"અંકિતા હમ શર્મિંદા હૈ, તેરે કાતિલ ઝીંદા હૈ"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 18:36:04

ઉત્તરાખંડમાં અંકિતા ભંડારી હત્યાકાંડે લોકોમાં રોષનો માહોલ ઉભો કરી દીધો છે. ગુસ્સામાં લોકોએ બદ્રીનાથ હાઈવે પર જામ લગાવી દીધો હતો. રવિવારે અંકિતાના અંતિમ સંસ્કારની વાત કરવામાં આવી રહી હતી પરંતુ હુ સુધી તેના પરિજનોએ કોઈ તૈયારી નથી દર્શાવી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અંકિતાના પિતા સાથે ફોન પર વાત કરી હતી. મુખ્યમંત્રીએ સરકાર તરફથી પૂરા સાથનું સમર્થન આપ્યું હતું. પહેલા અંકિતાનો પરિવાર અંતિમ સંસ્કાર માટે તૈયાર હતા તેવા સમાચાર આવ્યા હતા ત્યાર બાદ મામલો બગડતા પરિવાર અંતિમ સંસ્કારની મનાહી કરી દીધી હતી. 


અંકિતાના સમર્થનમાં જનસમર્થન 

ઉત્તરાખંડનું જનસમર્થન પણ અંકિતાના પરિવાર સાથે દેખાઈ રહ્યા છે. આક્રોષિત થઈ લોકોએ નેશનલ હાઈવે 125 પર જામ લગાવી દીધો હતો. લોકોએ હાઈવે જામ કરી અંકિતાના સમર્થનમાં અને તેને ન્યાય મળે તેવા નારા લગાવ્યા હતા. 


અંકિતાના અંતિમ સંસ્કાર માટે રખાઈ શરત  

અંકિતાના અંતિમ સંસ્કાર મામલે સમાચાર મળી રહ્યા છે કે એઈમ્સથી ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે નથી આવતો ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરી શકાય. જનસમર્થને પોતાની વાત સામે રાખી હતી કે જ્યાં સુધી અંકિતાનો મૃતદેહ નથી આવતો ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે. 


અંકિતા 18 સપ્ટેમ્બરથી ગાયબ હતી અને ત્યારથી તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોસ્ટ મોર્ટમમાં અંકિતાનું મોત ડૂબવાથી થયું હોવાનો થયો હતો ખુલાસો.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .