Ankleshwar GIDC : લાકડાના ગોડાઉનમાં ભડકી આગ સર્જાયો અફરા-તફરીનો માહોલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-10 11:33:43

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે માલહાની તેમજ જાનહાની થતી હોય છે. થોડા દિવસ પહેલા જામનગરમાં આવેલા રિલાયન્સ મોલમાં આગ લાગી હતી. ત્યારે ફરી એક આગ લાગવાની ઘટના અંકલેશ્વરમાં બની છે. જીઆઈડીસીમાં આવેલી એક પેકેજિંગ કંપીનામાં આવેલા લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગને કાબુમાં લાવવા માટે તૈયારી હાથ ધરી હતી. 

આગ લાગવાને કારણે સર્જાયો અફરા તફરીનો માહોલ  

ગુજરાતના અંકલેશ્વરમાં આવેલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. એક પેકેજિંગ કંપનીમાં આવેલા લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પેકેજિંગ કંપનીમાં આગ લાગવાને કારણે કોઈનું મોત થયું હોય તેવી માહિતી સામે આવી નથી. આગ એટલી ભયંકર હતી કે પેકેજિંગ કંપનીની બાજુમાં આવેલી કંપની પણ આગની લપેટમાં આવી ગઈ. મહત્વનું છે કે આવી ઘટનામાંઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.   



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.