અંજૂના પાકિસ્તાની મિત્રનો મોટો ખુલાસો 'તેની સાથે લગ્નનો કોઈ ઈરાદો નથી, 20 ઓગસ્ટએ ભારત આવશે'


  • Published By :
  • Published Date : 2023-07-24 19:03:07

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. હવે આવી જ એક અન્ય લવ સ્ટોરી ભારતની અંજૂ નામની પરિણીત મહિલાની પણ છે, અંજૂ તેના પાકિસ્તાની મિત્રને મળવા માટે ગઈ છે. અંજૂ વૈધ તેના પાકિસ્તાની મિત્ર નસરૂલ્લાએ મળવા માટે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉપરી દિર જિલ્લામાં પહોંચી ત્યારે દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. અંજૂને ઉપરી દિર જિલ્લા માટે 30 દિવસના વિઝિટ વિઝા મળ્યા છે. જો કે હવે આ મામલે અંજૂના પાકિસ્તાની મિત્રનું નિવેદન આવ્યું  છે જે મુજબ તેણે અંજૂ સાથે પ્રેમ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે. 29 વર્ષીય નસરુલ્લાનું કહેવું છે કે તેમનું 34 વર્ષીય અંજૂ સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી.


વર્ષ 2019માં થઈ હતી ફેશબુક પર દોસ્તી


અંજૂનો જન્મ ઉત્તર પ્રદેશના કૈલોર ગામમાં થયો છે, અને તે રાજસ્થાનના અલવરમાં રહેતી હતી. અંજૂની 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર પણ છે. નસરૂલ્લા અને અંજૂની દોસ્તી વર્ષ 2019માં ફેશબુક દ્વારા થઈ હતી. પેશાવરથી લગભગ 300 કિમી દુર કુલ્સો ગામથી ફોન પર વાતચીત દરમિયાન નસરૂલ્લાને કહ્યું કે " અંજૂ પાકિસ્તાન આવી છે અને અમારી લગ્ન કરવાની કોઈ યોજના નથી, તેમણે કહ્યું કે તે 20 ઓગસ્ટે વીઝાની સમય મર્યાદા પુરી થયા બાદ ભારત પરત ફરશે. અંજૂ મારા ઘરમાં પરિવારની અન્ય મહિલાઓ સાથે જ બીજા રૂમમાં રહે છે."


અંજુ સાથે માત્ર દોસ્તી, કોઈ લવ એન્ગલ નથી- નસરુલ્લા


નસરુલ્લા શેરિંગલ સ્થિત યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન સ્નાતક છે અને પાંચ ભાઈઓમાં સૌથી નાનો છે. તેણે સ્થાનિક અધિકારીઓને આપેલા એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની મિત્રતામાં કોઈ લવ એન્ગલ નથી અને અંજુ 20 ઓગસ્ટે ભારત પરત ફરશે. એફિડેવિટ મુજબ તે ઉપર દીર જિલ્લાની બહાર પણ નહીં જાય. જિલ્લા પોલીસ અધિકારી મુશ્તાકે જણાવ્યું હતું કે, "વિઝા દસ્તાવેજો મુજબ, તે 20 ઓગસ્ટે પરત ફરશે."


નસરુલ્લાએ કહ્યું કે જિલ્લા પ્રશાસને તેમને પૂરતી સુરક્ષા પૂરી પાડી છે અને અંજુ તેના પરિવાર સાથે સુરક્ષિત છે. પશ્તુન પ્રભુત્વ ધરાવતા ગામના લોકો ઇચ્છે છે કે અંજુ સુરક્ષિત રીતે ભારત પરત ફરે કારણ કે તેઓ ઇચ્છતા નથી કે આ ઘટનાથી તેમના સમુદાયની બદનામી થાય. રાજસ્થાનના રહેવાસી અંજુના પતિ અરવિંદે આશા વ્યક્ત કરી છે કે તેમની પત્ની જલ્દી પરત આવશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.