બુટલેગરના ઘરે પોલીસ પહોંચી પણ પછી જે થયું તે.......


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 20:12:30

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માંડવા ગામે એવી ઘટના ઘટી જેનાથી પોલીસ હજુ માથું પકડીને બેઠી છે કે આવું તે કેમ થઈ ગયું. માંડવા ગામના બુટલેગરના જમીનમાં પોલીસે ખોદકામ કર્યું અને તેમાં દારૂની બોટલ મળી આવવાના સમાચાર મળી રહ્યા છે. 


પાઈપલાનમાંથી નીકળી દારૂની બોટલો 

ભરૂચની અંકલેશ્વર પોલીસને બાતમી મળી હતી કે માંડવા ગામમાં પ્રકાશ વસાવા નામના બુટલેગરે ઘરે દારૂ સંતાડી રાખ્યો છે. ગુજરાત પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે પોલીસને કંઈ હાથ લાગ્યું નહોતું. પરંતુ જ્યારે ગુજરાત પોલીસે જમીનની અંદર નાખેલી પાઈપલાઈન ખોદી તો જાણે પોલીસ ચક્કર ખાઈને બેસી ગઈ હતી. પોલીસને પાઈપલાઈનમાંથી બીયર અને દારૂની બોટલો મળી આવી હતી. અંકલેશ્વર પોલીસે બુટલેગરના ઘરેથી 40 હજારથી વધુ રૂપિયાના દારુના જથ્થાને કબજે કર્યો હતો. જો કે બુટલેગર પ્રકાશ વસાવાને પોલીસ આવે છે તે ખબર પડતાની સાથે જ ગાયબ થઈ ગયો હતો અને પોલીસ હાલ બુટલેગરને શોધી રહી છે.


ગુજરાતના યુક્તિબાજ બુટલેગરો 

ગુજરાતમાં કાગળિયા પર દારુબંધી છે તેવામાં જમીન ખોદતા દારૂ મળે તે આશ્ચર્યનજક વાત કહેવાય. ગુજરાતના બુટલેગરો પોલીસથી બચવા મગજ તો દોડાવી રહ્યા છે પરંતુ ગુજરાત પોલીસ તેનાથી એક પગલું આગળ નજરે પડી રહી છે. કોઈ બુટલેગર એક્ટિવામાં દારૂ સંતાડી રહ્યા છે. કોઈ મહિલા બુટલેગર કપડામાં દારૂ સંતાડી રહ્યા છે તો કોઈ બુટલેગર કારમાં ખાસ જગ્યાઓ બનાવીને દારૂ સંતાડવાના દાખલા આપણે જોયા છે. આ બધામાં એક નવો દાખલો પણ જોવા મળ્યો છે જેનો પોલીસે ભાંડો ફોડી દીધો હતો. 



 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.