બુટલેગરના ઘરે પોલીસ પહોંચી પણ પછી જે થયું તે.......


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 20:12:30

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માંડવા ગામે એવી ઘટના ઘટી જેનાથી પોલીસ હજુ માથું પકડીને બેઠી છે કે આવું તે કેમ થઈ ગયું. માંડવા ગામના બુટલેગરના જમીનમાં પોલીસે ખોદકામ કર્યું અને તેમાં દારૂની બોટલ મળી આવવાના સમાચાર મળી રહ્યા છે. 


પાઈપલાનમાંથી નીકળી દારૂની બોટલો 

ભરૂચની અંકલેશ્વર પોલીસને બાતમી મળી હતી કે માંડવા ગામમાં પ્રકાશ વસાવા નામના બુટલેગરે ઘરે દારૂ સંતાડી રાખ્યો છે. ગુજરાત પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે પોલીસને કંઈ હાથ લાગ્યું નહોતું. પરંતુ જ્યારે ગુજરાત પોલીસે જમીનની અંદર નાખેલી પાઈપલાઈન ખોદી તો જાણે પોલીસ ચક્કર ખાઈને બેસી ગઈ હતી. પોલીસને પાઈપલાઈનમાંથી બીયર અને દારૂની બોટલો મળી આવી હતી. અંકલેશ્વર પોલીસે બુટલેગરના ઘરેથી 40 હજારથી વધુ રૂપિયાના દારુના જથ્થાને કબજે કર્યો હતો. જો કે બુટલેગર પ્રકાશ વસાવાને પોલીસ આવે છે તે ખબર પડતાની સાથે જ ગાયબ થઈ ગયો હતો અને પોલીસ હાલ બુટલેગરને શોધી રહી છે.


ગુજરાતના યુક્તિબાજ બુટલેગરો 

ગુજરાતમાં કાગળિયા પર દારુબંધી છે તેવામાં જમીન ખોદતા દારૂ મળે તે આશ્ચર્યનજક વાત કહેવાય. ગુજરાતના બુટલેગરો પોલીસથી બચવા મગજ તો દોડાવી રહ્યા છે પરંતુ ગુજરાત પોલીસ તેનાથી એક પગલું આગળ નજરે પડી રહી છે. કોઈ બુટલેગર એક્ટિવામાં દારૂ સંતાડી રહ્યા છે. કોઈ મહિલા બુટલેગર કપડામાં દારૂ સંતાડી રહ્યા છે તો કોઈ બુટલેગર કારમાં ખાસ જગ્યાઓ બનાવીને દારૂ સંતાડવાના દાખલા આપણે જોયા છે. આ બધામાં એક નવો દાખલો પણ જોવા મળ્યો છે જેનો પોલીસે ભાંડો ફોડી દીધો હતો. 



 



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.