બુટલેગરના ઘરે પોલીસ પહોંચી પણ પછી જે થયું તે.......


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 20:12:30

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માંડવા ગામે એવી ઘટના ઘટી જેનાથી પોલીસ હજુ માથું પકડીને બેઠી છે કે આવું તે કેમ થઈ ગયું. માંડવા ગામના બુટલેગરના જમીનમાં પોલીસે ખોદકામ કર્યું અને તેમાં દારૂની બોટલ મળી આવવાના સમાચાર મળી રહ્યા છે. 


પાઈપલાનમાંથી નીકળી દારૂની બોટલો 

ભરૂચની અંકલેશ્વર પોલીસને બાતમી મળી હતી કે માંડવા ગામમાં પ્રકાશ વસાવા નામના બુટલેગરે ઘરે દારૂ સંતાડી રાખ્યો છે. ગુજરાત પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે પોલીસને કંઈ હાથ લાગ્યું નહોતું. પરંતુ જ્યારે ગુજરાત પોલીસે જમીનની અંદર નાખેલી પાઈપલાઈન ખોદી તો જાણે પોલીસ ચક્કર ખાઈને બેસી ગઈ હતી. પોલીસને પાઈપલાઈનમાંથી બીયર અને દારૂની બોટલો મળી આવી હતી. અંકલેશ્વર પોલીસે બુટલેગરના ઘરેથી 40 હજારથી વધુ રૂપિયાના દારુના જથ્થાને કબજે કર્યો હતો. જો કે બુટલેગર પ્રકાશ વસાવાને પોલીસ આવે છે તે ખબર પડતાની સાથે જ ગાયબ થઈ ગયો હતો અને પોલીસ હાલ બુટલેગરને શોધી રહી છે.


ગુજરાતના યુક્તિબાજ બુટલેગરો 

ગુજરાતમાં કાગળિયા પર દારુબંધી છે તેવામાં જમીન ખોદતા દારૂ મળે તે આશ્ચર્યનજક વાત કહેવાય. ગુજરાતના બુટલેગરો પોલીસથી બચવા મગજ તો દોડાવી રહ્યા છે પરંતુ ગુજરાત પોલીસ તેનાથી એક પગલું આગળ નજરે પડી રહી છે. કોઈ બુટલેગર એક્ટિવામાં દારૂ સંતાડી રહ્યા છે. કોઈ મહિલા બુટલેગર કપડામાં દારૂ સંતાડી રહ્યા છે તો કોઈ બુટલેગર કારમાં ખાસ જગ્યાઓ બનાવીને દારૂ સંતાડવાના દાખલા આપણે જોયા છે. આ બધામાં એક નવો દાખલો પણ જોવા મળ્યો છે જેનો પોલીસે ભાંડો ફોડી દીધો હતો. 



 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.