માગશર સુદ પૂનમના દિવસે ઉજવાય છે અન્નપૂર્ણા જયંતી, જાણો અન્નપૂર્ણા દેવીનો મહિમા


  • Published By :
  • Published Date : 2022-11-19 15:56:47

આપણા હિંદુ ધર્મમાં દરેક દેવી-દેવતાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આપણે ત્યાં અન્નપૂર્ણા દેવીનો પણ અનેરો મહિમા છે. માગશર મહિનાની પૂનમને અન્નપૂર્ણા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વનું ભરણ પોષણ કરવાવાળી માતા અન્નપૂર્ણાને સમર્પિત આ વ્રત છે. આ દિવસે પૂજા પછી અનેક પ્રકારના ભોગ બનાવી માતાને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત પૂર્ણ શ્રદ્ધા સાથે માતા અન્નપૂર્ણાનું વ્રત કરે છે તેમના ઘરમાં કોઈ દિવસ અનાજ અને ભોજનની ખોટ પડતી નથી. 

માગશર પૂનમના દિવસે માતા પાર્વતીને અન્નપૂર્ણા દેવીનું સ્વરૂપ ધારણ કર્યું  હતું | On December 19, Annapurna Jayanti, Worship Of This Form Of Goddess  Parvati Increases Happiness And ...

અન્નદાન કરવાનો હોય છે વિશેષ મહિમા 

એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતીએ જ માતા અન્નપૂર્ણા દેવીનું રૂપ ધારણ કર્યુ હતું. અન્નપૂર્ણા દેવી પાસે જ કીડીને કણ અને હાથીને મણ આપવાની ક્ષમતા રહેલી છે. અન્નપૂર્ણા દેવીના વ્રતનો મહિમા ન માત્ર ગુજરાતમાં છે પરંતુ સમગ્ર દેશમાં આ વ્રતનો મહિમા છે. માગશર મહિનાની પૂનમના દિવસે દેવી અન્નપૂર્ણાની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે રસોઈઘરમાં ચૂલાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગરીબોને પણ અન્નદાન કરવાનો મહિમા રહેલો છે.     

ભગવાન શિવે માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા લઇને ધરતી ઉપર વસેલાં લોકોને વહેંચ્યું હતું

દેવી પાર્વતીએ લીધું હતું અન્નપૂર્ણાનું રૂપ   

એવી માન્યતા છે કે જ્યારે ધરતી પર અનાજની કમી પડવા લાગી અને અનાજ ખતમ થવા લાગ્યું હતું. જેને કારણે ભૂલોકના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકોએ ત્રિદેવોને પ્રાર્થના કરી. ભગવાન શંકરે ધરતીનું ભ્રમણ કર્યું અને તે પછી દેવી પાર્વતીએ દેવી અન્નપૂર્ણાનું રૂપ ધારણ કરી શિવજીને ભિક્ષાનું પાત્ર આપ્યું હતું. આ ભિક્ષાનું પાત્ર લઈ શિવજી સમગ્ર વિશ્વમાં ફર્યા હતા. ત્યારથી બધા દેવોની સાથે મનુષ્યોએ માતા અન્નપૂર્ણાની આરાધના કરવાની શરૂઆત કરી હતી. અન્નપૂર્ણા વ્રત કરવાથી માતાજીની કૃપાથી ધન સંપત્તિ, મિલકત સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વ્રતના દિવસે માતા અન્નપૂર્ણાની વાર્તા વાંચવાથી પણ માતા જલ્દી પ્રસન્ન થાય છે.    




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.