અંજુ છ મહિના પછી સ્વદેશ પરત ફરી, પાકિસ્તાનમાં નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા બાદ બની ગઈ છે ફાતિમા


  • Published By :
  • Published Date : 2023-11-29 18:59:29

રાજસ્થાનથી પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પરત ફરી છે. તેની એક તસવીર પણ સામે આવી છે. તે વાઘા બોર્ડર થઈને પરત ફરી છે. તે લગભગ છ મહિના પહેલા ભારતથી પાકિસ્તાન પહોંચી હતી. શરૂઆતમાં એવું કહેવાતું હતું કે તે ત્યાં માત્ર ફરવા ગઈ હતી, પરંતુ પછી તેણે તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા હતા. ભારત પહોંચ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ અંજુની પૂછપરછ કરી હતી. આ પછી તેને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવી હતી. અહીંથી તેને દિલ્હીની ફ્લાઈટમાં બેસાડવામાં આવી હતી. આ ફ્લાઈટ રાત્રે 10 વાગ્યે દિલ્હી પહોંચશે. તે ઈન્ડિગોની ફ્લાઈટથી દિલ્હી આવશે.


શું અંજુ ભારતમાં જ રહેશે? 


અંજુ કાયમ માટે ભારત પાછી આવી છે કે પાકિસ્તાન પાછી જશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટ નથી થયું. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા જ પાકિસ્તાની મીડિયામાં નસરુલ્લાહનો એક ઈન્ટરવ્યુ છપાયો હતો. જેમાં તેણે કહ્યું હતું કે તે પોતે અંજુને વાઘા બોર્ડર પર મૂકવા આવશે. અહીં ભારતમાં તે તેના બાળકોને મળશે. જો બાળકો અંજુ સાથે પાકિસ્તાન આવવા માંગતા હોય તો તેઓ આવી શકે છે. પરંતુ જો તેઓ ભારતમાં જ રહેવા માંગતા હોય તો તે તેમની મરજી છે. નસરુલ્લાએ કહ્યું હતું કે અંજુ માત્ર તેના બાળકો માટે ભારત આવી છે, કારણ કે તે તેના બાળકોને ખૂબ જ યાદ કરતી હતી. પરંતુ હવે આ બધા પર અંજુ શું કહે છે તે જોવું રહ્યું.


ટુરિસ્ટ વિઝા પર પાકિસ્તાન પહોંચી હતી


ઉલ્લેખનિય છે કે અંજુ તેના પતિ અરવિંદ અને બે બાળકો સાથે રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીમાં રહેતી હતી. તે ટુરિસ્ટ વિઝા પર પાકિસ્તાન ફરવા ગઈ હતી, પરંતુ બાદમાં ખબર પડી કે તે ખૈબર પખ્તુનખ્વામાં રહેતા નસરુલ્લાને મળવા ગઈ હતી. વાસ્તવમાં નસરુલ્લા અને અંજુ વચ્ચે અફેર ચાલી રહ્યું હતું. વર્ષ 2020માં અંજુ અને નસરુલ્લાની મુલાકાત ફેસબુક પર થઈ હતી. પાકિસ્તાન ગયા પછી અંજુએ નસરુલ્લા સાથે લગ્ન પણ કર્યા. અંજુ અને નસરુલ્લાના લગ્નની તસવીર પણ સામે આવી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.