઓગસ્ટે વીઝાની સમય મર્યાદા પુરી થયા બાદ ભારત પરત ફરશે. અંજૂ મારા ઘરમાં પરિવારની અન્ય મહિલાઓ સાથે જ બીજા રૂમમાં રહે છે."


અંજુ સાથે માત્ર દોસ્તી, કોઈ લવ એન્ગલ નથી- નસરુલ્લા


નસરુલ્લા શેરિંગલ સ્થિત યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન સ્નાતક છે અને પાંચ ભાઈઓમાં સૌથી નાનો છે. તેણે સ્થાનિક અધિકારીઓને આપેલા એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની મિત્રતામાં કોઈ લવ એન્ગલ નથી અને અંજુ 20 ઓગસ્ટે ભારત પરત ફરશે. એફિડેવિટ મુજબ તે ઉપર દીર જિલ્લાની બહાર પણ નહીં જાય. જિલ્લા પોલીસ અધિકારી મુશ્તાકે જણાવ્યું હતું કે, "વિઝા દસ્તાવેજો મુજબ, તે 20 ઓગસ્ટે પરત ફરશે."


નસરુલ્લાએ કહ્યું કે જિલ્લા પ્રશાસને તેમને પૂરતી સુરક્ષા પૂરી પાડી છે અને અંજુ તેના પરિવાર સાથે સુરક્ષિત છે. પશ્તુન પ્રભુત્વ ધરાવતા ગામના લોકો ઇચ્છે છે કે અંજુ સુરક્ષિત રીતે ભારત પરત ફરે કારણ કે તેઓ ઇચ્છતા નથી કે આ ઘટનાથી તેમના સમુદાયની બદનામી થાય. રાજસ્થાનના રહેવાસી અંજુના પતિ અરવિંદે આશા વ્યક્ત કરી છે કે તેમની પત્ની જલ્દી પરત આવશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.