અંજુ છ મહિના પછી સ્વદેશ પરત ફરી, પાકિસ્તાનમાં નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા બાદ બની ગઈ છે ફાતિમા


  • Published By :
  • Published Date : 2023-11-29 18:59:29

રાજસ્થાનથી પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પરત ફરી છે. તેની એક તસવીર પણ સામે આવી છે. તે વાઘા બોર્ડર થઈને પરત ફરી છે. તે લગભગ છ મહિના પહેલા ભારતથી પાકિસ્તાન પહોંચી હતી. શરૂઆતમાં એવું કહેવાતું હતું કે તે ત્યાં માત્ર ફરવા ગઈ હતી, પરંતુ પછી તેણે તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા હતા. ભારત પહોંચ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ અંજુની પૂછપરછ કરી હતી. આ પછી તેને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવી હતી. અહીંથી તેને દિલ્હીની ફ્લાઈટમાં બેસાડવામાં આવી હતી. આ ફ્લાઈટ રાત્રે 10 વાગ્યે દિલ્હી પહોંચશે. તે ઈન્ડિગોની ફ્લાઈટથી દિલ્હી આવશે.


શું અંજુ ભારતમાં જ રહેશે? 


અંજુ કાયમ માટે ભારત પાછી આવી છે કે પાકિસ્તાન પાછી જશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટ નથી થયું. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા જ પાકિસ્તાની મીડિયામાં નસરુલ્લાહનો એક ઈન્ટરવ્યુ છપાયો હતો. જેમાં તેણે કહ્યું હતું કે તે પોતે અંજુને વાઘા બોર્ડર પર મૂકવા આવશે. અહીં ભારતમાં તે તેના બાળકોને મળશે. જો બાળકો અંજુ સાથે પાકિસ્તાન આવવા માંગતા હોય તો તેઓ આવી શકે છે. પરંતુ જો તેઓ ભારતમાં જ રહેવા માંગતા હોય તો તે તેમની મરજી છે. નસરુલ્લાએ કહ્યું હતું કે અંજુ માત્ર તેના બાળકો માટે ભારત આવી છે, કારણ કે તે તેના બાળકોને ખૂબ જ યાદ કરતી હતી. પરંતુ હવે આ બધા પર અંજુ શું કહે છે તે જોવું રહ્યું.


ટુરિસ્ટ વિઝા પર પાકિસ્તાન પહોંચી હતી


ઉલ્લેખનિય છે કે અંજુ તેના પતિ અરવિંદ અને બે બાળકો સાથે રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીમાં રહેતી હતી. તે ટુરિસ્ટ વિઝા પર પાકિસ્તાન ફરવા ગઈ હતી, પરંતુ બાદમાં ખબર પડી કે તે ખૈબર પખ્તુનખ્વામાં રહેતા નસરુલ્લાને મળવા ગઈ હતી. વાસ્તવમાં નસરુલ્લા અને અંજુ વચ્ચે અફેર ચાલી રહ્યું હતું. વર્ષ 2020માં અંજુ અને નસરુલ્લાની મુલાકાત ફેસબુક પર થઈ હતી. પાકિસ્તાન ગયા પછી અંજુએ નસરુલ્લા સાથે લગ્ન પણ કર્યા. અંજુ અને નસરુલ્લાના લગ્નની તસવીર પણ સામે આવી હતી.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .