બુટલેગરના ઘરે પોલીસ પહોંચી પણ પછી જે થયું તે.......


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 20:12:30

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માંડવા ગામે એવી ઘટના ઘટી જેનાથી પોલીસ હજુ માથું પકડીને બેઠી છે કે આવું તે કેમ થઈ ગયું. માંડવા ગામના બુટલેગરના જમીનમાં પોલીસે ખોદકામ કર્યું અને તેમાં દારૂની બોટલ મળી આવવાના સમાચાર મળી રહ્યા છે. 


પાઈપલાનમાંથી નીકળી દારૂની બોટલો 

ભરૂચની અંકલેશ્વર પોલીસને બાતમી મળી હતી કે માંડવા ગામમાં પ્રકાશ વસાવા નામના બુટલેગરે ઘરે દારૂ સંતાડી રાખ્યો છે. ગુજરાત પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે પોલીસને કંઈ હાથ લાગ્યું નહોતું. પરંતુ જ્યારે ગુજરાત પોલીસે જમીનની અંદર નાખેલી પાઈપલાઈન ખોદી તો જાણે પોલીસ ચક્કર ખાઈને બેસી ગઈ હતી. પોલીસને પાઈપલાઈનમાંથી બીયર અને દારૂની બોટલો મળી આવી હતી. અંકલેશ્વર પોલીસે બુટલેગરના ઘરેથી 40 હજારથી વધુ રૂપિયાના દારુના જથ્થાને કબજે કર્યો હતો. જો કે બુટલેગર પ્રકાશ વસાવાને પોલીસ આવે છે તે ખબર પડતાની સાથે જ ગાયબ થઈ ગયો હતો અને પોલીસ હાલ બુટલેગરને શોધી રહી છે.


ગુજરાતના યુક્તિબાજ બુટલેગરો 

ગુજરાતમાં કાગળિયા પર દારુબંધી છે તેવામાં જમીન ખોદતા દારૂ મળે તે આશ્ચર્યનજક વાત કહેવાય. ગુજરાતના બુટલેગરો પોલીસથી બચવા મગજ તો દોડાવી રહ્યા છે પરંતુ ગુજરાત પોલીસ તેનાથી એક પગલું આગળ નજરે પડી રહી છે. કોઈ બુટલેગર એક્ટિવામાં દારૂ સંતાડી રહ્યા છે. કોઈ મહિલા બુટલેગર કપડામાં દારૂ સંતાડી રહ્યા છે તો કોઈ બુટલેગર કારમાં ખાસ જગ્યાઓ બનાવીને દારૂ સંતાડવાના દાખલા આપણે જોયા છે. આ બધામાં એક નવો દાખલો પણ જોવા મળ્યો છે જેનો પોલીસે ભાંડો ફોડી દીધો હતો. 



 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.