માગશર સુદ પૂનમના દિવસે ઉજવાય છે અન્નપૂર્ણા જયંતી, જાણો અન્નપૂર્ણા દેવીનો મહિમા


  • Published By :
  • Published Date : 2022-11-19 15:56:47

આપણા હિંદુ ધર્મમાં દરેક દેવી-દેવતાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આપણે ત્યાં અન્નપૂર્ણા દેવીનો પણ અનેરો મહિમા છે. માગશર મહિનાની પૂનમને અન્નપૂર્ણા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વનું ભરણ પોષણ કરવાવાળી માતા અન્નપૂર્ણાને સમર્પિત આ વ્રત છે. આ દિવસે પૂજા પછી અનેક પ્રકારના ભોગ બનાવી માતાને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત પૂર્ણ શ્રદ્ધા સાથે માતા અન્નપૂર્ણાનું વ્રત કરે છે તેમના ઘરમાં કોઈ દિવસ અનાજ અને ભોજનની ખોટ પડતી નથી. 

માગશર પૂનમના દિવસે માતા પાર્વતીને અન્નપૂર્ણા દેવીનું સ્વરૂપ ધારણ કર્યું  હતું | On December 19, Annapurna Jayanti, Worship Of This Form Of Goddess  Parvati Increases Happiness And ...

અન્નદાન કરવાનો હોય છે વિશેષ મહિમા 

એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતીએ જ માતા અન્નપૂર્ણા દેવીનું રૂપ ધારણ કર્યુ હતું. અન્નપૂર્ણા દેવી પાસે જ કીડીને કણ અને હાથીને મણ આપવાની ક્ષમતા રહેલી છે. અન્નપૂર્ણા દેવીના વ્રતનો મહિમા ન માત્ર ગુજરાતમાં છે પરંતુ સમગ્ર દેશમાં આ વ્રતનો મહિમા છે. માગશર મહિનાની પૂનમના દિવસે દેવી અન્નપૂર્ણાની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે રસોઈઘરમાં ચૂલાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગરીબોને પણ અન્નદાન કરવાનો મહિમા રહેલો છે.     

ભગવાન શિવે માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા લઇને ધરતી ઉપર વસેલાં લોકોને વહેંચ્યું હતું

દેવી પાર્વતીએ લીધું હતું અન્નપૂર્ણાનું રૂપ   

એવી માન્યતા છે કે જ્યારે ધરતી પર અનાજની કમી પડવા લાગી અને અનાજ ખતમ થવા લાગ્યું હતું. જેને કારણે ભૂલોકના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકોએ ત્રિદેવોને પ્રાર્થના કરી. ભગવાન શંકરે ધરતીનું ભ્રમણ કર્યું અને તે પછી દેવી પાર્વતીએ દેવી અન્નપૂર્ણાનું રૂપ ધારણ કરી શિવજીને ભિક્ષાનું પાત્ર આપ્યું હતું. આ ભિક્ષાનું પાત્ર લઈ શિવજી સમગ્ર વિશ્વમાં ફર્યા હતા. ત્યારથી બધા દેવોની સાથે મનુષ્યોએ માતા અન્નપૂર્ણાની આરાધના કરવાની શરૂઆત કરી હતી. અન્નપૂર્ણા વ્રત કરવાથી માતાજીની કૃપાથી ધન સંપત્તિ, મિલકત સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વ્રતના દિવસે માતા અન્નપૂર્ણાની વાર્તા વાંચવાથી પણ માતા જલ્દી પ્રસન્ન થાય છે.    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.