"અંકિતા હમ શર્મિંદા હૈ, તેરે કાતિલ ઝીંદા હૈ"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 18:36:04

ઉત્તરાખંડમાં અંકિતા ભંડારી હત્યાકાંડે લોકોમાં રોષનો માહોલ ઉભો કરી દીધો છે. ગુસ્સામાં લોકોએ બદ્રીનાથ હાઈવે પર જામ લગાવી દીધો હતો. રવિવારે અંકિતાના અંતિમ સંસ્કારની વાત કરવામાં આવી રહી હતી પરંતુ હુ સુધી તેના પરિજનોએ કોઈ તૈયારી નથી દર્શાવી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અંકિતાના પિતા સાથે ફોન પર વાત કરી હતી. મુખ્યમંત્રીએ સરકાર તરફથી પૂરા સાથનું સમર્થન આપ્યું હતું. પહેલા અંકિતાનો પરિવાર અંતિમ સંસ્કાર માટે તૈયાર હતા તેવા સમાચાર આવ્યા હતા ત્યાર બાદ મામલો બગડતા પરિવાર અંતિમ સંસ્કારની મનાહી કરી દીધી હતી. 


અંકિતાના સમર્થનમાં જનસમર્થન 

ઉત્તરાખંડનું જનસમર્થન પણ અંકિતાના પરિવાર સાથે દેખાઈ રહ્યા છે. આક્રોષિત થઈ લોકોએ નેશનલ હાઈવે 125 પર જામ લગાવી દીધો હતો. લોકોએ હાઈવે જામ કરી અંકિતાના સમર્થનમાં અને તેને ન્યાય મળે તેવા નારા લગાવ્યા હતા. 


અંકિતાના અંતિમ સંસ્કાર માટે રખાઈ શરત  

અંકિતાના અંતિમ સંસ્કાર મામલે સમાચાર મળી રહ્યા છે કે એઈમ્સથી ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે નથી આવતો ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરી શકાય. જનસમર્થને પોતાની વાત સામે રાખી હતી કે જ્યાં સુધી અંકિતાનો મૃતદેહ નથી આવતો ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે. 


અંકિતા 18 સપ્ટેમ્બરથી ગાયબ હતી અને ત્યારથી તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોસ્ટ મોર્ટમમાં અંકિતાનું મોત ડૂબવાથી થયું હોવાનો થયો હતો ખુલાસો.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.